રાષ્ટ્રીય

જાન્યુઆરી 5, 2025 8:57 એ એમ (AM)

views 11

કુંભ મેળા માટે રેલવે 13 હજાર ટ્રેનો દોડાવશે. તેમાંથી 3 હજાર વિશેષ ટ્રેનો હશે.

કુંભ મેળા માટે રેલવે 13 હજાર ટ્રેનો દોડાવશે. તેમાંથી 3 હજાર વિશેષ ટ્રેનો હશે. આ ટ્રેનો મહા કુંભ દરમિયાન 50 દિવસથી વધુ ચાલશે. તેમાં મેળા પછીના બે-ત્રણ દિવસનો પણ સમાવેશ થાય છે. મહાકુંભમાં લગભગ 40 કરોડ લોકો હાજરી આપે તેવી શક્યતા છે.ઉત્તર મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું હત...

જાન્યુઆરી 5, 2025 8:49 એ એમ (AM)

views 13

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન બે દિવસીય ભારતની મુલાકાતે આજે નવી દિલ્હી આવશે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાન બે દિવસીય ભારતની મુલાકાતે આજે નવી દિલ્હી આવશે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે વાતચીત કરશે. બંને નેતાઓ અવકાશ, સંરક્ષણ અને વ્યૂહાત્મક ટેક્નોલોજી સહકાર સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેમની મુલાકાત દરમિયાન શ્રી સુલિવાન, વિદેશ મંત્રી એસ જ...

જાન્યુઆરી 5, 2025 8:42 એ એમ (AM)

views 8

છેલ્લા કેટલાક સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક યોજી હતી.

છેલ્લા કેટલાક સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધી રોગોના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપની બેઠક યોજી હતી.ગઈકાલે નવી દિલ્હીમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. વિગતવાર ચર્ચા અને હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે, એ વાત પર સહમતિ સધાઈ હત...

જાન્યુઆરી 5, 2025 8:40 એ એમ (AM)

views 20

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ઉત્પાદન અને વપરાશ કરતા રાજ્યો વચ્ચેના ભાવનો તફાવત દૂર કરવા માટે પરિવહન અને સંગ્રહનો ખર્ચ ઉઠાવશે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે સરકાર ઉત્પાદન અને વપરાશ કરતા રાજ્યો વચ્ચેના ભાવનો તફાવત દૂર કરવા માટે પરિવહન અને સંગ્રહનો ખર્ચ ઉઠાવશે. ગઇકાલે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કૃષિ મંત્રી સાથેની સમીક્ષા બેઠક દરમિયાન શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે આ વર્ષે કૃષિ...

જાન્યુઆરી 5, 2025 8:38 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં 12 હજાર 200 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન -ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હીમાં 12 હજાર 200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 4 હજાર 600 કરોડ રૂપિયાના સાહિબાબાદ અને ન્યૂ અશોક નગર વચ્ચેના દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ,નમો ભારત કોરિડોરના,13 કિલોમીટરના પટ્ટાનું પણ પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવા...

જાન્યુઆરી 4, 2025 8:15 પી એમ(PM)

views 4

દેશના પરમાણુ કાર્યક્રમના મુખ્ય શિલ્પકાર અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.રાજગોપાલ ચિદમ્બરમનું આજે મુંબઇમાં અવસાન થયું

દેશના પરમાણુ કાર્યક્રમના મુખ્ય શિલ્પકાર અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.રાજગોપાલ ચિદમ્બરમનું આજે મુંબઇમાં અવસાન થયું છે. તેઓ 88 વર્ષના હતાં. ભારતે વર્ષ 1974 અને 1998મા પોખરણ ખાતે હાથ ધરેલા સફળ પરમાણુ પરિક્ષણમાં ડો.ચિદમ્બરમે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સફળ પરિક્ષણના પગલે ભારતે વિશ્વના પરમાણુ દેશોના જૂથમાં સ્થ...

જાન્યુઆરી 4, 2025 8:14 પી એમ(PM)

views 45

કેન્દ્ર સરકાર મહિલા કેન્દ્રીત સંશોધન અને વિકાસના કાર્યક્મોને અગ્રતા આપી રહી છે

કેન્દ્ર સરકાર મહિલા કેન્દ્રીત સંશોધન અને વિકાસના કાર્યક્મોને અગ્રતા આપી રહી છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જીતેન્દ્ર સિહે દિલ્હીમાં વિજ્ઞાન અને ઔદ્યોગિક સંશોધન વિભાગ - DSIR ના 40મા સ્થાપના દિવસનીસ ઉજવણીમાં સંબોધન કરતાં આ મુજબ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં DSIR સંસ્થાના વિવિધ સંશોધન અને ...

જાન્યુઆરી 4, 2025 8:13 પી એમ(PM)

views 6

પંજાબના બરનાલા ખાતે આજે થયેલા માર્ગ અકસ્માતમાં ખેડૂત સંગઠનની ત્રણ મહિલા કાર્યકરોના મોત નીપજ્યા

પંજાબના બરનાલા ખાતે આજે થયેલા માર્ગ અકસ્માતમાં ખેડૂત સંગઠનની ત્રણ મહિલા કાર્યકરોના મોત નીપજ્યા છે, અને 30 મુસાફરોને ઇજા થઇ છે. પોલીસના જણાવ્યા મુજબ ગાઢ ધુમ્મસના લીધી આ અકસ્માત થયો હતો. જેમાં હરિયાણામાં યોજાનારી કિસાન મહાપંચાયતમાં ભાગ લેવા જઇ રહેલ ત્રણ મહિલા કાર્યકરોના મૃત્યુ થયા છે. આ અકસ્માતમાં ઇજા...

જાન્યુઆરી 4, 2025 8:12 પી એમ(PM)

views 10

હવામાન વિભાગે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં આજે રાતથી સોમવાર સુધી ભારે હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી

હવામાન વિભાગે કાશ્મીરના ઘણા વિસ્તારોમાં આજે રાતથી સોમવાર સુધી ભારે હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના મેદાની પ્રદેશોમાં હળવાથી મધ્યમ હિમવર્ષાની સાથે સાથે કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની પણ સંભાવના છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમા...

જાન્યુઆરી 4, 2025 8:11 પી એમ(PM)

views 10

કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ વધારવા માટે વધુ ભંડોળ ફાળવવા વિચારણા હાથ ધરી છે

કેન્દ્ર સરકારે શિક્ષણ ક્ષેત્રે માળખાકીય સુવિધાઓ વધારવા માટે વધુ ભંડોળ ફાળવવા વિચારણા હાથ ધરી છે. આજે દિલ્હી યુનિવર્સિટીમાં સમર્પણ સમારોહનું ઉદ્દઘાટન કરતાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓની દિલ્હી યુનિવર્સિટી પહેલી પસંદગી રહી છે. તેમણે વિશ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.