પ્રાદેશિક સમાચાર

ફેબ્રુવારી 5, 2025 3:07 પી એમ(PM)

views 19

ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એન.એસ.એસ. વિભાગ દ્વારા 7 દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એન.એસ.એસ. વિભાગ દ્વારા 7 દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.માજી ધારાસભ્ય અને જિલ્લા સદસ્ય મંગળભાઇ ગાવિતે આ ખાસ શિબીરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંગળભાઈ ગાવિતે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી પર્યાવરણ બચાવવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હત...

ફેબ્રુવારી 5, 2025 3:04 પી એમ(PM)

views 15

ડાંગમાંથી વિદાય લઈ રહેલા કલેક્ટર મહેશ પટેલ, તેમજ નિવાસી અધિક કલેક્ટર બી.બી.ચૌધરીને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું

ડાંગમાંથી વિદાય લઈ રહેલા કલેક્ટર મહેશ પટેલ, તેમજ નિવાસી અધિક કલેક્ટર બી.બી.ચૌધરીને જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, મહેશ પટેલને નાણાં વિભાગમા સેક્રેટરી, તેમજ બી.બી.ચૌધરીને પોરબંદર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકેની નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

ફેબ્રુવારી 5, 2025 3:03 પી એમ(PM)

views 64

સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે લલિત નારાયણ સિંગ સંધુએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે

સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે લલિત નારાયણ સિંગ સંધુએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે.લલિત નારાયણ સિંગ સંધુ 2015 ની કેડરના આઈએએસ અધિકારી છે.મૂળ રાજસ્થાનના વતની એવા લલિત નારાયણ B.E.PGDMની પદવી ધરાવે છે.આ અગાઉ તેઓ સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ફરજ...

ફેબ્રુવારી 5, 2025 12:05 પી એમ(PM)

views 15

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી

રાજ્યમાં આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો અને ત્યારબાદ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમિયાન આગામી સાત દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે એમ હવામાન વિભાગના નિદેશક ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 10 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમ...

ફેબ્રુવારી 5, 2025 12:01 પી એમ(PM)

views 27

રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે.

રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. આ પહેલા અનેક નગરપાલિકાઓ બિનહરીફ જાહેર થઈ હોવાના અહેવાલ છે. પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે, હાલોલ નગરપાલિકાની સામાન્ય 9 વૉર્ડની 36 બેઠક માટે ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના મળીને કુલ 72 જેટલા ઉમેદવારે ઉ...

ફેબ્રુવારી 5, 2025 11:49 એ એમ (AM)

views 8

ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતા- UCC લાગુ કરનારું ગુજરાત બીજું રાજ્ય બનશે.

ઉત્તરાખંડ બાદ સમાન નાગરિક સંહિતા- UCC લાગુ કરનારું ગુજરાત બીજું રાજ્ય બનશે. ગાંધીનગરમાં ગઈકાલે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતાને ચકાસવા અને UCC કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સર્વોચ્ચ અદાલતનાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્...

ફેબ્રુવારી 5, 2025 11:30 એ એમ (AM)

views 9

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે.

ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા- યુસીસી અંગે રચાયેલી સમિતિ અને તેના અહેવાલ અંગે મંત્રીમંડળને માહિતી અપાશે. દરમિયાન ગુજરાત વિધાનસભાના ...

ફેબ્રુવારી 4, 2025 7:32 પી એમ(PM)

views 6

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વક્ફ બોર્ડની મિલકત હોવાનો દાવો કરતી પીટીશન નામદાર વડી અદાલતે ફગાવી છે

બેટ દ્વારકાના બાલાપર ગામ ખાતે ગેરકાયદેસર ધાર્મિક દબાણોને વક્ફ બોર્ડની મિલકત હોવાનો દાવો કરતી પીટીશન નામદાર વડી અદાલતે ફગાવી છે. વક્ફના નામે સરકારી જગ્યાઓ પર કબજો કરી કુલ 12 ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. વડી અદાલતે પિટિશન ફગાવતા પ્રશાસન દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઇ...

ફેબ્રુવારી 4, 2025 7:30 પી એમ(PM)

views 23

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની બેઠકો પર ભાજપના કુલ 215 ઉમેદવારો બિનહરીફ જીત્યા છે

રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની બેઠકો પર ભાજપના કુલ 215 ઉમેદવારો બિનહરીફ જીત્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 9 બેઠકો, તાલુકા અને જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓમાં 10 બેઠકો બિનહરીફ થઈ છે. રાજ્યની 68 નગર પાલિકાઓની 196 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોની બિનહરિફ જીત થઈ છે.

ફેબ્રુવારી 4, 2025 7:29 પી એમ(PM)

views 11

ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે આજે નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે આજે નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંગળા આરતીથી શરૂ થયેલા કાર્યક્રમમાં માતાજીની પ્રતિમાને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને ભવ્ય ફૂલ શણગાર કરવામાં આવ્યો હતો. 1926માં જીર્ણોદ્ધાર...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.