ઓક્ટોબર 28, 2025 9:31 એ એમ (AM)

views 43

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના સત્રને સંબોધશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA) 8મા સત્રમાં સંબોધન કરશે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આજે ISAના ઉદ્ઘાટન સત્રને પણ સંબોધિત કરશે.

ઓક્ટોબર 28, 2025 9:30 એ એમ (AM)

views 33

આજથી ગુજરાત સહિત 12 રાજયોમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા ઝુંબેશ અમલમાં

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત અન્ય 12 રાજયોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા-SIR હાથ ધરાશે. આ અંતર્ગત BLO ની તાલીમ આજથી શરૂ થશે.ગુજરાત રાજ્ય સહિત છત્તીસગઢ, ગોવા, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર ટાપુ અને લક...

ઓક્ટોબર 28, 2025 9:28 એ એમ (AM)

views 39

ચક્રવાતી વાવાઝોડા મોન્થા આજે આંધ્રપ્રદેશના દરિયા કિનારેથી 90 થી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પસાર થાય તેવી શક્યતા

બંગાળની ખાડી પર ઉભું થયેલું ચક્રવાતી વાવાઝોડું મોન્થા ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહયું છે અને ચેન્નાઈથી લગભગ ૪૨૦ કિમી પૂર્વમાં કેન્દ્રિત છે. આજે તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.આ વાવાઝોડું આજે રાત્રે કાકીનાડાની આસપાસ માછલીપટ્ટનમ અને કલ...

ઓક્ટોબર 27, 2025 7:53 પી એમ(PM)

views 66

ચૂંટણી પંચે આજે ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણાની જાહેરાત કરી

ચૂંટણી પંચે આજે જાહેરાત કરી છે કે બીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા-SIR હાથ ધરવામાં આવશે. ચૂંટણી પંચે જણાવ્યું, આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, ત...

ઓક્ટોબર 27, 2025 7:52 પી એમ(PM)

views 11

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, વિશ્વએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે વિશ્વએ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતા દર્શાવવી જોઈએ. તેમણે જણાવ્યું છે કે આ ખતરો વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સૌથી મોટા જોખમોમાંનો એક છે. તેમણે આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનને સંબોધિત કરતી વખતે આમ જણાવ્યું હતું. શ્રી જયશંકરે કહ્યું...

ઓક્ટોબર 27, 2025 7:50 પી એમ(PM)

views 14

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આગામી પાંચ વર્ષમાં સહકારી ધોરણે દરિયામાં માછીમારી કરતાં 200 જહાજનું વિતરણ કરવાની સરકારની યોજના

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે માહિતી આપી હતી કે સરકાર આગામી પાંચ વર્ષમાં દેશભરમાં સહકારી ધોરણે ઊંડા દરિયામાં માછીમારી કરતાં અંદાજે 200 જહાજોનું વિતરણ કરવાની યોજના બનાવી રહી છે. મુંબઈના મઝગાંવ ડોક ખાતે બે માછીમારી જહાજોનું વિતરણ કર્યા બાદ અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ લાભાર્થીઓને જહાજ ...

ઓક્ટોબર 27, 2025 7:47 પી એમ(PM)

views 12

કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદનના સાત પ્લાન્ટને મંજૂરી આપી

કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આજે ઇલેક્ટ્રોનિક ઘટકો ઉત્પાદન યોજના-ECMS હેઠળ સાત પ્લાન્ટને મંજૂરી આપી છે. આ તમામ અરજીઓમાં કુલ પાંચ હજાર 532 કરોડ રૂપિયાનું રોકાણ અને 44 હજાર 406 કરોડ રૂપિયાનું અપેક્ષિત ઉત્પાદન સામેલ હતું. આ પરિયોજનાઓથી પાંચ હજારથી વધુ સીધી રોજગારીનું સર્જન થવ...

ઓક્ટોબર 27, 2025 7:46 પી એમ(PM)

views 11

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ સંબંધિત તમામ કામ પૂર્ણ

ઉત્તરપ્રદેશમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ જાહેરાત કરી છે કે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ સંબંધિત તમામ કામો પૂર્ણ થઈ ગયા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તીર્થ ક્ષેત્રએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બરે મંદિરની ટોચ પર ધજા લહેરાવશે.

ઓક્ટોબર 27, 2025 7:18 પી એમ(PM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’નો માર્ગ અપનાવીને રાજ્યના બંદરોને સમૃદ્ધિના દ્વાર બનાવ્યા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મહારાષ્ટ્રના મુંબઈમાં આગામી 31 તારીખ સુધી યોજાનારા ભારત સમુદ્રી સપ્તાહ 2025-નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતે ‘સમુદ્ર સે સમૃદ્ધિ’નો માર્ગ અપનાવીને રાજ્યના બંદરોને સમૃદ્ધિના દ્વાર બનાવ્યા છે. તેમણે કહ્યું, સમુદ્રી વિકાસની ગત બે...

ઓક્ટોબર 27, 2025 7:17 પી એમ(PM)

views 12

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, ખોરાકમાં ભેળસેળ કરનારા લોકો સામે કાર્યવાહી કરાશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ આજે ગાંધીનગરમાં તેમના વિભાગની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી. દરમિયાન તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. દરમિયાન શ્રી પાનશેરિયાએ ખોરાકમાં ભેળસેળ કરનારા લોકોને છોડવામાં નહીં આવે તેવી ચેતવણી પણ આપી હતી. તેમજ આગામી દિવસોમાં તેમની ...