રાષ્ટ્રીય

માર્ચ 18, 2025 1:58 પી એમ(PM)

views 41

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઊભરતા ભારતની ચેતનાના દર્શન થયા હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં ઊભરતા ભારતની ચેતના જોવા મળી હતી અને સમગ્ર વિશ્વએ ભારતની તાકાતને જોઇ. તેમણે જણાવ્યું કે, અનેકતામાં એકતા એ ભારતની વિશેષતા છે. લોકસભામાં નિવેદન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, જ્યારે સમગ્ર વિશ્વ પડકારજનક સમયમાંથી પસાર થઈ ર...

માર્ચ 18, 2025 1:56 પી એમ(PM)

views 14

વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતર-રાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મુક્યો

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે નિષ્પક્ષ અને મજબૂત આંતર-રાષ્ટ્રીય વ્યવસ્થાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. નવી દિલ્હીમાં આજે રાયસીના સંવાદના એક સત્રમાં સંબોધિત કરતાં તેમણે કહ્યું, એક મજબૂત વૈશ્વિક વ્યવસ્થાનો અભાવ એ માત્ર શક્તિશાળી દેશોને તો લાભ પહોંચાડે જ છે, પરંતુ નાના દેશોને જોખમ ઉઠાવવા અને સ્...

માર્ચ 17, 2025 7:43 પી એમ(PM)

views 10

ભારત અને ન્યુઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા

ભારત અને ન્યુઝીલેન્ડે સંરક્ષણ, શિક્ષણ, રમતગમત, બાગાયત અને વનીકરણ ક્ષેત્રે પાંચ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. બંને પક્ષોએ અધિકૃત આર્થિક પરસ્પર માન્યતા કરારનું પણ આદાનપ્રદાન કર્યું. આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ન્યુઝીલેન્ડ સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો બાદ ...

માર્ચ 17, 2025 7:40 પી એમ(PM)

views 58

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ 2025નું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના ન્યુઝીલેન્ડ સમકક્ષ ક્રિસ્ટોફર લક્સને આજે સાંજે નવી દિલ્હીમાં સંયુક્ત રીતે રાયસીના ડાયલોગ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી લક્સને પોતાના લંબોધનમાં કહ્યું કે, ભારત અને ન્યુઝીલેન્ડ ભાગ્યશાળી છે કે તેઓ વિશ્વના સૌથી આર્થિક રીતે ગતિશીલ ક્ષેત્રનો ભાગ છે. તેમણે કહ્યું ક...

માર્ચ 17, 2025 7:37 પી એમ(PM)

views 7

રેલવેએ છેલ્લા 10 વર્ષમાં 5 લાખ નોકરીઓનું સર્જન કર્યું : રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સરકારે રેલ માળખાને સુધારવા અને મુસાફરોને આરામદાયક અને સસ્તી મુસાફરી પૂરી પાડવા માટે અનેક પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે રેલવેએ છેલ્લા 10 વર્ષમાં 5 લાખ નોકરીઓનું સર્જન કર્યું છે, અને દેશમાં રેલવે અકસ્માતો ઘટાડવા પર સતત ધ્યાન કેન્દ્રિત કર્યું છે. મંત્રી ...

માર્ચ 17, 2025 7:33 પી એમ(PM)

views 9

કરદાતાઓને સુવિધા આપવા માટે, 31 માર્ચ 2025 ના રોજ જાહેર રજા હોવા છતાં, બધી બેંકો ખુલ્લી રહેશે

કરદાતાઓને સુવિધા આપવા માટે, 31 માર્ચ 2025 ના રોજ જાહેર રજા હોવા છતાં, બધી બેંકો ખુલ્લી રહેશે. આજે જારી કરાયેલા એક જાહેરનામામાં, રિઝર્વ બેંકે કહ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં જ સરકારી રસીદો અને ચૂકવણીના હિસાબને સરળ બનાવવા માટે દેશભરમાં ખાસ ક્લિયરિંગ કામગીરી હાથ ધરવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાંઆવી છે...

માર્ચ 17, 2025 6:49 પી એમ(PM)

views 11

સરકારે 2014 થી 234 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરીને વીજળીની અછતના ગંભીર મુદ્દાને નિવારવાનો પ્રયાસ કર્યો

રાજ્યમંત્રી શ્રીપદ નાઈકે કહ્યું છે કે સરકારે 2014 થી 234 ગીગાવોટ ઉત્પાદન ક્ષમતા ઉમેરીને વીજળીની અછતના ગંભીર મુદ્દાને નિવારવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, શ્રીનાઈકે જણાવ્યું હતું કે, સરકારે દેશને વીજળીની અછતમાંથી પૂરતી વીજળીમાં પરિવર્તિત કર્યો છે. તેમણે કહ્યું કે, વીજળીના...

માર્ચ 17, 2025 6:42 પી એમ(PM)

views 12

ગયા મહિને ફુગાવો સામાન્ય વધારા સાથે 2.38 ટકા થયો

ગયા મહિને ફુગાવો સામાન્ય વધારા સાથે 2.38 ટકા થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ ફેબ્રુઆરીમાં ફુગાવાનો વધારો મુખ્યત્વે વનસ્પતિ તેલ અને પીણાં જેવી ઉત્પાદિત ખાદ્ય ચીજોના ભાવ વધારાને કારણે છે. આ વર્ષે જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક 2.31 ટકા હતો. માહિતી મુજબ, ફેબ્ર...

માર્ચ 17, 2025 6:39 પી એમ(PM)

views 13

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગબાર્ડ સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન, બંને નેતાઓએ વ્યૂહાત્મક સુરક્ષા બંને દેશો વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક સહયોગનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ હોવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો.શ્રી સિંહ અને શ્રીમતી ગબાર્ડે ભ...

માર્ચ 17, 2025 6:36 પી એમ(PM)

views 14

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક આતંકવાદી ઠાર મરાયો છે.આજે વહેલી સવારે આ અથડામણ શરૂ થઈ હતી. સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો, જેનો જવાબ આપવામાં આવ્યો હતો અને એક આતંકવાદી ઠાર મરાયો હતો. અથડામ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.