જુલાઇ 1, 2024 4:09 પી એમ(PM) જુલાઇ 1, 2024 4:09 પી એમ(PM)

views 30

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે નવીદિલ્હીમાં સેનાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો

લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ આજે નવીદિલ્હીમાં સેનાના વડા તરીકેનો પદભાર સંભાળ્યો છે. જનરલ દ્વિવેદીએ દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી, અને ફરજ પર પોતાનું બલિદાન આપનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. માધ્યમો સાથે વાત કરતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે ભારતીય સેનાનું નેતૃત્વ કર...

જુલાઇ 1, 2024 4:07 પી એમ(PM) જુલાઇ 1, 2024 4:07 પી એમ(PM)

views 22

ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી..

ભારતીય હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સ્થળઓ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યુ હતું.. IMDએ કહ્યું કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ભાગ...

જુલાઇ 1, 2024 4:03 પી એમ(PM) જુલાઇ 1, 2024 4:03 પી એમ(PM)

views 2

કાશ્મીરમાં કોઈ વિધ્ન વગર સરળતાથી ચાલી રહી છે શ્રી અમરનાથજીની વાર્ષિક યાત્રા..

કાશ્મીરમાં શ્રી અમરનાથજીની વાર્ષિક યાત્રા કોઈ વિધ્ન વગર સરળતાથી ચાલી રહી છે. અમારા શ્રીનગરના પ્રતિનિધી જણાવે છે કે, અત્યાર સુધી 28 હજાર 534 શ્રધ્ધાળુઓએ અમરનાથની પવિત્ર ગુફામાં કુદરતી રીતે રચાતા બરફના શિવલિંગનાં દર્શન કર્યા છે. યાત્રા માટે સલામતીનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. નુવાન અને બાલતાલ બેઝ ...

જુલાઇ 1, 2024 3:59 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:59 પી એમ(PM)

views 23

ફ્રાન્સમાં નાનું પર્યટક વિમાન તૂટી પડતાં ત્રણ વ્યક્તિનાં મોત..

ફ્રાન્સમાં નાનું પર્યટક વિમાન તૂટી પડતાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રવિવારે સ્થાનિક સમય પ્રમાણે વહેલી સવારે પોણા ચાર વાગે પેરિસથી 30 કિલોમીટર દૂરનાં કોલેજિયેન નામનાં નગરમાં વિમાન હાઇ વોલ્ટેજ લાઇન સાથે અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાય છે. પેરિસ અને સ્ટ્રેસબોર્ગને જોડતા ધોરી માર્ગ પર ઘટના સ્...

જુલાઇ 1, 2024 3:56 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:56 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી મોદીએ આજે ડોક્ટર્સ ડે નિમિત્તે તમામ ડોકટરોને શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડોક્ટર્સ ડે નિમિત્તે તમામ ડોકટરોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું કે સરકાર ભારતમાં આરોગ્ય સેવા માળખામાં સુધારો કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તે પણ સુનિશ્ચિત કરશે કે ડોકટરોને તેમનું યોગ્ય સન્માન મળે.શ્રી મોદીએ સોશિયલ મીડીયા પોસ્ટ દ્વારા આ શુભેચ્છા પાઠવી હતી..

જુલાઇ 1, 2024 3:52 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:52 પી એમ(PM)

views 20

વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ આજથી લંડનના ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં શરૂ થશે

વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ આજથી લંડનના ઓલ ઈંગ્લેન્ડ ક્લબમાં શરૂ થઈ રહી છે. પ્રથમ દિવસે, વર્તમાન ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝ એસ્ટોનિયન ટેનિસ ખેલાડી માર્ક લાજલ સામે રમશે. ભારતના ટોચના પુરૂષ સિંગલ્સ ખેલાડી સુમિત નાગલ, આ વર્ષે તેની પ્રથમ વિમ્બલ્ડનના મુખ્ય ડ્રોમાં ભાગ લેશે. નાગલનો પ્રથમ રાઉન્ડમાં સર્બિયાન...

જુલાઇ 1, 2024 3:42 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:42 પી એમ(PM)

views 15

દેશભરમાં આજે રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી

દેશભરમાં આજે ‘વિંગ્સ એન્ડ સ્ટેથોસ્કૉપ્સઃ હીલર્સ ઑફ હૉપ’ વિષયવસ્તુ સાથે રાષ્ટ્રીય તબીબ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સામાજિક માધ્યમથી તબીબોને રાષ્ટ્રીય તબીબ દિવસની શુભેચ્છા પાઠવી હતી. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા માગતી દીકરીઓ માટે સરકારની મુખ્યમંત્...

જુલાઇ 1, 2024 3:50 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:50 પી એમ(PM)

views 4

સમગ્ર રાજ્યમાં નૈઋત્યનું ચોમાસુ જામ્યુ

નૈઋત્યનું ચોમાસુ સમગ્ર રાજ્યમાં જામ્યુ છે. ગઇકાલે રાજ્યનાં 201 તાલુકામાં એકથી છ ઇંચ વરસાદ પડ્યો હતો. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદને પગલે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારથી જ ગીરનાર, માણાવદર, ઉપલેટા, કુતિયાણા સહિત અને વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ખંભાળિયામાં ...

જુલાઇ 1, 2024 3:37 પી એમ(PM) જુલાઇ 1, 2024 3:37 પી એમ(PM)

views 16

અમદાવાદ શહેરમાં રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજાઈ

અમદાવાદ શહેરમાં આગામી સાત જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાને ધ્યાનમાં રાખી શહેર પોલીસ સુરક્ષાને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે. શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે શહેરના સંવેદનશીલ વિસ્તારોના તમામ અધિકારીઓને સાથે રાખી રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજી હતી

જુલાઇ 1, 2024 7:49 પી એમ(PM) જુલાઇ 1, 2024 7:49 પી એમ(PM)

views 98

સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ

સંસદના બંને ગૃહોમાં રાષ્ટ્રપતિ અભિભાષણ પર આભાર પ્રસ્તાવ અંગે ચર્ચા થઈ હતી. ભારતીય જનતાપક્ષના સાંસદ અનુરાગ ઠાકુરે ચર્ચામાં ભાગ લેતા પાછલા દસ વર્ષોની સરકારની સિદ્ધિઓનાવખાણ કર્યા. શ્રી ઠાકુરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાંસરકારે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા, તેમજ લોકોના કલ્યાણ અર્થે અ...