માર્ચ 21, 2025 3:10 પી એમ(PM) માર્ચ 21, 2025 3:10 પી એમ(PM)

views 8

કચ્છ-સૌરાષ્ટ્રને જોડતી ભુજ-રાજકોટ ટ્રેન સેવાનો આજથી આરંભ

કચ્છ-સૌરાષ્ટ્રને જોડતી ભુજ-રાજકોટ ટ્રેન સેવાનો આજથી આરંભ થયો છે. આજે વહેલી સવારે કચ્છ મુસાફર મંડળ અને રેલવે વિસ્તરણ સમિતિના અગ્રણીઓએ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હાલ આ સેવા ત્રણ મહિના સુધી ચાલશે. સમિતિનાં અગ્રણીએ આ સેવા ભવિષ્યમાં દ્વારકા સુધી લંબાવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

માર્ચ 19, 2025 6:58 પી એમ(PM) માર્ચ 19, 2025 6:58 પી એમ(PM)

views 7

પશ્ચિમ રેલવેએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ વચ્ચે ચાલતી વેરાવળ સુપર ફાસ્ટ દૈનિક ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવાનો નિર્ણય લીધો

પશ્ચિમ રેલવેએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ વચ્ચે ચાલતી વેરાવળ સુપર ફાસ્ટ દૈનિક ટ્રેનમાં કાયમી ધોરણે ત્રણ વધારાના કોચ લગાવવાનો નિર્ણય લીધો છે. હાલ આ ટ્રેન 18 કોચ સાથે ચાલી રહી છે. 14 મે થી એક સેકન્ડ એસી, એક થર્ડ એસી અને એક જનરલ કોચ ઉમેરવામાં આવશે. ટ્રેનના સ્ટોપેજ સહિતની વધુ વિગતો www.enquiry.indianrail.gov.in પર ઉપલબ્ધ છે.

માર્ચ 9, 2025 7:19 પી એમ(PM) માર્ચ 9, 2025 7:19 પી એમ(PM)

views 5

પૂર્વોત્તર રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ મથક વચ્ચે નૉન-ઈન્ટરલોકિંગ કામને લીધે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે.

પૂર્વોત્તર રેલવેના કુસમ્હી-ગોરખપુર-ગોરખપુર કેન્ટ મથક વચ્ચે નૉન-ઈન્ટરલોકિંગ કામને લીધે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ છે. આગામી 24 એપ્રિલ અને પહેલી મે ના રોજ ગોરખપુરથી ચાલનારી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ રદ્દ રહેશે. આગામી 27 એપ્રિલ અને 4 મે ના રોજ ઓખાથી ચાલનારી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ પણ રદ્દ રહેશે. આ ઉપરાંત 10,11,24 એપ્રિલ અને પહેલી મેની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગને બદલે વાયા બારાબંકી-શાહગંજ-મઊ-ફેફના-છપરા-મુઝફ્ફરપુરના રસ્તે ...

ફેબ્રુવારી 17, 2025 2:11 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:11 પી એમ(PM)

views 9

ઉત્તર રેલવેએ આગામી દિવસોમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પગલાં લીધા

ઉત્તર રેલવેએ આગામી દિવસોમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક પગલાં લીધા છે. રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રયાગરાજ જતી બધી વિશેષ ટ્રેનો પ્લેટફોર્મ નંબર 16થી ચલાવવામાં આવશે. જ્યારે નિયમિત ટ્રેનો બધા પ્લેટફોર્મ પરથી ચલાવવામાં આવશે. આ ઉપરાંત, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર રેલ્વે સુરક્ષા દળની તૈનાતી વધારવામાં આવી છે.

ફેબ્રુવારી 17, 2025 2:05 પી એમ(PM) ફેબ્રુવારી 17, 2025 2:05 પી એમ(PM)

views 7

દેશના 60 સૌથી વ્યસ્ત અને ભીડવાળા રેલવે મથક પર પર્માનેન્ટ હૉલ્ડિંગ એરિયા બનાવાશે

દેશના 60 સૌથી વ્યસ્ત અને ભીડવાળા રેલવે મથક પર પર્માનેન્ટ હૉલ્ડિંગ એરિયા બનાવવામાં આવશે. રેલવે મથક પર વધતી ભીડને નિયંત્રણમાં લેવા માટે ભારતીય રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી દિલ્હી રેલવે મથક પર થયેલી દુર્ઘટના મામલે તપાસ પૂરી થયા બાદ કાર્યવાહી કરાશે એમ પણ ભારતીય રેલવે દ્વારા જણાવાયું છે.

જાન્યુઆરી 29, 2025 6:23 પી એમ(PM) જાન્યુઆરી 29, 2025 6:23 પી એમ(PM)

views 4

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ- NCRTC એ નમો ભારત રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટિકિટ પર દસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી

રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ- NCRTC એ નમો ભારત રેલવેએ મુસાફરોની સુવિધા માટે ટિકિટ પર દસ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. નમો ભારત મોબાઇલ એપ પરથી ખરીદેલી ટિકિટઅને NCMC કાર્ડનો ઉપયોગ કરીને મુસાફરોને આ ડિસ્કાઉન્ટ નો લાભમળશે. NCRTC એ માહિતી આપી છે કે મુસાફરોની સુવિધા માટે,લોયલ્ટી પોઈન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત મુસાફરોને ઘણા લાભો આપવામાં આવી રહ્યા છે.

