માર્ચ 5, 2025 7:47 પી એમ(PM)

views 24

સરકારે રોકાણમાં નાગરીકો, અર્થતંત્ર, ઉદ્યોગ, નવીનતા તેમજ માળખાગત સુવિધાઓને પ્રાથમિકતા આપી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સરકારે રોકાણમાં લોકો, અર્થતંત્ર અને નવીનતા તેમજ માળખાગત સુવિધાઓ અને ઉદ્યોગને પ્રાથમિકતા આપી છે. રોજગાર અંગેનાં બજેટ પછીના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે લોકોમાં રોકાણ કરવાનો ધ્યેય ત્રણ સ્તંભો શિક્ષણ, કૌશલ્ય અને આરોગ્ય સંભાળ પર આધારિત છે તેમણે કહ્યું ક...

માર્ચ 5, 2025 7:37 પી એમ(PM)

views 22

કેન્દ્ર સરકારે સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી

કેન્દ્ર સરકારે ૧૨.૯ કિલોમીટર લાંબા સોનપ્રયાગથી કેદારનાથ રોપવેના વિકાસને મંજૂરી આપી છે, આજે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ચાર હજાર કરોડ રૂપિયાથી વધુ થશે. તેમણે કહ્યું કે આ રોપવેથી યાત્રાળુઓનો મુસાફરીનો સમય 8 થી 9 ...

માર્ચ 5, 2025 7:35 પી એમ(PM)

views 7

IRFC ને નવરત્નનો દરજ્જો કંપનીની નાણાકીય શક્તિ અને રેલ્વે માળખાગત સુવિધાઓને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે

ભારતીય રેલ્વે નાણાકીય કોર્પોરેશન-IRFCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ કુમાર દુબેએ જણાવ્યું છે કે IRFC ને નવરત્નનો દરજ્જો કંપનીની નાણાકીય શક્તિ અને રેલ્વે માળખાગત સુવિધાઓને ટેકો આપવાની તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી દુબેએ જણાવ્યું હતું કે ભારત અમૃત કાળમા...

માર્ચ 5, 2025 7:27 પી એમ(PM)

views 12

નીતિ આયોગે નવી દિલ્હીમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ઝડપી વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસરો અંગે વ્યૂહાત્મક પેપર બહાર પાડ્યું

નીતિ આયોગે આજે નવી દિલ્હીમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ઝડપી વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસરો અંગે વ્યૂહાત્મક પેપર બહાર પાડ્યું. પત્ર બહાર પાડતા, નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રમણ્યમે દેશની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે ઉભરતી ટેકનોલોજીઓને સક્રિયપણે અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું...

માર્ચ 5, 2025 7:26 પી એમ(PM)

views 16

નવીનતા, સમાવેશકતા, ટકાઉ વિકાસ એ ભારતનો મુખ્ય મંત્ર છે :સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા

સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે નવીનતા, સમાવેશકતા, ટકાઉ વિકાસ એ ભારતનો મુખ્ય મંત્ર છે. સ્પેનના બાર્સેલોનામાં મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસને સંબોધતા, શ્રી સિંધિયાએ દેશના દરેક નાગરિકની સેવા કરવામાં આધાર અને ભારતનેટની સફળતાનો ઉલ્લેખ કર્યો. મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ 2025 દરમિયાન, શ્રી સિ...

માર્ચ 5, 2025 7:24 પી એમ(PM)

views 9

દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ સાહિબ સિંહે રાષ્ટ્રીય રાજધાનીમાં યમુના નદીનું નિરીક્ષણ કર્યું

દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી પરવેશ સાહિબ સિંહે આજે રાષ્ટ્રીય રાજધાનીમાં યમુના નદીનું નિરીક્ષણ કર્યું. નદીનું નિરીક્ષણ કર્યા પછી, તેમણે કહ્યું કે છેલ્લા 10 દિવસમાં નદીમાંથી તેરસો ટન કચરો દૂર કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર યુમના નદીમાં ફેરી સેવાઓ શરૂ કરશે. જેના માટે સરકાર એક સમજૂતી...

માર્ચ 5, 2025 7:23 પી એમ(PM)

views 7

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું

પંજાબના અમૃતસરનાં જંડિયાલાના એક ગામમાંથી પોલીસે 23 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. પોલીસ ઉપ મહાનિરીક્ષક સતિન્દર સિંહે જણાવ્યું હતું કે અગાઉથી મળેલી માહિતીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 23 જેટલા હેરોઇનનાં પેકેટ મળી આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોલીસે આરોપીને પકડવા માટે તપાસ હાથ ...

માર્ચ 5, 2025 7:22 પી એમ(PM)

views 13

ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

ઓસ્ટ્રેલિયાનાં દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ ટેસ્ટ અને ટી20 ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. સ્ટીવ સ્મિથનો આ નિર્ણય ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની ભારત સામે ચાર વિકેટથી હાર બાદ આવ્યો છે. સ્મિથે ૧૭૦ એકદિવસીય મેચમાં ૪૩.૨૮...

માર્ચ 5, 2025 7:21 પી એમ(PM)

views 13

ઓગસ્ટ 2021માં કાબુલ વિમાનીમથક પર બોમ્બ વિસ્ફોટ કરનાર આરોપી આતંકવાદીને પકડી લેવામાં આવ્યો : ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઓગસ્ટ 2021માં કાબુલ વિમાનીમથક પર બોમ્બ વિસ્ફોટ કરનાર આરોપી આતંકવાદીને પકડી લેવામાં આવ્યો છે. તેને અમેરિકા લાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે એબી ગેટ પરના હુમલા માટે ઇસ્લામિક આતંકવાદીઓ જવાબદાર હતા. અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પરત ફરી રહ્યું હતું ત્યારે...

માર્ચ 5, 2025 7:19 પી એમ(PM)

views 10

સરકારી યોજનાઓને જમીની સ્તરે લાગુ કરવામાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે :પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલ

પંચાયતી રાજ રાજ્યમંત્રી પ્રો. એસ.પી. સિંહ બઘેલે કહ્યું છે કે સરકારી યોજનાઓને જમીની સ્તરે લાગુ કરવામાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પરિષદમાં પંચાયતી રાજ મંત્રાલયની મોડેલ મહિલા-મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ કરાવતાં તેમણે પંચાયતોની કાર્યશૈલી પર...