માર્ચ 11, 2025 7:12 પી એમ(PM)

views 27

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલના પુનઃવિકાસના બીજા તબક્કાની કામગીરી માટે અંદાજે રૂપિયા એક હજાર ત્રણ કરોડના કામોની મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલના પુનઃવિકાસના બીજા તબક્કાની કામગીરી માટે અંદાજે રૂપિયા એક હજાર ત્રણ કરોડના કામોની મંજૂરી આપી છે. જેમાં સરદાર પટેલ રીંગ રોડથી નરોડા સ્મશાન ગૃહ, વિંઝોલ વહેળાથી ઘોડાસર સુધી તેમ જ ઘોડાસરથી વટવા ગામ અને વટવા ગામથી સરદાર પટેલ રીંગ રોડ સુધીની ...

માર્ચ 11, 2025 7:09 પી એમ(PM)

views 16

વિધાનસભામાં આજે માર્ગ અને મકાન વિભાગની 24 હજાર 705 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માગણીઓ મંજૂર

વિધાનસભા ગૃહમાં માર્ગ અને મકાન વિભાગની વર્ષ 2025-26ની 24 હજાર 705 કરોડ રૂપિયાની અંદાજપત્રીય માગણીઓ મંજૂર કરવામાં આવી છે. ગૃહમાં મુખ્યમંત્રી વતી માગણીઓ રજૂ કરતા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું, માર્ગ અને મકાન વિભાગની માંગણીઓમાં ગત વર્ષની સરખામણીએ બે હજાર 542 કરોડ એટલે કે, 11.47 ટકા જેટલો વધારો...

માર્ચ 11, 2025 7:05 પી એમ(PM)

views 14

રાજ્યનાં 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં આ વર્ષો રોડ-રસ્તાના વિકાસ કામ માટે બે કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન અપાશે

રાજ્યનાં 14 મહિલા ધારાસભ્યોને તેમના મતવિસ્તારમાં આ વર્ષો રોડ-રસ્તાના વિકાસ કામ માટે બે કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન અપાશે. આ અનુદાનમાંથી 50 લાખ રૂપિયા ‘કેચ ધ રેઈન’ એટલે કે, વરસાદી પાણીના સંગ્રહ અભિયાનના કામ માટે ઉપયોગમાં લેવા મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો હતો. ગુજરાત વિધાનસભામાં હાલમાં 14 મહિલાઓ ધારાસ...

માર્ચ 11, 2025 7:04 પી એમ(PM)

views 7

માહિતીનો અધિકાર- R.T.I. કાયદાનો દૂરૂપયોગ કરી નિર્દોષ લોકોને છેતરતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે

માહિતીનો અધિકાર- R.T.I. કાયદાનો દૂરૂપયોગ કરી નિર્દોષ લોકોને છેતરતા લોકો સામે કડક કાર્યવાહી કરાશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં આ અંગે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું, “રાજ્યભરમાં આ કાયદાનો દૂરુપયોગ કરનારા લોકો સામે 67 ગુના નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી છે. આવનારા દિવસોમાં પણ આવા લોકો સા...

માર્ચ 11, 2025 7:03 પી એમ(PM)

views 11

ગાંધીનગરમાં આવતીકાલે ગુજરાત વિધાનસભાની સામે ધૂળેટી પર્વની ઉજવણી કરાશે

ગાંધીનગરમાં આવતીકાલે ગુજરાત વિધાનસભાની સામે ધૂળેટી પર્વની ઉજવણી કરાશે તેમ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરાત કરી છે. વિધાનસભા પરિસરમાં રંગોત્સવ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ રંગોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો જોડાશે.

માર્ચ 11, 2025 7:02 પી એમ(PM)

views 9

રાજ્યના 19 જિલ્લામાં આગામી 48 કલાક સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, હીટવેવની આગાહી

રાજ્યના 19 જિલ્લામાં આગામી 48 કલાક સુધી અતિશય ગરમીનું મોજું ફરી વળવાની એટલે કે, હીટવેવની આગાહી છે. હાલમાં અનેક જિલ્લામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં પાંચથી આઠ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે. બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમ...

માર્ચ 11, 2025 6:59 પી એમ(PM)

views 9

પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને કામ માટે પોતાના વિસ્તારની બહાર જવાની જરૂર નહીં પડે: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું કે પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને કામ માટે પોતાના વિસ્તારની બહાર જવાની જરૂર નહીં પડે. તેઓને ત્યાંજ રોજગારીની તકો ઉપલબ્ધ થશે. શ્રી શાહે આજે નવી દિલ્હીમાં સ્ટુડન્ટ્સ એક્સપિરિયન્સ ઇન ઇન્ટર સ્ટેટ લિવિંગ SEIL દ્વારા આયોજિત યુવા સંસદમાં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓને સંબોધિ...

માર્ચ 11, 2025 6:57 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી સૂર્ય ઘર, મફત વીજળી યોજનાએ 10 માર્ચ સુધીમાં દેશભરમાં 10 લાખ 9 હજાર સ્થાપનો પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું

પ્રધાનમંત્રી સૂર્ય ઘર, મફત વીજળી યોજનાએ 10 માર્ચ સુધીમાં દેશભરમાં 10 લાખ 9 હજાર સ્થાપનો પૂર્ણ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચંદીગઢ તથા દમણ અને દીવએ તેમની 100 ટકા સરકારી ઇમારતો પર સૌર લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે, જે સ્વચ્છ ...

માર્ચ 11, 2025 6:55 પી એમ(PM)

views 13

એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન દેશમાં કોલસાની આયાતમાં 8.4 ટકાનો ઘટાડો થયો

એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન દેશમાં કોલસાની આયાતમાં 8.4 ટકાનો ઘટાડો થયો છે. કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન કોલસાની આયાત અંદાજે 183 મિલિયન ટન રહી છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં અંદાજે 200 મિલિયન ટન હતી. આ ઘટાડાને કારણે આશરે બેતાલીસ હજાર ત્રણસો કરો...

માર્ચ 11, 2025 6:54 પી એમ(PM)

views 12

રાજ્યસભામાં શિક્ષણ મંત્રાલયની કાર્યપદ્ધતિ પર ચર્ચા હાથ ધરાઇ

રાજ્યસભામાં શિક્ષણ મંત્રાલયની કાર્યપદ્ધતિ પર ચર્ચા હાથ ધરાઇ હતી. ચર્ચા શરૂ કરતા કોંગ્રેસના દિગ્વિજય સિંહે શિક્ષકોના કૌશલ્ય અને તાલીમ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, વિશ્વ વિદ્યાલયોમાં સંશોધન વિદ્યાર્થીઓને જુનિયર રિસર્ચ ફેલોશિપ આપવામાં વિલંબ થઈ રહ્યો છે. શ્રી સિંહે એવો પણ આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર...