પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 28, 2025 9:27 એ એમ (AM)

views 15

ગુજરાત વેપાર ઉદ્યોગ મહામંડળ-GCCI દ્વારા અમદાવાદમાં આવતીકાલે સસ્ટેનિબિલિટી સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત વેપાર ઉદ્યોગ મહામંડળ-GCCI દ્વારા અમદાવાદમાં આવતીકાલે સસ્ટેનિબિલિટી સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણ જાળવણી મુદ્દે જાગૃતિ લાવવા અને રાજ્યમાં સાતત્યતા અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સહયોગ પ્રસ્થાપિત કરવા મંચ પૂરો પાડવાનાં હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે જીસીસીઆઇના પ્રમુ...

ફેબ્રુવારી 28, 2025 9:26 એ એમ (AM)

views 14

શિક્ષણના અધિકાર – RTEના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ 1માં પ્રવેશ માટે આજથી તારીખ 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

શિક્ષણના અધિકાર - RTEના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ 1માં પ્રવેશ માટે આજથી તારીખ 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ વખતે 93 હજાર 527 બેઠકો પર પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફોર્મ ચકાસણી સહિતની કામગીરી પૂર્ણ કરાયા બાદ 27 માર્ચે પ્રવેશની ફાળવણી કરવામાં આવશે. નબળા અને વંચિત પરિવારના બાળકો...

ફેબ્રુવારી 28, 2025 9:24 એ એમ (AM)

views 9

સોમનાથ રેલવે સ્ટેશન નજીક પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલિશન હાથ ધરાયું હતું

સોમનાથ રેલવે સ્ટેશન નજીક પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમોલિશન હાથ ધરાયું હતું. શંખ સર્કલ સામે આવેલા રેલવે સ્ટેશન નજીક લાંબા સમયથી સરકારી જમીન પર ગેરકાયદે દબાણો હતા, જેને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 12 જેટલા આસામીને નોટિસ પણ મોકલવામાં આવી હતી.

ફેબ્રુવારી 28, 2025 9:22 એ એમ (AM)

views 8

રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન – સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે 5 લાખ 65 હજારથી વધુ વસ્તી નોંધાઈ છે.

રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન - સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે 5 લાખ 65 હજારથી વધુ વસ્તી નોંધાઈ છે. રાજ્યમાં એશિયાઇ સિંહ, નીલગાય, વાનર, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા, વરૂ, ઘુડખર, સર્પ જેવા અનેક વન્ય પ્રાણીઓને ભયમુક્ત વાતાવરણ મળ્યું છે. રાજ્યમાં તબક્કાવાર હાથ ધરાયેલી વન્ય-જ...

ફેબ્રુવારી 28, 2025 9:21 એ એમ (AM)

views 6

પોક્સો કેસમાં રાજ્યની વિવિધ અદાલતોએ સાત બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારી.

રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર વધતા અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર અંકુશ લાવવા એક જ દિવસમાં પોક્સો કેસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં કોર્ટે સાત મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. જેમાં સાતેય બળાત્કારીઓને આજીવન કેદની સજા ફટકારતા પીડિતાઓને ન્યાય મળ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સાતેય કે...

ફેબ્રુવારી 27, 2025 8:02 પી એમ(PM)

views 13

આકાશવાણીના અમદાવાદ કેન્દ્રની મુલાકાતે આવેલા પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સેહગલે રેડિયોની પહોંચ વધારવા પર ભાર મૂક્યો

પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સેહગલે યુવાનોને જોડવાના અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રેડિયોની પહોંચ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા સેહગલે આજે આકાશવાણી અમદાવાદની મુલાકાત લીધી હતી. સેહગલે સ્ટેશનના સ્ટુડિયો, સમાચાર અને કાર્યક્રમ એકમોની કામગીરીની સમીક્ષા કરી.સેહ...

ફેબ્રુવારી 27, 2025 7:59 પી એમ(PM)

views 17

રાજ્યના તમામ તાલુકાઓમાં GIDCનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક-વિધાનસભામાં ઉદ્યોગ મંત્રીનો જવાબ

રાજ્યના છેવાડાના તાલુકાઓમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ GIDCનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલ પ્રશ્નનો જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ મુજબ જણાવ્યું. રાજપૂતે ઉમેર્યું કે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં 7 પ્લોટ અને 4 શેડ તેમજ પાવી જેતપ...

ફેબ્રુવારી 27, 2025 7:55 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ NIDનાં પદવીદાન સમારોહમાં આધુનિક પ્રશ્નોના નવતર ઉકેલ શોધવામાં ડિઝાઇન ક્ષેત્રની ભૂમિકાને મહત્વની ગણાવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અમદાવાદની રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા-NIDના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા NIDનો 44મો પદવીદાન સમારોહ યોજાયો. આ પ્રસંગે શ્રીમતી મુર્મૂએ આધુનિક પ્રશ્નોના નવતર ઉકેલ શોધવામાં ડિઝાઇન ક્ષેત્રની ભૂમિકા મહત્વની હ...

ફેબ્રુવારી 27, 2025 3:01 પી એમ(PM)

views 12

સુરતના કાપડ માર્કેટમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવાના યુધ્ધના ધોરણે પ્રયાસ થઇ રહ્યાં હોવાનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું

સુરતના કાપડ માર્કેટમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવાના યુધ્ધના ધોરણે પ્રયાસ થઇ રહ્યાં હોવાનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે આગને કાબૂમાં લેવા માટે ઔધોગિક કંપનીઓના ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઇ રહી છે. તેમણે ઉમેર્યુ હતું કે છેલ્લા થોડા સમયથી આગ કાબૂમાં આવી રહી છે. મુખ્યમંત્ર...

ફેબ્રુવારી 27, 2025 2:59 પી એમ(PM)

views 29

તમામને શિક્ષણના અધિકાર RTE ના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

તમામને શિક્ષણના અધિકાર RTE ના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.નબળા અને વંચિત પરિવારના બાળકો ખાનગી શાળામાં નિઃશુલ્ક ભણી શકે તે માટે આરટીઇ કાયદા મુજબ પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવી છે. તે માટે જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ માટે આવતીકાલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.