પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 15, 2026 7:13 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવાનોને “વિવેક ચૂડામણિ” ગ્રંથ જરૂરથી વાંચવા અનુરોધ કર્યો – અમદાવાદમાં આદિશંકર ગ્રંથોનું વિમોચન.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આદિ શંકરાચાર્યનું જ્ઞાન હવે ગુજરાતી યુવાનોને આંગળીના ટેરવે મળતું થયું છે. અમદાવાદમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉક્ટર ગૌતમ પટેલ દ્વારા સંપાદિત આદિ શંકર સમગ્ર 15 ગ્રંથોની શ્રેણીનું વિમોચન કરતા તેમણે આ વાત કહી. શ્રી શાહે આ ગ્રંથાવલિને ગુજ...

જાન્યુઆરી 15, 2026 7:11 પી એમ(PM)

રાજ્યમાં કરૂણા અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ પક્ષીઓની સારવાર – 108 સેવામાં 3 હજારથી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા.

રાજ્યમાં કરૂણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણે 14 તારીખ સુધીમાં પાંચ હજાર 439 પક્ષીઓની સારવાર કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર આ અંગે જણાવ્યું કે, આ તમામ પક્ષીઓમાંથી ચાર હજાર 937 એટલે કે, 91 ટકા પક્ષીઓને બચાવવામાં આવ્યા છે. સાબરકાંઠામાં 1962 પશુ હેલ્પલાઇન દ્વારા ગઇકાલ સુધીમાં 141 ...

જાન્યુઆરી 15, 2026 7:08 પી એમ(PM)

ભરૂચ SOG પોલીસે 11 લાખ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે બે લોકોની ધરપકડ કરી

ભરૂચ સ્પેશિયલ ઑપરેશન ગૃપ - SOG પોલીસે 11 લાખ રૂપિયાથી વધુના કેફી પદાર્થ સાથે બે લોકોની ધરપકડ કરી છે. અમારા પ્રતિનિધિ વાહીદ મશહદી જણાવે છે, પોલીસે માહિતીના આધારે ST બસ ડેપો પરથી બે લોકોને પકડ્યા હતા. તેમની તપાસ કરતાં એક વ્યક્તિની બેગમાંથી કેફી પદાર્થનો 58 ગ્રામથી વધુનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંન...

જાન્યુઆરી 15, 2026 7:06 પી એમ(PM)

views 1

રાજ્યમાં આગામી 48 કલાકમાં ઠંડી ઘટવાની આગાહી.

રાજ્યમાં આગામી 48 કલાકમાં ઠંડીમાં ઘટાડો થવાની આગાહી છે. જોકે, ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નહીંવત્ છે. હવામાન વિભાગે જણાવ્યું, રાજ્યના કેટલાક જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો આંકડો 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછો નોંધાયો છે. છ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે અમરેલી સૌથી ઠંડું શહેર રહ્યું છે. જ્યારે કે...

જાન્યુઆરી 15, 2026 2:24 પી એમ(PM)

અમદાવાદમાં આગામી 30 જાન્યુઆરીએ પૅન્શન અદાલત યોજાશે.

અમદાવાદમાં આગામી 30 જાન્યુઆરીએ પૅન્શન અદાલત યોજાશે. શાહીબાગ વિસ્તારમાં સ્પીડપૉસ્ટ ભવનમાં આવેલી પૉસ્ટમાસ્ટર જનરલ હૅડ ક્વાર્ટર પરિક્ષેત્રની કચેરી ખાતે સવારે 11 વાગ્યે પૅન્શન અદાલતનું આયોજન કરાયું છે. તેમાં ટપાલ વિભાગના નિવૃત્ત કર્મચારીઓના નીતિ વિષયક મુદ્દા સિવાયના પૅન્શનને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફર...

જાન્યુઆરી 15, 2026 2:24 પી એમ(PM)

રાજ્યભરમાં ઉત્તરાયણ નિમિત્તે 108 ઇમરજન્સી મૅડિકલ સર્વિસીઝ – EMS દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે.

રાજ્યભરમાં ઉત્તરાયણ નિમિત્તે 108 ઇમરજન્સી મૅડિકલ સર્વિસીઝ – EMS દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. ગઈકાલે 108 EMS દ્વારા પાંચ હજાર 897 ઇમરજન્સી મૅડિકલ કેસ નોંધવામાં આવ્યા છે, જે સામાન્ય દિવસની સરખામણીએ 33 ટકા વધુ હતા. સત્તાવાર યાદી મુજબ, ઉત્તરાયણ નિમિત્તે ગઈકાલે ઊંચાઈ પરથી પડવાના કેસમાં 92 ટ...

જાન્યુઆરી 15, 2026 2:23 પી એમ(PM)

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાવનગરમાં કૃષિ સખી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભાવનગરમાં કૃષિ સખી અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી. રાજ્યપાલશ્રીએ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમણે તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર તૈયાર કરવા પણ ખેડૂતોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉક્ટર મનસ...

જાન્યુઆરી 15, 2026 2:22 પી એમ(PM)

ડાંગમાં 108 ઇમરજન્સી સેવા લોકો માટે જીવનરક્ષક સેવા બની.

ડાંગમાં 108 ઇમરજન્સી સેવા લોકો માટે જીવનરક્ષક સેવા બની છે. કાકળાશા ગામની પ્રસુતા માતાને હૉસ્પિટલ લઈ જતા વખતે દુખાવો થતાં 108ની ટુકડીએ રસ્તામાં જ સફળ પ્રસુતિ કરાવી હતી. ત્યારબાદ મહિલાને સફળતાપૂર્વક સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

જાન્યુઆરી 15, 2026 2:27 પી એમ(PM)

views 5

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં ગુજરાતી ભાષામાં પ્રકાશિત આદિ શંકરાચાર્યજીની ગ્રંથાવલિનું વિમોચન કર્યું. પાલડીના ટાગોર હૉલ ખાતે યોજાયેલા સસ્તુ સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત અને ડૉક્ટર ગૌતમ પટેલ સંપાદિત આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલિના વિમોચન સમારોહને સંબોધતાં શ્રી શાહે આ વાત ક...

જાન્યુઆરી 15, 2026 9:43 એ એમ (AM)

views 2

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર હણોલ મહોત્સવ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’નું આયોજન કરવામાં આવ્યું.આ પ્રસંગે બોલતા રાજ્યપાલે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.