પ્રાદેશિક સમાચાર

માર્ચ 17, 2025 7:10 પી એમ(PM)

views 8

અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય બનાવવા અંદાજિત 3 હજાર 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે

અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય કરવા માટે કુલ 3 હજાર 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. વિધાનસભામાં અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિશે મુખ્યમંત્રી વતી વિગતો આપતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગના છ માર્ગીયકરણથી મુસાફરી સમયમાં અંદાજે 30 થી 45 મિનિટ...

માર્ચ 17, 2025 7:08 પી એમ(PM)

views 87

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં 3 હજાર 15 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના બજેટમાં 3 હજાર 15 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઇ છે. જે ગયા વર્ષની સરખામણીએ 700 કરોડ રૂપિયા વધુ છે. આ યોજના હેઠળ વર્ષ 2024-25માં 16 લાખથી વધુ મહિલાઓને 2 હજાર 100 કરોડ રૂપિયાથી વધુની આર્થિક સહાય ચૂકવાઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં આ યોજના હેઠળ વિધવા ...

માર્ચ 17, 2025 7:06 પી એમ(PM)

views 9

મહિલા રોકડ પુરસ્કાર યોજના માટે મહિલા ખેલાડીઓ આવતીકાલથી ઓન લાઇન અરજી કરી શકશે

મહિલા રોકડ પુરસ્કાર યોજના માટે મહિલા ખેલાડીઓ આવતીકાલથી ઓન લાઇન અરજી કરી શકશે. વિવિધ રમતોની રાજયકક્ષાની શાળાકીય સ્પર્ધાઓમાં અંડર ૧૪, ૧૭, ૧૯ વયજૂથમાં ભાગ લેનાર મહિલા ખેલાડી તેમજ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા યોજાયેલી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં રાજયનું પ્રતિનિધિત્વ કરનાર મહિલા ખેલાડીઓ આ પુરસ્ક...

માર્ચ 17, 2025 7:05 પી એમ(PM)

views 22

ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સિંગથી કાયદો અને વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી

ગૃહ રાજ્યમંત્રીએ હર્ષ સંઘવી વિડીયો કોન્ફરન્સિંગથી કાયદો અને વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પોલીસના 100 કલાકના એક્શન પ્લાનની કાર્યવાહી અંગે ચર્ચા કરાઇ હતી. આ બેઠકમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, તમામ પોલીસ કમિશનર રેન્જ IG અને જિલ્લા પોલીસ વડા જોડા...

માર્ચ 17, 2025 7:03 પી એમ(PM)

views 11

લખનઉ ડિવિઝનમાં ચાલતાં સમારકામને પગલે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ

લખનઉ ડિવિઝનમાં ચાલતાં સમારકામને પગલે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો સંપૂર્ણપણે રદ થયેલ છે, જે મુજબ 21 અને 28 માર્ચ તેમજ 4, 11, 18, 25 એપ્રિલના રોજ ગાંધીધામથી ઊપડતી ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેન રદ રહેશે, અને 21 અને 28માર્ચ તેમજ 4, 11, 18, 25 એપ્રિલે અમદાવાદથી ઊપડતી અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન રદ...

માર્ચ 17, 2025 7:02 પી એમ(PM)

views 17

કચ્છ જિલ્લાના રણકાંધી વિસ્તારના કેટલાંક ગામડાંઓમાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના નોંધાઈ

કચ્છ જિલ્લાના રણકાંધી વિસ્તારના કેટલાંક ગામડાંઓમાં એક વિશિષ્ટ ખગોળીય ઘટના નોંધાઈ છે. કચ્છના આકાશમાં વહેલી સવારે 3 વાગીને 12 મીનીટે અચાનક તેજસ્વી પ્રકાશ પૂંજ જોવા મળ્યો હતો. કેટલીક ક્ષણો માટે દિવસ ઊગી નીકળ્યો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. આ ઘટના વિવિધ સીસીટીવી કેમેરાઓમાં પણ કેદ થઈ હતી. જાણીતા ખગોળશ...

માર્ચ 17, 2025 6:26 પી એમ(PM)

views 16

ઉત્તર તથા ઉત્તર પૂર્વના પવનોને કારણે આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડા સ્થિતિ યથાવત રહેશે

ઉત્તર તથા ઉત્તર પૂર્વના પવનોને કારણે આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડા સ્થિતિ યથાવત રહેશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારાનો અનુભવ થઈ શકે છે. આ અંગે હવામાન વિભાગના નિયામક એ કે દાસે વધુમાહિતી આપી.

માર્ચ 17, 2025 6:24 પી એમ(PM)

views 24

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી છે.પડતર પ્રશ્નનો નિકાલ કરવા તેમજ પગાર અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતની માંગણીઓને લઇને આ હડતાળ કરાઇ હતી.બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે આ હડતાળમાં જીલ્લાના એક હજાર ચારસો જેટલા આરોગ્ય કર્મીઓ હડતાળમાં જોડાય...

માર્ચ 17, 2025 6:22 પી એમ(PM)

views 25

વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી

વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી હતી જેમાં મંત્રીઓએ ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે 17 હજાર 695 કેસ કરી 309 કરોડ 25 લાખ રૂપિયાની વસુલાત કરાઈ છે. શ્રી રાજપૂતે ઉમેર્યું કે, છેલ્...

માર્ચ 17, 2025 6:18 પી એમ(PM)

views 21

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગતમંદિર ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગતમંદિર ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. ઉલ્લેખનીય છે કે હોળાષ્ટકની શરૂઆતથી જ અનેક શ્રદ્ધાળુ પગપાળા દ્વારકા આવી ફૂલડોલ ઉત્સવમાં જોડાયા હતા. આ અંગે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે વધુ માહિતી આપી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.