માર્ચ 16, 2025 9:38 એ એમ (AM)

views 10

હોળી-ધુળેટીના પવિત્ર દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ત્રણ અંગદાન થયાં

હોળી-ધુળેટીના પવિત્ર દિવસે અમદાવાદની સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ત્રણ અંગદાન થયાં હતા. આ અંગદાનને કારણે કુલ ૦૯ અંગો અને ૪ આંખોનું દાન મળ્યું હતું સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૮૪ અંગદાન થકી ૬૦૦ અંગોનુ દાન મળ્યુ જેના થકી ૫૮૨ જરૂરીયાતમંદને નવજીવન મળ્યું હોવાનું સિવિલિ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડ...

માર્ચ 16, 2025 9:38 એ એમ (AM)

views 8

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લેક્સ ફ્રિડમેન સાથેનો પોડકાસ્ટ ઇન્ટરવ્યુ પ્રસારિત થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને આજે પ્રસારિત થનારા લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટ ઇન્ટરવ્યુને સાંભળવા વિનંતી કરી છે. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, શ્રી ફ્રીડમેન સાથે તેમની ખૂબ જ સારી વાતચીત થઈ. આ વાતચીતમાં શ્રી મોદીનું બાળપણ, હિમાલયમાં વિતાવેલો સમય અને તેમના જાહેર જીવન સહિ...

માર્ચ 16, 2025 9:35 એ એમ (AM)

views 22

મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનોનું વિતરણ કર્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની ભજન મંડળીઓને વિવિધ સંગીત સાધનોનું વિતરણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માતાની સ્મૃતિમાં કાર્યરત કુસુમબા ફાઉન્ડેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન થયું હતું. તેમણે કહ્યું કે શરીરની જેમ મન અને હૃદયને સ્વસ્થ રાખવા માટે ભજન પૂરક...

માર્ચ 16, 2025 9:30 એ એમ (AM)

views 9

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે. ભારત સરકારે સઘન રસીકરણ અભિયાન હેઠળ વિવિધ રોગોની રસી આપીને લોકોને જીવનદાન આપ્યું છે. સરકારનું પોલિયો રસીકરણ અભિયાન તેનાં “દો બુંદ જિંદગી કે” સુત્ર માટે ખૂબ જાણીતું બન્યું છે. વિવિધ રસીકરણ અભિયાન અંતર્ગત પોલિયો, ટીબી, શીતળા, ઓરી, ઇન્ફ્લુએન્ઝા અને કોરોના જેવી ગંભીર બીમારીઓ...

માર્ચ 16, 2025 9:27 એ એમ (AM)

views 37

ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે ભારતીય માનક બ્યુરોની કાર્યવાહી

ભારતીય માનક બ્યુરોએ અસુરક્ષિત બિન-પ્રમાણિત ઉત્પાદનો વેચતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ - BISએ લખનૌ, ગુરુગ્રામ અને દિલ્હી જેવા અનેક શહેરોમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મના અનેક વેરહાઉસ પર તપાસ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. દેખરેખ દર...

માર્ચ 16, 2025 9:26 એ એમ (AM)

views 15

જામનગરની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાત માટે મતદાન

જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાત માટે આજે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચુંટણી અગાઉ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર દસરથસિંહ જાડેજાનું અવસાન થતાં આ વોર્ડની સામાન્ય ચુંટણી રદ કરવામાં આવી હતી, રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નવો ચુંટણી કાર્યક...

માર્ચ 16, 2025 9:24 એ એમ (AM)

views 31

ભારત 2028માં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : માર્ગન સ્નેટલી

વૈશ્વિક નાણાકીય કંપની મોર્ગન સ્ટેનલીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2023માં ભારતીય અર્થતંત્ર 35 ટ્રિલિયન અમેરિકન ડોલરનું હતું અને 2026 સુધીમાં 47 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે...

માર્ચ 16, 2025 9:23 એ એમ (AM)

views 12

લુણાવાડા શહેરની નગરપાલિકાને પણ ક વર્ગમાંથી અ વર્ગમાં અપગ્રેડ કરવાનો સરકારે નિર્ણય કર્યો

ગુજરાત રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરની નગરપાલિકાને પણ ક વર્ગમાંથી અ વર્ગમાં અપગ્રેડ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે લુણાવાડા પાલિકા અ વર્ગમાં અપગ્રેડ કરાતા નવા આયોજન કરવામાં આવશે તેમ લુણાવાડાના ચીફ ઓફિસર નરેશ મુનિયાએ જણાવ્યું હતું

માર્ચ 16, 2025 9:17 એ એમ (AM)

views 7

કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં પાંચ બાળકો ન્હાવા જતાં ડૂબ્યાં

કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના ભવાનીપુર નજીક આવેલા તળાવમાં હિંગોળજા વાંઢના પાંચ બાળકો ન્હાવા જતાં ડૂબી ગયા હતા. ઘટના ની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને તરવૈયાઓેએ શોધખોળ હાથ ધરી હતી. પાંચ પૈકી ચાર બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા જ્યારે આ અહેવાલ મળ્યાં ત્યાં સુધીમાં એક બાળકની શોધખોળ થઇ રહી છે. અમા...

માર્ચ 16, 2025 9:14 એ એમ (AM)

views 10

અનેક એવોર્ડ મેળવનાર મેઘાવી ગુજરાતી સર્જક રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની જૈફ વયે અમદાવાદમાં અવસાન

ગુજરાતી સાહિત્યનાં મેઘાવી સર્જક રજનીકુમાર પંડ્યાનું ગતરાત્રે નિધન થયું છે. તેઓ 86 વર્ષનાં હતા. ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે તેમનું અનેરૂ યોગદાન રહ્યું છે. પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર, અને ચરિત્ર નિંબધોના લેખક એવા સ્વર્ગિય રજનીકુમારના પુસ્તકો હિંદી, અંગ્રેજી, મરાઠી, સિંધી જેવી ભાષાઓમાં અ...