ઓક્ટોબર 12, 2025 7:45 પી એમ(PM)

views 13

સ્વચ્છતા અને સુંદરતા સંબંધિત 33 માપદંડને પૂર્ણ કરવા બદલ મહારાષ્ટ્રના પાંચ દરિયાકિનારે આંતરરાષ્ટ્રીય બ્લ્યુ ફ્લેગ પ્રમાણપત્ર એનાયત

મહારાષ્ટ્રના પાંચ દરિયાકિનારાને આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરેએ જણાવ્યુ કે આ યાદીમાં રાયગઢ જિલ્લાના શ્રીવર્ધન, પાલઘરમાં નાગાંવ અને પરનાકા, રત્નાગિરિ જિલ્લામાં ગુહાગર અને લાડઘર દરિયાકિનારાનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગ પ્રમાણપ...

ઓક્ટોબર 12, 2025 7:06 પી એમ(PM)

views 12

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવામાં સહકાર ક્ષેત્રનું યોગદાન મહત્વનું રહેશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ભારતને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનાવવામાં સહકાર ક્ષેત્રનું યોગદાન મહત્વનું રહેશે. મહેસાણામાં વિજાપુર ખાતે ધી સરદાર પટેલ સહકારી ધિરાણ સોસાયટી લિમિટેડના રજત જયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે આજે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી. તેમણે સહકાર...

ઓક્ટોબર 12, 2025 7:05 પી એમ(PM)

views 20

રાજ્યભરમાં વિકાસરથના માધ્યમથી પાંચ દિવસમાં 483 કરોડ રૂપિયાથી વધુના નવ હજાર 254 વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થયા

રાજ્યભરમાં વિકાસરથના માધ્યમથી ગત પાંચ દિવસમાં 483 કરોડ રૂપિયાથી વધુના નવ હજાર 254 કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ફરી રહેલા વિકાસરથના માધ્યમથી વિવિધ યોજનાના 23 હજાર 600થી વધુ લાભાર્થીને 44 કરોડ 67 લાખ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કરાયું. સાથે જ વિક...

ઓક્ટોબર 12, 2025 7:01 પી એમ(PM)

views 13

રાજ્યમાં શરૂ થયેલી મૅટ્રો ટ્રૅનમાં અત્યાર સુધી 10 કરોડથી પણ વધુ લોકોએ મુસાફરી કરી.

રાજ્યમાં લાખો લોકો મૅટ્રો ટ્રૅનમાં મુસાફરી કરી રહ્યા છે. અમદાવાદમાં દરરોજ સરેરાશ 35 હજાર મુસાફરથી શરૂ થયેલી સંખ્યા હાલ દોઢ લાખથી વધુ થઈ છે. અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા મહાનગરમાં લાખો લોકો દરરોજ મૅટ્રો ટ્રૅનમાં સફર કરે છે. મૅટ્રો ટ્રૅનમાં અત્યાર સુધી 10 કરોડથી પણ વધુ નાગરિકોએ મુસાફરી કરી છે. અમદા...

ઓક્ટોબર 12, 2025 7:00 પી એમ(PM)

views 15

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરતને વધુ સુંદર બનાવવા અને સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા લોકોને અનુરોધ કર્યો.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું, સુરત શહેર લોકહિતના ક્ષેત્રે નેતૃત્વ કરવામાં અગ્રેસર રહ્યું છે. સુરતને વધુ સુંદર બનાવવા અને સ્વચ્છતાને જીવનનો ભાગ બનાવવા પણ શ્રી પાટીલે સૌને અનુરોધ કર્યો. સુરતમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં ઇન્ડૉર સ્ટેડિયમ ખાતે આજે શહેરી વિકાસ વર્ષ 2025 અને વિકાસ સપ્તાહ 2025...

ઓક્ટોબર 12, 2025 2:28 પી એમ(PM)

views 18

રાજ્યમાં હાલ કાર્યરત્ 90 હજાર જેટલી સહકારી મંડળીમાં એક કરોડ 71 લાખથી વધુ સભાસદ જોડાયેલા છે :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યમાં હાલ કાર્યરત્ 90 હજાર જેટલી સહકારી મંડળીમાં એક કરોડ 71 લાખથી વધુ સભાસદ જોડાયેલા છે. મહેસાણામાં વિજાપુર ખાતે ધી સરદાર પટેલ સહકારી ધિરાણ સોસાયટી લિમિટેડના રજત જયંતી મહોત્સવની ઉજવણી નિમિત્તે આજે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે આ વાત કહી. શ્રી પટેલે કહ...

ઓક્ટોબર 12, 2025 2:26 પી એમ(PM)

views 20

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળાનું આયોજન કરાયું

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળાનું આયોજન કરાયું છે. પતરાવાળી પાસે મેળાના મેદાન ખાતે આજથી શરૂ થયેલો આ મેળો 14 તારીખ સુધી ચાલશે. તેમાં જિલ્લા ગ્રામવિકાસ સંસ્થા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને મહાનગરપાલિકાના શહેરી સામૂદાયિક નિગમ વિભાગના સખી મંડળની બહેનોએ તૈયાર કરેલી હસ્તકળ...

ઓક્ટોબર 12, 2025 2:26 પી એમ(PM)

views 12

પાટણમાં કેન્સર જાગૃતિ અંગે વિશાળ પિંક પરેડ યોજાઈ.

પાટણમાં કેન્સર જાગૃતિ અંગે વિશાળ પિંક પરેડ યોજાઈ. તેમાં નિષ્ણાત તબીબોએ વિવિધ કેન્સર અંગે લોકોને માર્ગદર્શન આપ્યું. તેમજ કેન્સરમાંથી સાજા થનારી મહિલાઓનું સન્માન કરાયું. શાળા અને મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓ, યુવાનો, તબીબો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ આ પરેડમાં જોડાઈ હતી.

ઓક્ટોબર 12, 2025 2:24 પી એમ(PM)

views 17

બોટાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMCના અધ્યક્ષના વડપણ હેઠળ સહકારી મંડળી અને વેપારીઓની બેઠક યોજાઈ.

બોટાદમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMCના અધ્યક્ષના વડપણ હેઠળ સહકારી મંડળી અને વેપારીઓની બેઠક યોજાઈ. તેમાં ખેડૂતોના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું APMCના અધ્યક્ષ મનહર માતરિયાએ જણાવ્યું.

ઓક્ટોબર 12, 2025 2:24 પી એમ(PM)

views 12

સુરતના બારડોલીમાં નાંદીડા ચોકડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો.

સુરતના બારડોલીમાં નાંદીડા ચોકડી ખાતે રાજ્યકક્ષાના મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નાણામંત્રી કનુ દેસાઈ સહિતના મંત્રીઓ તેમજ ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.