સપ્ટેમ્બર 4, 2024 2:13 પી એમ(PM)

views 14

નવી દિલ્હીમાં આગામી 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન ગ્રીન-હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદની બીજી આવૃત્તિનું આયોજન કરશે

નવી દિલ્હીમાં આગામી 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન ગ્રીન-હાઇડ્રોજન પર આંતરરાષ્ટ્રીય પરિષદની બીજી આવૃત્તિનું આયોજન કરશે. નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ આજે એક કાર્યક્રમને સંબોધન દરમિયાન આ જાહેરાત કરી હતી. શ્રી જોષીએ ભારત અને અન્ય વિકસિત દેશોને સ્વચ્છ અને હરિયાળી ઊર્જા સંક્રમણ તરફ દોરવામાં ...

સપ્ટેમ્બર 4, 2024 2:09 પી એમ(PM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને કોઈપણ સત્તા, બોર્ડ, કમિશન અથવા વૈદ્યાનિક સંસ્થાના સભ્યોની રચના અને નિમણૂક કરવાની સત્તા આપી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાને કોઈપણ સત્તા, બોર્ડ, કમિશન અથવા વૈદ્યાનિક સંસ્થાના સભ્યોની રચના અને નિમણૂક કરવાની સત્તા આપી છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયે બંધારણના અનુચ્છેદ -239ના અનુસંધાનમાં એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

સપ્ટેમ્બર 4, 2024 2:06 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બંદર સેરી બેગવાન ખાતે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કર્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બંદર સેરી બેગવાન ખાતે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કર્યો હતો. દરમિયાન બંને નેતા સેટેલાઇટ અને લૉન્ચ વાહનો માટે ટેલીમેટ્રી, ટ્રેકિંગ અને ટેલિકૉમ કમાન્ડ સ્ટેશનના સંચાલનમાં સહકાર પરના એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર અને વિનિમયના સાક્ષી બન્યા હતા. વિદેશ મંત્ર...

સપ્ટેમ્બર 4, 2024 2:01 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે કેન્દ્ર અને ત્રિપુરા સરકાર વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હીમાં કેન્દ્ર અને ત્રિપુરા સરકાર, નેશનલ લિબરેશન ફ્રન્ટ ઑફ ત્રિપુરા અને ઑલ ત્રિપુરા ટાઈગર ફોર્સના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરાશે. દરમિયાન ત્રિપુરાના મુખ્યમંત્રી મનિક સાહા અને ગૃહ મંત્રાલય અને ત્રિપુરા સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ...

સપ્ટેમ્બર 4, 2024 1:59 પી એમ(PM)

views 15

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે ઉત્તર તમિલનાડુ, કર્ણાટકને અડીને આવેલા રાયલસીમા, રાજસ્થાન, દક્ષિણ મરાઠવાડાને અડીને આવેલા તેલંગાણા, દક્ષિણ હરિયાણા, પશ્ચિમ અને ઉત્તરપૂર્વ ઉ...

સપ્ટેમ્બર 4, 2024 12:06 પી એમ(PM)

views 15

બનાસકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેકટ અંતર્ગત 3 હજાર 516 તાલીમ થકી જિલ્લાના 83 હજાર 442 જેટલા ખેડૂતને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરાયા

બનાસકાંઠા જિલ્લામાં આત્મા પ્રોજેકટ અંતર્ગત 3 હજાર 516 તાલીમ થકી જિલ્લાના 83 હજાર 442 જેટલા ખેડૂતને પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરાયા છે એમ જિલ્લાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે. જિલ્લામાં કૃષિસખી અને પશુસખીની કુલ 1 હજાર 198 મહિલાઓને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી હતી.

સપ્ટેમ્બર 4, 2024 11:53 એ એમ (AM)

views 18

જૈનોના પર્વ પર્યુષણના આજે પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન દિવસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે.

જૈનોના પર્વ પર્યુષણના આજે પાંચમા દિવસે મહાવીર જન્મ વાંચન દિવસની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે. રાજ્યભરના જૈન સંધોમાં આજે ધામધૂમપૂર્વક મહાવીર જન્મ વાંચનની ઉજવવામાં આવશે અને ત્રિશલા માતાને આવેલા 14 મહાસ્વપ્નના દર્શન કરાવાશે. કલ્પસૂત્રનું વાંચન કરાશે. જૈન ધર્મમાં કલ્પસૂત્રનો ખૂબ જ મહિમા છે, જૈન શ...

સપ્ટેમ્બર 4, 2024 11:00 એ એમ (AM)

views 38

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું

હવામાન વિભાગે આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ અને દાહોદ તેમજ વડોદરા તેમજ ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને જ્યારે અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત આજે પણ ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ છે. જ્યારે દક્ષિણ ગુજરાત ...

સપ્ટેમ્બર 4, 2024 10:46 એ એમ (AM)

views 47

વિશ્વ બેંકે કહ્યું છે કે, પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા માટે મધ્યમ ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે.

વિશ્વ બેંકે કહ્યું છે કે, પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા માટે મધ્યમ ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે. વિશ્વ બેંકના તાજેતરના ભારત વિકાસ અહેવાલ - "બદલતા વૈશ્વિક સંદર્ભમાં ભારતની વ્યાપાર તકો" અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં વિકાસ દર 7 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે. 2025-26 અને 2026-27...

સપ્ટેમ્બર 4, 2024 10:30 એ એમ (AM)

views 28

રશિયન સૈન્યએ મિસાઈલ હુમલો કરતા મધ્ય યુક્રેનના પોલ્ટાવા શહેરમાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા અને 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા

રશિયન સૈન્યએ મિસાઈલ હુમલો કરતા મધ્ય યુક્રેનના પોલ્ટાવા શહેરમાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા અને 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રશિયન હુમલામાં સૈન્ય સંચાર સંસ્થાન અને એક હોસ્પિટલને નુકસાન થયું છે. યુક્રેનની સેનાએ પુષ્ટિ કરી છે કે, રશિયન હુમલામાં ઘણા સૈન્ય કર્મચારીઓ પણ માર્યા ગયા છે. યુક્રેનના સંર...