નવેમ્બર 5, 2024 9:50 એ એમ (AM)

views 17

તહેવારોને પગલે રેલવે આજે રાજધાની દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે 22 વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે

તહેવારોને પગલે રેલવે આજે રાજધાની દિલ્હીથી દેશના વિવિધ ભાગો માટે 22 વિશેષ ટ્રેનનું સંચાલન કરી રહ્યું છે. આ ટ્રેન સહરસા, જયનગર, પટણા, મુઝફ્ફરપુર, ગોરખપુર, દરભંગા, સિંકદરાબાદ અને માલદા ટાઉન માટે ચલાવવામાં આવી રહી છે. રેલવે અનુસાર છઠ પૂજા દરમિયાન મુસાફરોની સુવિધા માટે આ મહિને 2 થી 8 નવેમ્બર વચ્ચે 145થી વધુ ટ્રેન ચલાવવામાં આવી રહી છે, જેનાથી પ્રતિ દિવસ બે લાખ વધારાના મુસાફરોને લાભ થઈ રહ્યો છે. રેલવેએ મુસાફરોની સંખ્યા જોતા ગત મહિનાની પહેલી તારીખથી આ મહિનાની 30 તારીખ સુધીમાં સાત હજારથી વધુ વિશેષ ટ્રેનન...

ઓક્ટોબર 31, 2024 7:32 પી એમ(PM)

views 17

ભારતીય રેલવે આ તહેવારોની મોસમમાં રેલેવનાં મુસાફરોની સગવડતા માટે દેશભરમાં વિશેષ ટ્રેન સેવાઓ ચલાવી રહી છે

ભારતીય રેલવે આ તહેવારોની મોસમમાં રેલેવનાં મુસાફરોની સગવડતા માટે દેશભરમાં વિશેષ ટ્રેન સેવાઓ ચલાવી રહી છે. દર વર્ષે, રેલવે લાખો પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ ટ્રેનો ચલાવે છે. આ વર્ષે, અગાઉનાં વર્ષોની સરખામણીમાં બે હજાર 800 વિશેષ ટ્રેનોનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે, આ મોસમમાં આશરે 4 હજાર 500 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં દિલ્હીનાં વિભાગીય રેલવે મેનેજર સુખવિન્દર સિંહે જણાવ્યું હતું કે, તહેવારને ધ્યાનમાં રાખતા ટ્રેનોમાં રિઝર્વેશન વગરનાં કોચની સંખ્યા વધારવામાં...

ઓક્ટોબર 18, 2024 10:53 એ એમ (AM)

views 19

ભારતીય રેલવેએ ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી

ભારતીય રેલવેએ ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે, નવો નિયમ 1 નવેમ્બરથી અમલી બનશે. પ્રવાસીઓ 31 ઓક્ટોબર સુધી પ્રવાસની તારીખનાં 120 દિવસ પહેલાં બુકિંગ કરાવી શકશે અને 60 દિવસ ઉપરાંતનાં થયેલા એડવાન્સ બુકિંગને રદ કરી શકાશે. તાજ એક્સપ્રેસ અને ગોમતી એક્સપ્રેસ જેવી દિવસનાં સમયે ચાલતી એક્સપ્રેસ ટ્રેનમાં હાલનાં ટૂંકા એડવાન્સ રીઝર્વેશન સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત, વિદેશી પર્યટકો માટે 365 દિવસની મર્યા...

ઓગસ્ટ 8, 2024 8:43 પી એમ(PM)

views 21

રેલવેના પ્રવાસીઓની સલામતી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે. રેલવેની સલામતી પર ધ્યાન વધારવામાં આવ્યું છે

રેલવેના પ્રવાસીઓની સલામતી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતા છે. રેલવેની સલામતી પર ધ્યાન વધારવામાં આવ્યું છે. સામાન્ય અંદાજપત્રમાં ટ્રેનોની સાથે પ્રવાસીઓની સલામતી પર પણ સૌથી વધારે કુલ અંદાજપત્રને 40 ટકા જેટલો ખર્ચ નક્કી કરાયો છે. હવે 10 હજાર કિલોમીટર રેલવે ટ્રેક પર કવચ લગાવાશે. તેમ જ સંકેત પ્રણાલીમાં ફેરફાર, નવી તકનીક, ફ્લાયઑવર અને અંડરપાસ બનાવવા પર ભાર અપાશે. નવા ટ્રેક અને ડબલ ગેજ રેલવે પાટાના નિર્માણ ઉપર 75 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે વર્ષ ...

ઓગસ્ટ 6, 2024 3:27 પી એમ(PM)

views 19

રાજકોટ વિભાગમાંથી પસાર થતી ચાર ટ્રેન રદ કરવાનો રેલવે તંત્રએ નિર્ણય કર્યો

રાજકોટ વિભાગમાંથી પસાર થતી ચાર ટ્રેન રદ કરવાનો રેલવે તંત્રએ નિર્ણય કર્યો છે. રાજકોટના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, નાગપુર વિભાગમાં સમારકામની કામગીરીના કારણે 10 અને 17 ઑગસ્ટે ઓખાથી ઉપડનારી ઓખા—બિલાસપુર સાપ્તાહિક એક્સપ્રેસ, 12 અને 19 ઑગસ્ટે બિલાસપુરથી ઉપડનારી બિલાસપુર—ઓખા એક્સપ્રેસ, 18 ઑગસ્ટે ઓખાથી ઉપડનારી ઓખા—શાલીમાર સાપ્તાહિક એક્સપ્રેસ અને 20 ઑગસ્ટે શાલિમારથી ઉપડનારી શાલિમાર—ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે. ઉપરાંત 10 અને 11 ઑગસ્ટે હાવડાથી ઉપડનારી હાવડા-અમદાવાદ એક્સપ્રેસ, 13 અને 14 ઑગસ્ટે ...

જુલાઇ 11, 2024 4:52 પી એમ(PM)

views 53

પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ- ઓખા- ગાંધીગ્રામ સ્પેશ્યલ ટ્રેનની સુવિધા 24મી ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે

પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીગ્રામ- ઓખા- ગાંધીગ્રામ સ્પેશ્યલ ટ્રેનની સુવિધા 24મી ઓગસ્ટ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર રેલવે ડિવિઝનના ગાંધીગ્રામ સ્ટેશનથી ચાલતી આ ટ્રેન અગાઉ જૂન સુધી ચલાવવાનું નક્કી કરાયું હતું. ટ્રેન નંબર 09435 ગાંધીગ્રામ ઓખા સ્પેશ્યલ ટ્રેન ગાંધીગ્રામ સ્ટેશનથી દર શનિવારે ઉપડે છે તે 13મી જુલાઇથી 24મી ઓગષ્ટ સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09436 ઓખા- ગાંધીગ્રામ સ્પેશ્યલ ટ્રેન દર રવિવારે ઓખાથી ઉપડે છે તે 14મી જુલાઇથી 25મી ઓગષ્ટ સુધી ચાલશે...