જાન્યુઆરી 17, 2025 3:20 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 3:20 પી એમ(PM)

views 11

અમદાવાદ ડિવિઝનના 5 રેલવે અધિકારીઓ અને આઠ રેલવે કર્મચારીઓને વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા

અમદાવાદ ડિવિઝનના 5 રેલવે અધિકારીઓ અને આઠ રેલવે કર્મચારીઓને વિશિષ્ટ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા છે. તાજેતરમાં જ મુંબઈમાં યોજાયેલા પશ્ચિમ રેલવેના 69મા રેલવે સપ્તાહની ઉજવણી પ્રસંગે વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર સમારોહમાં પશ્ચિમ રેલવેના 92 અધિકારીઓ અને કર્મચારીઓને તેમની વિશેષ રેલવે સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા હતા, જેમાં અમદાવાદ ડિવિઝનના 5 અધિકારીઓ અને 8 કર્મચારીઓને વર્ષ 2024માં પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કાર્યક્ષમતા પુરસ્કાર અને મેરિટ સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.

ડિસેમ્બર 19, 2024 7:42 પી એમ(PM) ડિસેમ્બર 19, 2024 7:42 પી એમ(PM)

views 7

ઉત્તર રેલવે લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યા કેન્ટ-ઝાફરાબાદ વિભાગમાં નૉન-ઇન્ટરલૉકિંગનું કામ ચાલી રહ્યું છે. તેના કારણે સાબરમતી-દરભંગા ક્લૉન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

ઉત્તર રેલવે લખનઉ મંડળના બારાબંકી-અયોધ્યા કેન્ટ-ઝાફરાબાદ વિભાગમાં નૉન-ઇન્ટરલૉકિંગનું કામ ચાલી રહ્યું છે. તેના કારણે સાબરમતી-દરભંગા ક્લૉન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. જ્યારે ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ અને કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગથી ચાલશે એમ રેલવે વિભાગની યાદીમાં જણાવાયું છે. વિભાગે જણાવ્યા મુજબ, 20 અને 27 ડિસેમ્બર તેમજ ત્રણ જાન્યુઆરીની અમદાવાદ-દરભંગા ક્લૉન સ્પેશિયલ રદ રહેશે. જ્યારે 23 અને 30 નવેમ્બર તેમજ 6 જાન્યુઆરીની દરભંગા-અમદાવાદ ક્લૉન સ્પેશિયલ ટ્રેન રદ રહેશે. જ્યારે 23 અને 30 ડ...

નવેમ્બર 27, 2024 7:56 પી એમ(PM) નવેમ્બર 27, 2024 7:56 પી એમ(PM)

views 7

ટ્રેનોમાં સામાન્ય વર્ગનાં ડબ્બા બંધ કરવાની રેલવેની કોઈ યોજના ન હોવાની સરકારની સ્પષ્ટતા

સરકારે આજે લોકસભામાં જણાવ્યું હતું કે, ટ્રેનોમાં સામાન્ય વર્ગનાં ડબ્બા બંધ કરવાની રેલવેની કોઈ યોજના નથી. એક લેખિત જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન LHB કોચ ધરાવતી મેઇલ-એક્સપ્રેસ ટ્રેનોમાં 600થી વધુ જનરલ ક્લાસના ડબ્બા જોડવામાં આવ્યા છે. પ્રવાસીઓની માંગણીને ધ્યાનમાં રાખતા ભારતીય રેલવેએ સામાન્ય વર્ગ અને સ્લિપર વર્ગ સહિતનાં 10 હજાર નોન-એસી કોચનું ઉત્પાદન કરવાની યોજના બનાવી છે.

નવેમ્બર 5, 2024 9:59 એ એમ (AM) નવેમ્બર 5, 2024 9:59 એ એમ (AM)

views 6

ભારતીય રેલવે દિવાળી અને છઠ પુજાનાં તહેવારને ધ્યાનમાં રાખીને દેશભરમાં વધારાની ટ્રેનો દોડાવી રહી છે

ભારતીય રેલવે દિવાળી અને છઠ પુજાનાં તહેવારને ધ્યાનમાં રાખીને દેશભરમાં વધારાની ટ્રેનો દોડાવી રહી છે. રેલવેએ તહેવારો દરમિયાન ઉધનામાં મુસાફરોની માંગને પૂરી કરવા માટે કુલ 104 ટ્રેન દોડાવી છે, જેમાં 44 હોલિડે સ્પેશ્યલ હતી. આમાંથી એક તૃતીયાંશ સંપૂર્ણપણે અનારક્ષિત હતી, જેને કારણે સામાન્ય શ્રેણીમાં યાત્રા કરનારા મુસાફરોને લાભ થયો છે. અત્યાર સુધી એક લાખ 60 હજાર મુસાફરો દિવાળી અને છઠ તહેવાર પોતાનાં પરિવાર સાથે ઉજવવા પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચી શક્યા છે. 3 નવેમ્બર સુધી ઉધના જંક્શનથી લગભગ 31 હજાર મુસાફરો મ...