ફેબ્રુવારી 27, 2025 8:18 પી એમ(PM)

views 24

પ્રધાનમંત્રીએ મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી

પ્રયાગરાજ મહાકુંભ 45 દિવસ પછી મહાશિવરાત્રીના દિવસે અંતિમ સ્નાન સાથે સમાપ્ત થયું. વિશ્વના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમમાં, ભારત અને વિશ્વભરના 66 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. આ કાર્યક્રમની સફળતા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દૃઢ નિશ્ચયની પ્રશંસા કરી. પ્રધ...

ફેબ્રુવારી 27, 2025 8:02 પી એમ(PM)

views 13

આકાશવાણીના અમદાવાદ કેન્દ્રની મુલાકાતે આવેલા પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સેહગલે રેડિયોની પહોંચ વધારવા પર ભાર મૂક્યો

પ્રસાર ભારતીના ચેરમેન નવનીત કુમાર સેહગલે યુવાનોને જોડવાના અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રેડિયોની પહોંચ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા સેહગલે આજે આકાશવાણી અમદાવાદની મુલાકાત લીધી હતી. સેહગલે સ્ટેશનના સ્ટુડિયો, સમાચાર અને કાર્યક્રમ એકમોની કામગીરીની સમીક્ષા કરી.સેહ...

ફેબ્રુવારી 27, 2025 7:59 પી એમ(PM)

views 17

રાજ્યના તમામ તાલુકાઓમાં GIDCનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક-વિધાનસભામાં ઉદ્યોગ મંત્રીનો જવાબ

રાજ્યના છેવાડાના તાલુકાઓમાં ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ GIDCનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય છે. વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલ પ્રશ્નનો જવાબ આપતા ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ મુજબ જણાવ્યું. રાજપૂતે ઉમેર્યું કે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં 7 પ્લોટ અને 4 શેડ તેમજ પાવી જેતપ...

ફેબ્રુવારી 27, 2025 7:55 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ NIDનાં પદવીદાન સમારોહમાં આધુનિક પ્રશ્નોના નવતર ઉકેલ શોધવામાં ડિઝાઇન ક્ષેત્રની ભૂમિકાને મહત્વની ગણાવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અમદાવાદની રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા-NIDના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થા NIDનો 44મો પદવીદાન સમારોહ યોજાયો. આ પ્રસંગે શ્રીમતી મુર્મૂએ આધુનિક પ્રશ્નોના નવતર ઉકેલ શોધવામાં ડિઝાઇન ક્ષેત્રની ભૂમિકા મહત્વની હ...

ફેબ્રુવારી 27, 2025 3:01 પી એમ(PM)

views 12

સુરતના કાપડ માર્કેટમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવાના યુધ્ધના ધોરણે પ્રયાસ થઇ રહ્યાં હોવાનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું

સુરતના કાપડ માર્કેટમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવાના યુધ્ધના ધોરણે પ્રયાસ થઇ રહ્યાં હોવાનું ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું. તેમણે કહ્યું કે આગને કાબૂમાં લેવા માટે ઔધોગિક કંપનીઓના ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઇ રહી છે. તેમણે ઉમેર્યુ હતું કે છેલ્લા થોડા સમયથી આગ કાબૂમાં આવી રહી છે. મુખ્યમંત્ર...

ફેબ્રુવારી 27, 2025 2:59 પી એમ(PM)

views 29

તમામને શિક્ષણના અધિકાર RTE ના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

તમામને શિક્ષણના અધિકાર RTE ના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.નબળા અને વંચિત પરિવારના બાળકો ખાનગી શાળામાં નિઃશુલ્ક ભણી શકે તે માટે આરટીઇ કાયદા મુજબ પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવી છે. તે માટે જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ માટે આવતીકાલ...

ફેબ્રુવારી 27, 2025 2:22 પી એમ(PM)

views 18

ICC ટ્રોફીમાં આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C. ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મૅચ ભારતીય સમય મુજબ, બપોરે અઢી વાગ્યે શરૂ થશે.ગઈકાલે લાહોરમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લૅન્ડને 8 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ઇંગ્લેન્ડની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ...

ફેબ્રુવારી 27, 2025 2:11 પી એમ(PM)

views 12

ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહ યોજાશે

ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા આજે નવી દિલ્હીમાં પ્રાણી મિત્ર અને જીવ દયા પુરસ્કાર સમારોહ યોજાશે. આ સમારોહમાં પ્રાણી કલ્યાણ અને સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન બદલ ઉત્કૃષ્ટ વ્યક્તિઓ અને સંગઠનોને સન્માનિત કરાશે.આ પુરસ્કારોને પ્રાણી મિત્ર પુરસ્કાર અને જીવ દયા પુરસ્કાર એમ બે પ્રાથમિક શ્રેણીમાં વહેંચવામાં આ...

ફેબ્રુવારી 27, 2025 2:06 પી એમ(PM)

views 42

ICC ટ્રોફીમાં આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો, WPLમાં RCB અને અને ગુજરાત જાયન્ટ્સ ટકરાશે

આંતર-રાષ્ટ્રીય ક્રિકેટ પરિસદ- I.C.C. ચૅમ્પિયન્સ ટ્રૉફી ક્રિકેટમાં આજે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં મૅચ ભારતીય સમય મુજબ, બપોરે અઢી વાગ્યે શરૂ થશે.ગઈકાલે લાહોરમાં રમાયેલી મેચમાં અફઘાનિસ્તાને ઇંગ્લૅન્ડને 8 રનથી પરાજય આપ્યો હતો. આ સાથે ઇંગ્લેન્ડની ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ...

ફેબ્રુવારી 27, 2025 2:03 પી એમ(PM)

views 23

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં ભારતરત્ન નાનાજી દેશમુખની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મધ્યપ્રદેશમાં સતના જિલ્લાના ચિત્રકૂટમાં ભારતરત્ન નાનાજી દેશમુખની 15મી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દીનદયાળ સંશોધન સંસ્થાન દ્વારા દીનદયાળ પરિસર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવ પણ હાજર રહેશે. દીનદયાળ સંશોધ...