સપ્ટેમ્બર 9, 2024 7:32 પી એમ(PM)

views 23

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગાંધીનગરના પોલીસ ભવન ખાતે અગિયારમી પશ્ચિમ ક્ષેત્રનો પોલીસ સંકલન બેઠક યોજાઈ ગઈ

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગાંધીનગરના પોલીસ ભવન ખાતે અગિયારમી પશ્ચિમ ક્ષેત્રનો પોલીસ સંકલન બેઠક યોજાઈ ગઈ. દરમિયાન સાયબર ગુનાઓ રોકવા, આંતરરાજ્ય સંકલન, સરહદ વ્યવસ્થાપન ગુના સાબિતીનો દર વધારવામાટેના પગલાઓ, ત્રણ નવા ફોજદારી કાયદાઓના અસરકારક અમલીકરણ, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સહિતના વિવિધ મ...

સપ્ટેમ્બર 9, 2024 7:29 પી એમ(PM)

views 24

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરાશે

સુરતના સૈયદપુરામાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. શ્રી સંઘવીએ જણાવ્યું હતું કે પોલીસે ગતરાત્રે જ આ મામલે તાત્કાલિક કોમ્બિંગ કરી ડ્રોન, સીસીટીવી અને વિડિયોના માધ્યમથી આરોપીઓને ઝડપી પાડ્યા હતા...

સપ્ટેમ્બર 9, 2024 7:25 પી એમ(PM)

views 13

રાજ્ય સરકાર IVF થી ગર્ભધારણ કરતા પશુઓ માટે પશુપાલકોને 5 હજાર રૂપિયાની સહાય ચૂકવશે

રાજ્ય સરકાર IVF એટલે કે, ઇન વિટ્રોફર્ટિલાઈઝેશનથી ગર્ભધારણ કરતા પશુઓ માટે પશુપાલકોને 5 હજાર રૂપિયાની સહાય ચૂકવશે. રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે પશુપાલકો બહોળા પ્રમાણમાં IVF તકનીકનો ઉપયોગ કરી શકે તે માટે પ્રાયોગિક તબક્કે બનાસકાંઠા, સાબરકાંઠા,મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને આ સહા...

સપ્ટેમ્બર 9, 2024 7:22 પી એમ(PM)

views 14

કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની 27 ટુકડી દ્વારા અબડાસા અને લખપત તાલુકામાં તપાસ હાથ ધરાઈ

કચ્છ જિલ્લામાં શંકાસ્પદ તાવના કેસને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની 27 ટુકડી અબડાસા અને લખપત તાલુકામાં તપાસ કરી રહી છે. તે અંતર્ગત 318 ઘરના 2 હજાર 234 લોકોની ચકાસણી કરવામાં આવી છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે કચ્છમાં શંકાસ્પદ તાવના કેસમાં 13 લોકોના મોત નીપજ્યા હતા. ચોથી સપ્ટેમ્બરે પ્રથમ કે...

સપ્ટેમ્બર 9, 2024 7:19 પી એમ(PM)

views 19

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મીથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી 12મીથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને ક્યુ આર કોડ પ્રસિદ્ધ કરાયો છે. આ કોડને સ્કેન કરવાથી પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડોની જાણકારી મેળવી શકાશે.

સપ્ટેમ્બર 9, 2024 7:17 પી એમ(PM)

views 13

કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ 2024ની તૈયારીઓની સમીક્ષા કરી

કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ 2024ની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં આગામી 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ચોથા ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પોનું આયોજન કરાયું છે, જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ...

સપ્ટેમ્બર 9, 2024 7:14 પી એમ(PM)

views 14

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી 11 મી સપ્ટેમ્બરે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે

લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં આગામી 11 મી સપ્ટેમ્બર -બુધવારે શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે. જેમાં વક્તા રામ મોરી દ્વારા વ્યાખ્યાન અપાશે.  ભાવનગરથી અમારાં પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ,સુપ્રસિદ્ધશિક્ષણ સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાનાર શ્રી મૂળશંકરભાઈ ભટ્ટ વ્યાખ...

સપ્ટેમ્બર 9, 2024 7:12 પી એમ(PM)

views 50

સર્વોચ્ચ અદાલતે ઉત્તર પ્રદેશ સરકારને 69,000 મદદનીશ શિક્ષકોની પસંદગી યાદીમાં સુધારો કરવાના હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો

વર્ષ 2019માં મદદનીશ શિક્ષક ભરતી પરીક્ષા દ્વારા પસંદ કરાયેલા 69 હજાર સહાયક શિક્ષકોની સુધારેલી યાદી તૈયાર કરવાના ઉત્તર પ્રદેશ સરકારને આપેલા અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સર્વોચ્ચ અદાલતે મનાઇ હુકમ ફરમાવી દીધો છે. જૂન 2020 અને જાન્યુઆરી 2022 માં રાજ્ય સત્તાવાળાઓ દ્વારાજારી કરવામાં આવેલ, 6 હજાર 800 સહાયક શ...

સપ્ટેમ્બર 9, 2024 6:22 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી મોદી 15 સપ્ટેમ્બરે ઝારખંડની તેમની મુલાકાત દરમિયાન પીએમ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરશે: શિવરાજ સિંહ ચૌહાણ

ભાજપના ઝારખંડ વિધાનસભા ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતુંકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરે રાજ્યની તેમની મુલાકાત દરમિયાન પીએમ આવાસ યોજનાનો પ્રથમ હપ્તો લાભાર્થીઓના ખાતામાં ટ્રાન્સફર કરશે. શિવરાજસિંહ ચૌહાણે ઝારખંડની પ્રધાનમંત્રીની મુલાકાતની તૈયારીઓની સમીક્ષા...

સપ્ટેમ્બર 9, 2024 6:18 પી એમ(PM)

views 19

CBIએ લાંચના કેસમાં દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીના ઇજનેર અને એક વચેટિયા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને લાંચના કેસમાં દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટીના ઇજનેર અને એક વચેટિયા સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. ટીમે 91હજારથી વધુની લાંચની રકમની લેતા બંનેને રંગેહાથ ઝડપ્યા હતા. સીબીઆઈએ અહેવાલ આપ્યો છે કે સર્ચ દરમિયાન, એન્જિનિયરના પરિસરમાંથી લગભગ 2 કરોડ 39 લાખ રૂપિયા રોકડ મળી આવ...