રાષ્ટ્રીય

ડિસેમ્બર 8, 2024 2:10 પી એમ(PM)

views 22

બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી

બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હાર આપી છે. એડિલેડ ઓવલ ખાતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં યજમાન ટીમે તેની બીજી ઇનિંગમાં ભારતને 175 રનમાં આઉટ કર્યું હતું. આજે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે 5 વિકેટે 128 રનથી ઈનિંગ ફરી શરૂ કરતા 12.5 ઓવરમાં 47 રનમાં બાકીની પાંચ વિકેટ ગુ...

ડિસેમ્બર 8, 2024 2:09 પી એમ(PM)

views 25

સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ રાજધાનીમાં બળવાખોરો ઘૂસ્યા હોવાની જાહેરાત બાદ દમાસ્કસ છોડી ગયા

સીરિયામાં વિદ્રોહી દળોએ રાજધાની દમિશ્ક પર કબજો કરવાનો દાવો કર્યો છે. તેમને સરકારી સુરક્ષા દળો તરફથી કોઈ પ્રતિકારનો સામનો કર્યો નથી. મીડિયા અહેવાલો અનુસાર સીરિયામાં 24 વર્ષ સુધી શાસન કર્યા બાદ રાષ્ટ્રપતિ બશર-અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ અસદ વિમાન દ્વારા કોઈ અજાણ્યા સ્થળે રવાના થયા છે. બ્...

ડિસેમ્બર 8, 2024 2:07 પી એમ(PM)

views 8

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે, અમેરિકન ડોલર સાથે સ્પર્ધા કરવા માટે નવા બ્રિક્સ ચલણ શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી

વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું છે કે, અમેરિકન ડોલર સાથે સ્પર્ધા કરવા માટે નવા બ્રિક્સ ચલણ શરૂ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી. કતારમાં દોહા ફોરમને સંબોધતા તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોનો અમેરિકન ડોલરને નબળો પાડવાનો કોઈ ઈરાદો નથી. ડૉ. જયશંકરે એમ પણ કહ્યું કે બ્રિક્સ દેશો આ મુદ્દે એકમત નથી. એક અઠવાડિયા પહેલા...

ડિસેમ્બર 8, 2024 2:04 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, 2047 સુધીમાં ભારત વિશ્વના ટોચના 10 દરિયાઈ વેપારી દેશોમાં સામેલ થઈ જશે

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, 2047 સુધીમાં ભારત વિશ્વના ટોચના 10 દરિયાઈ વેપારી દેશોમાં સામેલ થઈ જશે. કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે ભારત બંદરોમાં માલવાહક પરિવહન માટે કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં ઝડપથી વધારો કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્...

ડિસેમ્બર 8, 2024 8:54 એ એમ (AM)

views 32

સીમા સુરક્ષા દળ BSF આજે જોધપુરમાં તેનો સાઈઠમો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે.

સીમા સુરક્ષા દળ BSF આજે જોધપુરમાં તેનો સાઈઠમો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રથમ વખત, સીમા સુરક્ષા દળ રાજસ્થાન સીમાંત મુખ્યાલય જોધપુરમાં સ્થાપન દિવસની પરેડનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષ સીમા સુરક્ષા દળનું હીરક જયંતી વર્ષ પ...

ડિસેમ્બર 8, 2024 8:52 એ એમ (AM)

views 8

ઇશાન વિસ્તાર વિભાગના મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, વિશ્વમાં વિકાસશીલ દેશોનું મહત્વ વધી રહ્યું છે.

ઇશાન વિસ્તાર વિભાગના મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, વિશ્વમાં વિકાસશીલ દેશોનું મહત્વ વધી રહ્યું છે. ત્યારે ઇશાન ભારત દેશના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ગઈકાલે દિલ્હીમાં ઉજવાઇ રહેલા અષ્ટલક્ષ્મી મહોત્સવના ભાગરૂપે યોજાયેલા ચર્ચા સત્રમાં તેઓ બોલી રહ્યા હતા. શ્રી સિંધિયાએ જણાવ્યું કે, ક...

ડિસેમ્બર 8, 2024 8:51 એ એમ (AM)

views 12

પૂર્વ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના સન્માન માટે દિલ્હીના ભારત મંડપમ ખાતે ત્રિ-દિવસીય અષ્ટલક્ષ્મી મહોત્સવનો આજે સમાપન દિવસ છે.

પૂર્વ ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના સન્માન માટે દિલ્હીના ભારત મંડપમ ખાતે ત્રિ-દિવસીય અષ્ટલક્ષ્મી મહોત્સવનો આજે સમાપન દિવસ છે. આ કાર્યક્રમનો હેતુ આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને સિક્કિમની સુંદરતા અને વિવિધતા દર્શાવવાનો છે. 250 થી વધુ કારીગરોએ આ મહોત્સવમ...

ડિસેમ્બર 8, 2024 8:49 એ એમ (AM)

views 8

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે.

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય ટીમ જ્યોતિ સિંહની કપ્તાનીમાં રમશે અને સાક્ષી રાણા ઉપ કપ્તાન હશે. ગઈકાલે સ્પર્ધાના ગ્રૂપ-Aમાં ચીને બાંગ્લાદેશને 19-0થી જ્યારે મલેશિયાએ થાઈલેન્ડને 3-0થી પરાજય આપ્યો હતો. ગ્રૂપ-Bમાં જાપાન...

ડિસેમ્બર 8, 2024 8:47 એ એમ (AM)

views 12

સીરિયામાં વિદ્રોહી સેનાએ રાજધાની દમિશ્ક પર કબજો કરવા ઘેરાબંધી શરૂ કરી છે.

સીરિયામાં વિદ્રોહી સેનાએ રાજધાની દમિશ્ક પર કબજો કરવા ઘેરાબંધી શરૂ કરી છે. વર્ષ 2018 બાદથી રાજધાનીને પ્રથમ વખત આવા જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. બળવાખોર સેનાના પ્રવક્તા હસન અબ્દુલ ગનીએ એક ટેલિગ્રામમાં જણાવ્યું હતું કે, દમિશ્કને કબજે કરવાના અભિયાનનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. વર્ષ 2018માં સરકારી દળ...

ડિસેમ્બર 8, 2024 8:46 એ એમ (AM)

views 14

વિદેશ મંત્રી એસ. જયશંકર મનામા સંવાદમાં ભાગ લેવા ગઈકાલે રાત્રે બહેરીનની રાજધાની મનામા પહોંચ્યા હતા.

વિદેશ મંત્રી એસ. જયશંકર મનામા સંવાદમાં ભાગ લેવા ગઈકાલે રાત્રે બહેરીનની રાજધાની મનામા પહોંચ્યા હતા. આ અગાઉ વિદેશ મંત્રીએ દોહામાં મહત્વપૂર્ણ રાજદ્વારી વાટાઘાટોમાં ભાગ લીધો હતો. આ ભાગીદારી પ્રાદેશિક અને વૈશ્વિક પડકારોનો સામનો કરવાના ભારતના પ્રયાસોને રેખાંકિત કરે છે. બહેરીનના વિદેશમંત્રી ડો. અબ્દુલ લતીફ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.