પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 10, 2025 4:36 પી એમ(PM)

views 10

ક્રેડાઈ દ્વારા ગાંધીનગરમાં ટ્રાય સિટી પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરાયું

ક્રેડાઈ દ્વારા ગાંધીનગરમાં ટ્રાય સિટી પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરાયું છે. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. મુખ્યમંત્રીએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.

જાન્યુઆરી 10, 2025 4:35 પી એમ(PM)

views 12

ફ્લાવર શોને વધુ બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો

અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ કહ્યું હતું કે ફ્લાવર શોને વધુ બે દિવસ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સાથે 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ ફ્લાવર શોમાં પ્રિ- વેડિંગ શૂટ કરાવી શકાશે. વેબ સિરીઝ તેમજ મુવી અને એડવર્ટાઈઝમેન્ટના શૂટિંગ માટેનો સમય સાંજે 6થી રાત્રે 12...

જાન્યુઆરી 10, 2025 4:34 પી એમ(PM)

views 20

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરતના સરસાણામાં સીટેક્ષ એટલે કે સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–2025’નું આયોજન કરાયું

દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે SGCCI દ્વારા સુરતના સરસાણામાં સીટેક્ષ એટલે કે સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–2025’નું આયોજન કરાયું છે. આ એક્સપોનું કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલે ઉદ્ઘાટન કર્યું હતું. SGCCI દ્વારા યોજાતા ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ...

જાન્યુઆરી 10, 2025 4:31 પી એમ(PM)

views 8

ગુજરાત વિદ્યાપીઠમાં ભારતીય અને વિદેશી ભાષા સહિતના ટૂંકા ગાળાના વિવિધ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો

ગુજરાત વિદ્યાપીઠમાં ભારતીય અને વિદેશી ભાષા સહિતના ટૂંકા ગાળાના વિવિધ કોર્ષમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાપીઠમાં ભારતની 12 અને વિદેશની 9 ભાષાઓને લગતા વિવિધ કોર્ષ ચાલે છે. આ કોર્ષમાં પ્રવેશ માટે 16 જાન્યુઆરી સધી ઓનલાઈન અરજી કરી શકાશે. વધુ માહિતી સત્તાવાર વેબસાઈટ પરથી મેળ...

જાન્યુઆરી 10, 2025 4:30 પી એમ(PM)

views 14

મહેસાણા રેલવેમથક ખાતે સ્વસંચાલિત ટિકિટ વિતરણ યંત્રના માધ્યમથી લાઈનમાં ઉભા રહ્યાં વિના ટિકિટ મેળવી શકાશે

મહેસાણા રેલવેમથક ખાતે સ્વસંચાલિત ટિકિટ વિતરણ યંત્રના માધ્યમથી લાઈનમાં ઉભા રહ્યાં વિના ટિકિટ મેળવી શકાશે. અમદાવાદ રેલવે મંડળ દ્વારા આ યંત્ર મહેસાણા રેલવેમથકને આપવામાં આવ્યું છે. જે આગામી સપ્તાહમાં શરૂ કરાશે. જેનો મુસાફરો આ સેવાનો લાભ લઈ શકશે. જો સ્માર્ટકાર્ડથી ટિકિટ બુક કરવામાં આવશે તો સેવા માટે ચૂકા...

જાન્યુઆરી 10, 2025 8:28 એ એમ (AM)

views 27

અમદાવાદ શહેરના 30 ઓવરબ્રિજ પર તાર લગાવાશે : દેવાંગ દાણી

ઉતરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અમદાવાદમાં આવેલા 30 ઓવરબ્રિજ પર તાર લગાવવામાં આવશે. પતંગની દોરીના કારણે ટુ વ્હીલર ચાલકોને અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે. બ્રિજ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો કે ચાલતા જતા લોકોને ગળાના ભાગે દોરી આવવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. અમદાવાદ મહાપાલિ...

જાન્યુઆરી 9, 2025 8:06 પી એમ(PM)

views 18

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે 200થી વધુ જગ્યા માટે રોજગાર મેળો યોજાશે, જેમાં ધોરણ-8થી 10 અને 12 પાસ, આઈટીઆઈ, સ્નાતક, ઈજનેરી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રોજગાર કચેરી ખાતે આવતીકાલે 200થી વધુ જગ્યા માટે રોજગાર મેળો યોજાશે, જેમાં ધોરણ-8થી 10 અને 12 પાસ, આઈટીઆઈ, સ્નાતક, ઈજનેરી જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઈ શકશે. સેલ્સ એક્ઝિક્યુટિવ, ટેલિકોલર, બેક ઓફિસર સહિતના હોદ્દા પર ભરતી કરવા આ મેળામાં 5થી વધુ કંપની ભાગ...

જાન્યુઆરી 9, 2025 8:04 પી એમ(PM)

views 8

ઉત્તરાયણના પર્વમાં અમદાવાદ રાજકોટ સહિત મુખ્ય 20 શહેરોમાં અકસ્માતના કેસો વથતા હાવાના કારણે, ખાસ કરીને પતંગની દોરી વાગવા અને ધાબા પરથી પડવાના કેસો વધે છે

ઉત્તરાયણના પર્વમાં અમદાવાદ રાજકોટ સહિત મુખ્ય 20 શહેરોમાં અકસ્માતના કેસો વથતા હાવાના કારણે, ખાસ કરીને પતંગની દોરી વાગવા અને ધાબા પરથી પડવાના કેસો વધે છે જેથી આ તમામ ઇમરજન્સીને પહોંચી વળવા વાટે ઇમરજન્સી સેવા 108 સજજ છે. 14 અને પંદર જાન્યુઆરીએ ઇમરજન્સી કેસ વધવાની શક્યતાના કારણે ફિલ્ડ પર 800 રોડ એબ્યુલા...

જાન્યુઆરી 9, 2025 8:01 પી એમ(PM)

views 30

હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે ઉત્તરાયણનો તહેવાર સારો રહેશે કારણ કે આ દિવસે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે ઉત્તરાયણનો તહેવાર સારો રહેશે કારણ કે આ દિવસે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન રહેશે. આ સાથે જ ઠંડીનું પ્રમાણ પણ યથાવત રહેવાની સંભાવના છે તદુપરાંત પવનની ગતિ 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે જે પતંગરસીકો માટે અનૂકુળ રહેશે. પવનની દિશા બદલાતા રાજ્યભરના ના...

જાન્યુઆરી 9, 2025 7:59 પી એમ(PM)

views 14

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં 16મી જાન્યુઆરીના રોજ સવારે અગિયાર વાગે ડાક અદાલત યોજાશે

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે અમદાવાદમાં 16મી જાન્યુઆરીના રોજ સવારે અગિયાર વાગે ડાક અદાલત યોજાશે. ખાનપુર સ્થિત ગુજરાત સર્કલની ઓફિસ ખાતે યોજાનારી આ ડાક અદાલતમાં ટપાસ સેવાને લગતી નીતિવિષયક બાબતો સિવાયના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવશે. ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ ડ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.