ઓક્ટોબર 23, 2025 2:41 પી એમ(PM)

views 39

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા—ખોરજ G.I.D.C. માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદના સાણંદમાં 805 કરોડ રૂપિયાના ખર્ચે શાંતિપુરા—ખોરજ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ – G.I.D.C. માર્ગના છ માર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કુલ 28 પૂર્ણાંક આઠ કિલોમીટર લંબાઈના માર્ગનું છ-માર્ગીયકરણ બંને તરફ સ...

ઓક્ટોબર 23, 2025 11:04 એ એમ (AM)

views 83

અમદાવાદ મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ શહેરના ત્રણ જૂના પુલના સમારકામ માટે 21 કરોડ 55 લાખ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી

અમદાવાદ મહાનગર પાલિકાની સ્થાયી સમિતિએ શહેરના ત્રણ જૂના પુલના સમારકામ માટે 21 કરોડ 55 લાખ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં ગાંધી બ્રિજ પર 38 સ્પાન, સરદાર બ્રિજ પર 48 અને પરિક્ષિતલાલ મજમુદાર બ્રિજ પર 3 સહિત 89 સ્પાન ઉપાડી માળખાકીય સ્થિરતા અને સલામતી સુધારવા માટે બેરિંગ્સ બદલવામાં આવશે...

ઓક્ટોબર 23, 2025 10:59 એ એમ (AM)

views 131

આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ કમોસમી વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતનાં ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. જ્યારે બે દિવસ બાદ આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની આગાહી હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. દરમિયાન ગઇકાલે નવસ...

ઓક્ટોબર 23, 2025 10:58 એ એમ (AM)

views 21

રાજ્યભરમાં આજે ભાઈબીજની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

રાજ્યભરમાં આજે ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ભાઈબહેનના પ્રેમ અને પવિત્ર બંધનના પ્રતિક સમી ભાઈબીજને યમ દ્વિતીયા પણ કહેવાય છે. પૌરાણિક કથા અનુસાર યમરાજ બહેન યમુનાને મળવા આવ્યા ત્યારથી ભાઈ બીજની ઉજવણીની શરૂઆત થઈ. ભાઈ બીજના દિવસે બહેન ભાઈને તિલક કરી નાળિયેર આપે છે અને ભાઈના લાં...

ઓક્ટોબર 23, 2025 10:56 એ એમ (AM)

views 13

ક્ષય નાબૂદીમાં ઉચ્ચ સારવાર સફળતા દર સાથે, નર્મદા જિલ્લાની ઉદાહરણરૂપ કામગીરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2025 સુધીમાં ક્ષય મુક્ત ભારતનું લક્ષ્ય નર્મદા જિલ્લામાં પ્રગતિ કરી રહ્યું છે. ઉચ્ચ સારવાર સફળતા દર સાથે, નર્મદા ક્ષય નાબૂદી માટે એક મોડેલ બની ગયું છે. ગુજરાત હવે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટોચના પ્રદર્શન કરનારા રાજ્યોમાં સ્થાન ધરાવે છે. જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખના વસા...

ઓક્ટોબર 23, 2025 10:55 એ એમ (AM)

views 38

કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

રાજ્યના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદના સાણંદમાં સાણંદ-ખોરજ GIDC છ માર્ગીય રોડનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરના સેક્ટર-17માં નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કરશે. શ્રી શાહે ગઇકાલે અમદાવાદના થલતેજ ખાતે સવારે નૂતન વર્ષ અને તેમના જન્મદિન ...

ઓક્ટોબર 23, 2025 8:38 એ એમ (AM)

views 119

ICC મહિલા વન-ડે ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો

ICC મહિલા વન-ડે ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ મેચ નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમ ખાતે બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે હારનારી ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. દરમિયાન ગઈકાલે રાત્રે ઈન્દોરમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લ...

ઓક્ટોબર 23, 2025 8:38 એ એમ (AM)

views 65

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ આજે એડિલેડમાં રમાશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચ આજે એડિલેડમાં રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 9:00 વાગ્યે શરૂ થશે. ઓસ્ટ્રેલિયા સામે સાત વિકેટથી પહેલી મેચ હારી ગયા બાદ, ભારતે શ્રેણી જીવંત રાખવા આ મેચ જીતવી આવશ્યક છે વનડે શ્રેણી પછી, બંને ટીમો પાંચ ટી-20 મેચ રમશે.

ઓક્ટોબર 23, 2025 9:49 એ એમ (AM)

views 60

દેશભરમાં આજે ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી

દેશભરમાં આજે ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ભાઈબહેનના પ્રેમ અને પવિત્ર બંધનના પ્રતિક સમી ભાઈબીજને યમ દ્વિતીયા, ભૌબીજ, ભાઈ ટીકા પણ કહેવાય છે.આ દિવસે, બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક કરી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. બદલામાં, ભાઈઓ બહેનની રક્ષા અને સંભાળ રાખવાનું વચ...

ઓક્ટોબર 23, 2025 7:19 એ એમ (AM)

views 21

પવિત્ર તીર્થસ્થળ કેદારનાથના કપાટ આજે સવારે શિયાળા ઋતુ માટે બંધ કરાશે

પવિત્ર તીર્થસ્થળ કેદારનાથના કપાટ આજે સવારે 8:30 વાગ્યે શિયાળા ઋતુ માટે બંધ કરાશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સમાપન સમારોહમાં હાજર રહેશે. ગઇકાલે કેદારનાથ ધામમાં સાંજની આરતી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શ્રી પુષ્કર સિંહ ધામીએ શિયાળાની ઋતુ માટે શ્રી ગંગોત્રી ધામના ...