ફેબ્રુવારી 19, 2025 11:13 એ એમ (AM)

views 13

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાન યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સુધી પહોંચ્યો છે. જ્યારે સૌથી ઓછું 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન દીવ, અને જુનાગઢના કેશોદમાં નોંધાયું છે. ગત 24 કલાકમાં અમદાવાદ, ભાવનગર, કચ્છના ભુજ અને ગીર...

ફેબ્રુવારી 19, 2025 11:00 એ એમ (AM)

views 9

રાજ્યમાં આજે 19 ફેબ્રુઆરીએ સૉઈલ હૅલ્થ કાર્ડ દિવસની ઉજવણી કરાશે.

રાજ્યમાં આજે 19 ફેબ્રુઆરીએ સૉઈલ હૅલ્થ કાર્ડ દિવસની ઉજવણી કરાશે. યોજના અને તેના લાભ અંગે લોકોને જાગૃત કરવા દર વર્ષે આ દિવસની ઉજવણી કરાય છે. રાજ્યના 2 કરોડ 15 લાખ ખેડૂતોને અત્યાર સુધી સૉઈલ હૅલ્થ કાર્ડ-S.H.C. મળ્યા હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત...

ફેબ્રુવારી 19, 2025 10:44 એ એમ (AM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવનારા દિવસોમાં જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થાય તે દિશામાં કામ કરવા આશ્વાસન આપ્યું.

ભાજપના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઑની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવતા આવનારા દિવસોમાં પ્રજાના દરેક પ્રશ્નોનું નિવારણ લાવી જનતાનો વિશ્વાસ વધુ મજબૂત થાય તે દિશામાં કાર્ય કરીશું.” રાજ્યમાં ગઇકાલે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઑની ચૂંટણીની મત ગણતરી બાદ ગાંધીનગરમાં ભાજપ...

ફેબ્રુવારી 19, 2025 10:29 એ એમ (AM)

views 10

ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન કરાંચીમાં પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે

ICC ચેમ્પિયન્સ ટ્રોફીની નવમી આવૃત્તિ આજે બપોરે શરૂ થઈ રહી છે, જેમાં પાકિસ્તાન કરાંચીમાં પોતાની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થવાની છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ આવતીકાલે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશ સામે પોતાના અભિયાનની શર...

ફેબ્રુવારી 19, 2025 10:04 એ એમ (AM)

views 19

બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનક, તેમના પરિવાર સાથે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ઋષિ સુનક, તેમના પરિવાર સાથે ગઈકાલે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ શેર કર્યું કે તેમની સાથે ઘણા વિષયો પર અદ્ભુત વાતચીત થઈ. તેમણે એમ પણ કહ્યું કે શ્રી સુનક ભારતના મહાન મિત્ર છે અને ભારત-બ્રિટન સંબંધોને વધુ મજબૂત બનાવ...

ફેબ્રુવારી 19, 2025 9:51 એ એમ (AM)

views 9

પ્રયાગરાજમાં મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે.

પ્રયાગરાજમાં મહાકુંભમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અત્યાર સુધીમાં ૫૫ કરોડ ૪૬ લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. પ્રયાગરાજના મહાકુંભમાંથી જેલ સંકુલમાં પાણી લાવ્યા બાદ ઉન્નાવ જિલ્લા જેલના કેદીઓને પવિત્ર સ્નાન કરાવવ...

ફેબ્રુવારી 19, 2025 9:27 એ એમ (AM)

views 9

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞાન-આધારિત જમીન સર્વેક્ષણ-નકશા નામના પાયલોટ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે જે ખેડૂત પોતાનું ઉત્પાદન અન્યત્ર વેચવા માંગે છે તેના પરિવહનનો ખર્ચ સરકાર ભોગવશે. કેન્દ્ર દરેક વર્ગના હિતમાં કામ કરે છે., જેના કારણે નાગરિકોના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે. શ્રી ચૌહાણ મધ્યપ્રદેશના રાયસેનમાં રાષ્ટ્રીય ભૂ-અવકાશી જ્ઞા...

ફેબ્રુવારી 19, 2025 9:15 એ એમ (AM)

views 9

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રને આ વર્ષે એપ્રિલ સુધીમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રને આ વર્ષે એપ્રિલ સુધીમાં કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ નવા ફોજદારી કાયદાઓનો સંપૂર્ણ અમલ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાની હાજરીમાં જમ્મુ અને કાશ્મીરમાં ત્રણ નવ...

ફેબ્રુવારી 19, 2025 8:46 એ એમ (AM)

views 66

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે.

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે. આજે પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી સત્રની શરૂઆત થશે. જ્યારે આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે. આ સત્ર દરમિયાન સરકારી ખરડા, સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા અંગે બેઠકમાં ચર્ચા કર...

ફેબ્રુવારી 19, 2025 8:44 એ એમ (AM)

views 96

ભારત અને કતાર વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રમાં વિશ્વસનીય ભાગીદાર. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે કતાર સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે અને બંને દેશો વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઉર્જા ક્ષેત્રોમાં વિશ્વસનીય ભાગીદાર છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-સાનીનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિએ એવું સૂ...