સપ્ટેમ્બર 4, 2024 7:43 પી એમ(PM)

views 15

વરસાદને કારણે અસરગ્રસ્ત 14 જીલ્લાના લોકોને અત્યાર સુધીમાં આઠ કરોડ કરતાં વધુની સહાય ચૂકવાઇ

રાજ્યમાં ગયા અઠવાડિયે પડેલા અતિભારે વરસાદને કારણે અસરગ્રસ્ત 14 જિલ્લામાં એક લાખ 69 હજાર લોકોને અત્યાર સુધી 8 કરોડ રૂપિયાથી વધુની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. આજે એક પત્રકાર પરિષદમાં રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા,...

સપ્ટેમ્બર 4, 2024 3:08 પી એમ(PM)

views 16

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદના પ્રમાણમાં ઘટાડાની આગાહી કરવામાં આવી

રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદના પ્રમાણમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે ઉત્તર ગુજરાતના બનાસકાઠાં અને પાટણમાં ભારે વરસાદની આગાહી કરીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ અને મોરબી, ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તેમજ મધ્ય ગુજરાતના મહિસાગર અને દાહોદમ...

સપ્ટેમ્બર 4, 2024 3:07 પી એમ(PM)

views 18

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે, દક્ષિણ ગુજરાત કેટલાંક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. જો કે, દક્ષિણ ગુજરાત કેટલાંક જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ભરૂચના વાલિયા તાલુકમાં સૌથી વધુ ૬ ઇંચ અને નેત્રંગ તાલુકામાં પાંચ ઇંચ, સુરતના ઉમરપાડામાં અને વલસાડ તાલુકામાં ૪ ઇંચ વરસાદ...

સપ્ટેમ્બર 4, 2024 3:05 પી એમ(PM)

views 9

25થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં પડેલા અતિભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારના છ સભ્યોની એક ટીમ ગુજરાત આવશે

25થી 31 ઓગસ્ટ દરમિયાન ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં પડેલા અતિભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારના છ સભ્યોની એક ટીમ ગુજરાત આવશે. આ ટીમ રાજ્યનાં અધિકારીઓ સાથે મળીને નુકસાનીનો સર્વે કરશે. તેમણે જણાવ્યું કે, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, નર્મદા...

સપ્ટેમ્બર 4, 2024 2:24 પી એમ(PM)

views 10

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન અંતર્ગત રાજ્યક્ષેત્રના સાત લાખથી વધુ કર્મચારી આજથી ટપાલ મતપત્રના માધ્યમથી મતદાન કરશે

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન અંતર્ગત રાજ્યક્ષેત્રના સાત લાખથી વધુ કર્મચારી આજથી ટપાલ મતપત્રના માધ્યમથી મતદાન કરશે. આ ચૂંટણીમાં 38 ઉમેદવાર મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે, 21મી સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થશે.

સપ્ટેમ્બર 4, 2024 2:22 પી એમ(PM)

views 13

યુક્રેનમાં સરકારમાં ફેરફાર થતાં પહેલાં જ મંત્રીમંડળના સભ્યો સહિત છ અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું

યુક્રેનમાં સરકારમાં ફેરફાર થતાં પહેલાં જ મંત્રીમંડળના સભ્યો સહિત છ અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. માધ્યમોના જણાવ્યા મુજબ, ગઈકાલે વ્યૂહાત્મક ઉદ્યોગ મંત્રી એલેક્ઝાન્ડર કેમિશિન, ન્યાય મંત્રી ડેનિસ માલિઉસ્કા, પર્યાવરણ સંરક્ષણ મંત્રી રૂસ્લાન સ્ટ્રાઈકલેટ્સ, નાયબ પ્રધાનમંત્રી ઑલ્હા સ્ટેફનિ...

સપ્ટેમ્બર 4, 2024 2:21 પી એમ(PM)

views 20

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 20 ચંદ્રકો જીતી લીધા

પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 3 સુવર્ણ, 7 રજત અને 10 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 20 ચંદ્રકો જીતી લીધા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરાલિમ્પિક્સમાં ચંદ્રક જીતવા બદલ શરદ કુમાર, મરિયપ્પન થંગાવેલુ, અજીત સિંહ અને સુંદર સિંહ ગુર્જરને અભિન...

સપ્ટેમ્બર 4, 2024 2:18 પી એમ(PM)

views 20

અખાતી યુદ્ધના કારણે છેલ્લા 33 વર્ષથી ઈરાકના બગદાદમાં બંધ રહેલું સ્વિત્ઝર્લેન્ડનું દૂતાવાસ ફરી શરૂ કરાયું

અખાતી યુદ્ધના કારણે છેલ્લા 33 વર્ષથી ઈરાકના બગદાદમાં બંધ રહેલું સ્વિત્ઝર્લેન્ડનું દૂતાવાસ ફરી શરૂ કરાયું છે. ઇરાકના વિદેશ મંત્રીએ કહ્યું, આ દૂતાવાસ ફરી શરૂ થયું તે બંને દેશ વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહકાર અને મજબૂત દ્વિપક્ષીય સંબંધને દર્શાવે છે. વર્ષ 1991માં અખાતી યુદ્ધના કારણે સ્વિત્ઝર્લેન્ડે ઇરાકમાં ...

સપ્ટેમ્બર 4, 2024 2:17 પી એમ(PM)

views 19

રશિયાએ યુક્રેન પર કરેલા અનેક મિસાઈલ હુમલામાં 51 લોકોના મોત નીપજ્યા

રશિયાએ યુક્રેન પર કરેલા અનેક મિસાઈલ હુમલામાં 51 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 200 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ હુમલો યુક્રેનના મધ્ય ભાગમાં આવેલા સૈન્ય શિક્ષણ સંસ્થાન પર કરાયો હતો. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક સંદેશમાં તેમને પોલ્ટાવામાં રશિયન હુમલાની માહિતી મળી હોવાનું જણાવ્ય...

સપ્ટેમ્બર 4, 2024 2:15 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, બ્રુનેઈ ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસી અને ભારત પ્રશાંત ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બાંદેર સેરી બેગાવનમાં બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બૉલ્કિયા સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, બ્રુનેઈ ભારતની એક્ટ ઇસ્ટ પૉલિસી અને હિન્દ મહાસાગર લક્ષ્યમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર છે, જે બંને દેશ વચ્ચે ઉજ્જવળ ભવિષ્યની બાંહેધરી છે ભારત-બ્રુનેઈ સંબંધ અને એક્ટ ઇસ્ટ પ...