સપ્ટેમ્બર 26, 2025 7:55 પી એમ(PM)

views 14

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કર્યો. આ પ્રસંગે, તેમણે જણાવ્યું કે આશરે બે લાખ 70 હજાર મહિલા ખેડૂતો સહિત 27 લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતાઓમાં કુલ 540 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવામાં આવી છે. હિમાચલ પ...

સપ્ટેમ્બર 26, 2025 7:54 પી એમ(PM)

views 13

વિશ્વ ખાદ્ય ભારત શિખર સંમેલનમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુના કરાર થયાં.

ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને કહ્યું કે, નવી દિલ્હીમાં આયોજિત વિશ્વ ખાદ્ય ભારત શિખર સંમેલન દરમિયાન એક લાખ કરોડ રૂપિયાથી વધુના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આનાથી દેશભરમાં નવ લાખ રોજગારીની તકો ઉભી થશે. પત્રકારો સાથે વાત કરતા, શ્રી પાસવાને કહ્યું કે ફૂડ પ્રોસેસિંગ ક...

સપ્ટેમ્બર 26, 2025 7:53 પી એમ(PM)

views 14

ઍશિયા કપ ટી-20 ક્રિકેટમાં શ્રીલંકાએ ટૉસ જીતી બૉલિંગ કરવાનો નિર્ણય લીધો.

ઍશિયા કપ ટી-20 ક્રિકેટમાં સુપર ચાર મુકાબલામાં ભારત અને શ્રીલંકા વચ્ચે મૅચ રમાશે. દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં હમણાં થોડી જ ક્ષણોમાં આ મૅચ શરૂ થશે. મળતી માહિતી મુજબ, શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારત પહેલા જ ફાઈનલમાં પહોંચી ગયું છે. જ્યારે શ્રીલંકા ફાઈનલની દોડમાંથી બહાર થઈ...

સપ્ટેમ્બર 26, 2025 7:19 પી એમ(PM)

views 21

સ્વદેશી અંગે લોકોમાં જનચેતના જગાડવાના ઉદ્દેશથી દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનો પ્રારંભ થયો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વદેશી અંગે લોકોમાં જનચેતના જાગે તેવા ઉદ્દેશથી સમગ્ર દેશમાં “આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન”નો પ્રારંભ થયો હોવાનું જણાવ્યું. ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય્ શ્રી કમલમ્ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાથે પત્રકાર પરિષદમાં શ્રી પટેલે આગામી 28 સપ્ટેમ્બર સુધી યોજાનારા...

સપ્ટેમ્બર 26, 2025 7:17 પી એમ(PM)

views 22

બનાસકાંઠામાં સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે 283 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા

બનાસકાંઠામાં વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ બનાસકાંઠા હેઠળ જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે 283 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા. તેમાં માર્ગ અને મકાન વિભાગ બનાસકાંઠા દ્વારા ખાનગી કંપની સાથે 210 કરોડ રૂપિયાના સમજૂતી કરાર થયા છે. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આ...

સપ્ટેમ્બર 26, 2025 7:15 પી એમ(PM)

views 19

રાજ્યમાં ગયા વર્ષે એક પણ પશુમાં ખરવા-મોવાસા રોગ જોવા નથી મળ્યો

રાજ્યમાં ગયા વર્ષે એક પણ પશુમાં ખરવા મોવાસા રોગ જોવા નથી મળ્યો. સત્તાવાર યાદી મુજબ, રાષ્ટ્રીય પશુરોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ છ તબક્કામાં રાજ્યના કુલ નવ કરોડ 82 લાખથી વધુ પશુને ખરવા-મોવાસાની રસી વિનામૂલ્યે અપાઈ છે. આગામી 25 ઑક્ટોબર સુધી ચાલનારા રસીકરણના સાતમા તબક્કામાં 16 કરોડ 90 લાખ પશુઓનું રસીકરણ ક...

સપ્ટેમ્બર 26, 2025 7:13 પી એમ(PM)

views 24

દક્ષિણ ગુજરાતમાં છૂટા-છવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દરમિયાન આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદમાં આ રવિવારે ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે માછીમારો માટે કોઈ ચેતવણી ન હોવાનું હવામાન ખાત...

સપ્ટેમ્બર 26, 2025 7:11 પી એમ(PM)

views 17

રાજ્યના ખેલાડી અનિકેત પટેલે કૉરિયામાં નવ-મી ઍશિયન સૉફ્ટ ટૅનિસ સ્પર્ધામાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા.

રાજ્યના ખેલાડી અનિકેત પટેલે નવ-મી ઍશિયન સૉફ્ટ ટૅનિસ ચેમ્પિયનશીપમાં બે કાંસ્ય ચંદ્રક જીત્યા છે. તાજેતરમાં કૉરિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં તેમણે પુરુષોની ટીમ ઇવેન્ટ અને મિશ્ર ટીમ ઇવેન્ટ બંનેમાં કાંસ્ય ચંદ્રક જીત્યા છે. આ ખેલાડી અગાઉ ઍશિયન ગેમ્સમાં રમી ચૂક્યા છે. સખત પરિશ્રમ, સરકારના સહયોગ અને પ્રોત્સા...

સપ્ટેમ્બર 26, 2025 3:11 પી એમ(PM)

views 15

કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી.

કૃષિમંત્રી રાઘવજી પટેલે આજે બનાસકાંઠાના થરાદ, વાવ અને સુઈગામ તાલુકાના અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી. તેમણે નુકસાનગ્રસ્ત પાકનું નિરીક્ષણ કર્યું તેમજ ખેડૂતો સાથે સંવાદ કર્યો. કૃષિમંત્રીએ કહ્યું, સરહદી વિસ્તારના ખેડૂતોને સહાય પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે અને સરકાર હંમેશા ખેડૂતોની પડખે હોવાનુ...

સપ્ટેમ્બર 26, 2025 3:10 પી એમ(PM)

views 19

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજે પોરબંદરમાં આયોજિત આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા આજે પોરબંદરમાં આયોજિત આત્મનિર્ભર ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જિલ્લાની ડૉક્ટર વિ. આર. ગોઢાણિયા મહાવિદ્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી માંડવિયાએ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોને આત્મનિર્ભર ભારત તથા વસ્તુ અને સેવા કર – GST સુધારણા વિષય અંગે સંબોધિત કર્યા. ...