પ્રાદેશિક સમાચાર

જાન્યુઆરી 30, 2025 3:38 પી એમ(PM)

views 18

રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નહીંવત્ છે

રાજ્યમાં આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના નહીંવત્ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ દિવસો દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ શુષ્ક રહેશે. હાલમાં રાજ્યમાં સૌથી ઓછું 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન જુનાગઢના કેશોદ અને બનાસકાંઠાના ડીસામાં નોંધાયું છે. જ્યારે ભાવનગરના મહુવા અને ગાંધીન...

જાન્યુઆરી 30, 2025 3:36 પી એમ(PM)

views 21

રાજકોટમાં આવેલા T.R.P. ગેમઝૉન દુર્ઘટના મામલે આજે ગુજરાત વડી અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ

રાજકોટમાં આવેલા T.R.P. ગેમઝૉન દુર્ઘટના મામલે આજે ગુજરાત વડી અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આ દુર્ઘટનામાં 27 જેટલા લોકોના મોત નીપજ્યા હતા. આ કેસમાં 15 જેટલા આરોપીઓ પૈકી સાત આરોપીએ કરેલી અરજી અંગે વડી અદાલતે ચુકાદો જાહેર કરતાં સાતમાંથી ત્રણ આરોપીના જામીન મંજૂર અન...

જાન્યુઆરી 30, 2025 3:35 પી એમ(PM)

views 23

મહેસાણા જિલ્લાના કડા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા 64 વર્ષનાં મહેશ પટેલનું પ્રયાગરાજનાં મહાકુંભમાં અવસાન થયું છે

મહેસાણા જિલ્લાના કડા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા 64 વર્ષનાં મહેશ પટેલનું પ્રયાગરાજનાં મહાકુંભમાં અવસાન થયું છે. સમાજના લોકો સાથે યાત્રા પર ગયેલા મહેશ પટેલનું મૃત્યુ હૃદયરોગનાં હુમલાથી થયું હોવાનું મનાય છે. એમ્બ્યુલન્સમાં તેમના મૃતદેહને તેમના વતન કડા ગામ ખાતે લવાશે.

જાન્યુઆરી 30, 2025 3:32 પી એમ(PM)

views 9

નર્મદાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે આજથી જિલ્લા ‘સ્પર્શ’ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો

નર્મદાનાં નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે આજથી જિલ્લા ‘સ્પર્શ’ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ થયો. 13 ફેબ્રુઆરી સુધી યોજાનારા અભિયાન અંગે શ્રીમતી દેશમુખે કહ્યું, “રક્તપિત્તથી પીડાતા લોકોને સમાજમાં સમાન સ્થાન મળે તે માટે સમાજના લોકોને આ અભિયાન દ્વાર...

જાન્યુઆરી 30, 2025 3:28 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, “સુશાસન સંબંધિત ચર્ચા કરવા માટે ગુજરાત સિવાય અન્ય કોઈ ઉત્તમ સ્થાન નથી

કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, “સુશાસન સંબંધિત ચર્ચા કરવા માટે ગુજરાત સિવાય અન્ય કોઈ ઉત્તમ સ્થાન નથી.” ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ પર 2 દિવસની રાષ્ટ્રીય પરિષદનો પ્રારંભ કરાવતાં શ્રી સિંહે આ મુજબ જણાવ્યું હતું. આ પહેલાં સુશાસન અંગેની રાષ્ટ્રીય પરિસદ અંગે કેન્દ્ર સરકારના D.A.R.P.G.ના સ...

જાન્યુઆરી 30, 2025 3:24 પી એમ(PM)

views 10

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા એક હજાર 200 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાને મંજૂરી અપાઈ છે

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના વિકાસ માટે સરકાર દ્વારા એક હજાર 200 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાને મંજૂરી અપાઈ છે. તેના ભાગરૂપે સરકારી જમીન પર આવતા દબાણ દૂર કરાયા હોવાનું જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું.

જાન્યુઆરી 30, 2025 9:17 એ એમ (AM)

views 7

38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે સ્વિમિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો

38મી નેશનલ ગેમ્સમાં ગુજરાતે સ્વિમિંગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. ઉતરાખંડમાં યોજાયેલી 38મી નેશનલ ગેમ્સમાં ટીમ ગુજરાતે પુરુષોની 400 મીટરની ફ્રી સ્ટાઈલ રીલેમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે.

જાન્યુઆરી 30, 2025 9:16 એ એમ (AM)

views 9

ગુજરાતના ધ્રુવ પટેલે ઈન્દોરની યશવંત ક્લબ ખાતે યોજાયેલી 91મી નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ટાઈટલ જીત્યું

ગુજરાતના ધ્રુવ પટેલે ઈન્દોરની યશવંત ક્લબ ખાતે યોજાયેલી 91મી નેશનલ સ્નૂકર ચેમ્પિયનશિપમાં ટાઈટલ જીત્યું. ધ્રુવે ચંડીગઢના રણવીર દુગ્ગલને 4-3થી હરાવ્યો હતો. આ અગાઉ ટૂર્નામેન્ટમાં અનાયા પટેલે ગર્લ્સ સ્નૂકરનું ટાઈટલ જીત્યું હતું. ભવ્યા પિપલિયાએ સબજુનિયર સ્નૂકર અને બિલિયડર્સમાં રજત ચંદ્રક મેળવ્યો હતો.

જાન્યુઆરી 30, 2025 9:14 એ એમ (AM)

views 10

આજે શહીદ દિન નિમિત્તે દેશભરમાં સવારે ૧૧ કલાકના ટકોરે બે મિનીટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર વીરોનું ઋણ અદા કરાશે

આજે શહીદ દિન નિમિત્તે દેશભરમાં સવારે ૧૧ કલાકના ટકોરે બે મિનીટ મૌન પાળી દેશ માટે પ્રાણની આહૂતિ આપનાર વીરોનું ઋણ અદા કરાશે. સમગ્ર દેશમાં સવારે 11 વાગે કામકાજ અને વાહન વ્યવહારની ગતિને બે મિનીટ માટે સ્થગિત કરી મૌન પાળવા અપીલ કેન્દ્રિય ગૃહ મંત્રાલયે કરી છે. જે સ્થળે સાયરન કે સેનાની તોપની વ્યવસ્થા હોય, ત્...

જાન્યુઆરી 30, 2025 9:07 એ એમ (AM)

views 9

રાજ્યભરમાં આજથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલનારા ‘સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન’ દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે

રાજ્યભરમાં આજથી 13મી ફેબ્રુઆરી સુધી ચાલનારા ‘સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન’ દરમિયાન નાગરિકોમાં રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે કામગીરી કરાશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત જાગૃતિ અભિયાન, આંતરિયાળ વિસ્તારમાં તપાસ અભિયાન, દર મહિને ત્રીજા શુક્રવારે સરવે જેવી વિશેષ ઝૂંબેશ હાથ ધરીને સઘન કામગીરી...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.