સપ્ટેમ્બર 9, 2024 6:13 પી એમ(PM)

views 73

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ આજે 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ રોહતક સીટ પરથી બિજેન્દરહુડ્ડાને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ઈન્દુ શર્મા ભિવાની સીટથી ચૂંટણી લડશે. પવન ફૌજીને ઉચાના કલાન સીટથી અને જયપાલ શર્માને ઘરૌંડા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે.

સપ્ટેમ્બર 9, 2024 6:09 પી એમ(PM)

views 19

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓને આજે ચર્ચા માટે બોલાવ્યા હતા

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા તમામ ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓને આજે ચર્ચા માટે બોલાવ્યા હતા.આ બેઠકમાં ઉમેદવારો સાથે ચૂંટણીમાં નાણાના નિયમો અને અન્ય માર્ગદર્શિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી.  કેટલાક ઉમેદવારોએ રાજ્યના સંસાધનોના ઉપયોગ અને કેટલીક મીડિયા સંસ્થાઓના આચરણ અંગે ચૂંટણી પંચ સાથે ...

સપ્ટેમ્બર 9, 2024 4:08 પી એમ(PM)

views 16

રાજ્યમાં વરસાદના પાણીની સારી આવક થતાં હાઈડ્રો પાવર સ્ટેશનમાંથી વિક્રમજનક વીજ ઉત્પાદન

રાજ્યમાં વરસાદના પાણીની સારી આવક થતાં હાઈડ્રો પાવર સ્ટેશનમાંથી વિક્રમજનક વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. સરદાર સરોવર બંધમાં ગત ઑગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 મિલિયન એકમને પાર પહોંચી ગયું છે. જ્યારે ઉકાઈ, ઉકાઈ મિની, કડાણા અને સરદાર સરોવર હાઈડ્રો પ્લાન્ટમાંથી કુલ એક હજાર 67 મિલિયન એકમનું વીજ ઉત્પાદન થયું છે...

સપ્ટેમ્બર 9, 2024 4:06 પી એમ(PM)

views 20

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વડા તળાવ સંપૂર્ણપણે છલકાઈ જતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગામની મુલાકાત લીધી

મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામમાં વડા તળાવ સંપૂર્ણપણે છલકાઈ જતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે ગામની મુલાકાત લીધી હતી. મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે કે, તળાવનું પાણી રસ્તા પર આવી જતાં પાળ બનાવીને પાણીને કેનાલમાં લઈ જવાયું હતું ત્યારબાદ વાહનવ્યવહાર પૂર્વવત્ કરાયો હતો....

સપ્ટેમ્બર 9, 2024 4:04 પી એમ(PM)

views 16

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ દૂધ ઉત્પાદન ઝૂંબેશ અંતર્ગત શહેરની 31 પેઢીમાં દરોડા પાડ્યા

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ દૂધ ઉત્પાદન ઝૂંબેશ અંતર્ગત શહેરની 31 પેઢીમાં દરોડા પાડ્યા હતા. દરમિયાન શાખાએ વિવિધ ખાદ્યપદાર્થના નમૂના લઈ તેને પરીક્ષણ માટે વડોદરાની ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલ્યા છે. ઉપરાંત ફૂડ શાખાએ અન્ય વિસ્તારમાં આવેલા બરફના કારખાનામાં પાણીમાં ક્લૉરિનેશન અંગેની તપાસ કરી જરૂરી...

સપ્ટેમ્બર 9, 2024 4:03 પી એમ(PM)

views 32

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસની આંતર-કૉલેજ કબડ્ડી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ત્રણ દિવસની આંતર-કૉલેજ કબડ્ડી સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે. આ અંગે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑફ ફિઝિકલ એજ્યુકેશનના નિયામક ડૉ. ચિરાગ પટેલે જણાવ્યું કે, સ્પર્ધામાં પાંચ જિલ્લાની કૉલેજની કુલ 92 ટીમ અને એક હજાર 104 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. 11 સપ્ટેમ્બરે...

સપ્ટેમ્બર 9, 2024 4:02 પી એમ(PM)

views 30

અરવલ્લીના પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી વિભાગ દ્વારા અંબાજી જતાં પદયાત્રીઓના વાહનોને રેડિયમના સ્ટીકર લગાવાયા

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી જતાં પદયાત્રીઓનો અરવલ્લી જિલ્લાના માર્ગો પર ધસારો જોવા મળી રહ્યો છે. આવા સમયે અહીં અકસ્માત નિવારવા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી વિભાગ પદયાત્રીઓના વાહનોને રેડિયમના સ્ટીકર લગાવવાનું કામ કરી રહ્યું છે.

સપ્ટેમ્બર 9, 2024 3:56 પી એમ(PM)

views 15

મહીસાગરના લુણાવાડા શહેરમાં 121 વર્ષ જૂના જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનના મંદિરમાં ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાઈ

મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં 121 વર્ષ જૂના જમણી સૂંઢવાળા ગણપતિ ભગવાનના મંદિરમાં આ વર્ષે પણ ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દર વર્ષે વડોદરાના ગાયકવાડ સરકારના કારીગરો દ્વારા વિશિષ્ટ માટીમાંથી ગણેશજીની આ મૂર્તિ તૈયાર કરે છે. ગણેશોત્સવ દરમિયાન દરરોજ રાત્રે કથા અને ભજન-કીર્તન...

સપ્ટેમ્બર 9, 2024 3:58 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી મોદી અને દુબઇનાં યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે નવી દિલ્હીમાં પ્રતિનિધીમંડળ સ્તરની મંત્રણા શરૂ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દુબઇનાં યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે નવી દિલ્હીમાં પ્રતિનિધીમંડળ સ્તરની મંત્રણા ચાલી રહી છે. હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓ ભારત અને યુએઇ વચ્ચે દ્વિપક્ષીય સહકારનાં ક્ષેત્રો પર વ્યાપક ચર્ચા કરશે. શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયે...

સપ્ટેમ્બર 9, 2024 3:54 પી એમ(PM)

views 18

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ સવા ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં માત્ર સરેરાશ સવા ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ કુલ 122 ટકા વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. હવામાન વિભાગે આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે બનાસકાં...