નવેમ્બર 8, 2025 7:08 પી એમ(PM)

views 67

રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી 26 ફેબ્રુઆરીથી શરૂ થશે – ગુજરાત બોર્ડે સમયપત્રક જાહેર કર્યું

રાજ્યમાં આગામી 26 ફેબ્રુઆરી 2026થી ધોરણ 10 અને 12 બૉર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડે પરીક્ષા માટેનું સમયપત્રક જાહેર કર્યું છે. તે મુજબ, ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્...

નવેમ્બર 8, 2025 7:06 પી એમ(PM)

views 27

અમરેલીનાં ખેલાડી ડૉક્ટર માલવિકા જોષીએ 70 વર્ષથી રાજ્યસ્તરની ત્રણ સ્પર્ધામાં ત્રણ સુવર્ણ ચંદ્રક જીત્યાં

અમરેલીનાં ખેલાડી ડૉક્ટર માલવિકા જોષીએ 70 વર્ષથી રાજ્યસ્તરની ત્રણ સ્પર્ધામાં ત્રણ સુવર્ણ ચંદ્રક જીત્યાં છે. મળતી માહિતી મુજબ, સાવરકુંડલાનાં નિવૃત્ત પ્રાધ્યાપક ડૉક્ટર માલવિકા જોષીએ સાપુતારા ખાતે આ મહિને યોજાયેલી 10-મી ગુજરાત રાજ્ય માસ્તર ખેલકૂદ ચેમ્પિયનશીપમાં આ સિદ્ધિ મેળવી છે. તેમણે 70થી વધુ વયજૂથમાં...

નવેમ્બર 8, 2025 2:26 પી એમ(PM)

views 17

સાંસદ જસુ રાઠવાએ સરદાર ઍટ 150 યુનિટી માર્ચ અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે આયોજિત યાત્રા અંગે છોટાઉદેપુરમાં પત્રકાર પરિષદ યોજી.

સાંસદ જસુ રાઠવાએ સરદાર ઍટ 150 યુનિટી માર્ચ અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે આયોજિત યાત્રા અંગે છોટાઉદેપુરમાં પત્રકાર પરિષદ યોજી. તેમણે પત્રકારોને પદયાત્રાની રૂપરેખાની માહિતી આપી તેમજ આ યાત્રામાં લોકોને જોડાવવા અપીલ પણ કરી.

નવેમ્બર 8, 2025 2:25 પી એમ(PM)

views 18

ગીરસોમનાથના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર ફોટો ખેંચાવતા સાત લોકો દરિયાની લહેરોમાં તણાયા

ગીરસોમનાથના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર ફોટો ખેંચાવતા સાત લોકો દરિયાની લહેરોમાં તણાઈ ગયા હતા. અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, રાહત અને બચાવ કામગીરીના કારણે છ લોકોને બચાવી લેવાયા છે. જ્યારે એક યુવતી હજી પણ ગુમ છે, જેની શોધખોળ ચાલી રહી છે.

નવેમ્બર 8, 2025 2:24 પી એમ(PM)

views 26

રાજ્યમાં ગત બે દિવસથી ઠંડીનો અનુભવ..

રાજ્યમાં ગત બે દિવસથી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન ખાતાએ આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈ આગાહી કરી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો છે. આ સાથે જ કચ્છનું નલિયા 16.3 ડિગ્રી સેલ્સિયસ ડિગ્રી સાથે હાલ સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ઉત્તર તરફથી પવન આવતા તાપમાન ઘટી શકે છે તેમ હવામાન...

નવેમ્બર 8, 2025 2:23 પી એમ(PM)

views 9

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં જિલ્લા પંચાયતની ત્રણ બેઠક પર ભાજપનો વિજય..

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં જિલ્લા પંચાયતની ત્રણ બેઠક પર ભાજપનો વિજય થયો છે. પાંચ નવેમ્બરે જિલ્લા પંચાયતની 2-8, 3-8 અને 6-8 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી. આ માટે આજે મતગણતરી હાથ ધરાતા ત્રણેય બેઠક પર ભાજપનો વિજય થતાં ભાજપના કાર્યકર્તાઓએ ઉજવણી કરી હતી. વિજેતા ઉમેદવાર નાનજી બાબુએ પ્રતિક્રિયા આપી. કેન્દ્રશાસિ...

નવેમ્બર 8, 2025 2:22 પી એમ(PM)

views 16

ભગવાન બિરસા મુંડાની દોઢ સો-મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી જનજાતીય ગૌરવ યાત્રા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ખાતે પહોંચી.

ભગવાન બિરસા મુંડાની દોઢ સો-મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી જનજાતીય ગૌરવ યાત્રા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ખાતે પહોંચી. બિરસા મુંડા સર્કલ ખાતે લોકોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી બોધ લઈ દેશભક્તિનો ગુણ અપનાવવા લોકોને આહ્વાન...

નવેમ્બર 8, 2025 1:25 પી એમ(PM)

views 26

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનારસ રેલ્વે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બનારસ રેલ્વે સ્ટેશનથી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વંદે ભારત, નમો ભારત અને અમૃત ભારત જેવી ટ્રેનો ભારતીય રેલ્વેની આગામી પેઢીનો પાયો નાખી રહી છે. દરેક ભારતીયને વંદે ભારત ટ્રેન પર ગર્વ છે. આ ટ્ર...

નવેમ્બર 8, 2025 2:08 પી એમ(PM)

views 14

નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઇટ કામગીરી પુનઃસ્થાપિત થઇ.

નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ ફ્લાઇટ કામગીરી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. દિલ્હી એરપોર્ટે સૂચના જાહેર કરીને જણાવ્યું હતું કે તમામ ફ્લાઇટની કામગીરી સામાન્ય છે. તેણે મુસાફરોને નવીનતમ ફ્લાઇટ સ્થિતિ અપડેટ્સ માટે તેમની સંબંધિત એરલાઇન્સ સાથે સંપર્કમાં રહેવાની પણ સલાહ આપી હતી. એર ...

નવેમ્બર 8, 2025 1:22 પી એમ(PM)

views 11

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સાત માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું

છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં, સાત માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. તેમણે રાયપુર રેન્જના પોલીસ મહાનિરીક્ષક અમરેશ મિશ્રા સમક્ષ પોતાના શસ્ત્રો મૂક્યા હતા. આ પ્રસંગે, આત્મસમર્પણ કરનારા માઓવાદીઓએ પોલીસને છ શસ્ત્રો પણ સોંપ્યા હતા. આ માઓવાદીઓ પર કુલ સાડત્રીસ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.