આંતરરાષ્ટ્રીય

ડિસેમ્બર 30, 2024 6:39 પી એમ(PM)

views 10

ઇથોપિયામાં મુસાફરોથી ભરેલી ટ્રક નદીમાં ખાબકતાં 71 લોકોના મોત થયા

ઇથોપિયામાં મુસાફરોથી ભરેલી ટ્રક નદીમાં ખાબકતાં 71 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે મૃતકોમાં 68 પુરૂષોઅને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે.આ દુર્ઘટના ગઈકાલે સિદામા રાજ્યમાં થયો હતો, જે ઇથોપિયાની રાજધાની અદીસ અબાબાથી લગભગ 300 કિલોમીટર દક્ષિણમાં છે. લગ્નમાં જઇ રહેલા લોકોને આ અકસ્માત નડ્યો હતો.

ડિસેમ્બર 30, 2024 2:36 પી એમ(PM)

views 21

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના પક્ષીની ટક્કરથી સર્જાઈ હોય તેવું સામે આવ્યું

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટના પક્ષીની ટક્કરથી સર્જાઈ હોય તેવું સામે આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે એર ટ્રાફિક કંટ્રોલરોએ દુર્ઘટનાની થોડી મિનિટો પહેલા વિમાનને પક્ષી ટકરાવવા વિશે ચેતવણી આપી હતી. બચી ગયેલા ક્રૂ સભ્યોમાંથી એકે પક્ષીઓના હુમલાનો ઉલ્લેખ કર્યો હતો.. જો કે, દુર્ઘટનાના વાસ્તવિક કારણોની ...

ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM)

views 29

વિદેશ મંત્રી જયશંકર આજથી ત્રણ દિવસ કતારના પ્રવાસે જશે

ભારતના વિદેશ મંત્રી ડૉકટર એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેમની આ મુલાકાત દરમિયાન કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, ...

ડિસેમ્બર 29, 2024 7:00 પી એમ(PM)

views 15

રશિયાના વિદેશ મંત્રીસર્ગેઈ લવરોવે કહ્યું છે કે જો મિસાઈલ હુમલો કરવામાં આવશે તો અમેરિકા અને નોર્થ એટલાન્ટિકટ્રીટી ઓર્ગેનાઈઝેશન નાટોને જવાબી સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે

રશિયાના વિદેશ મંત્રીસર્ગેઈ લવરોવે કહ્યું છે કે જો મિસાઈલ હુમલો કરવામાં આવશે તો અમેરિકા અને નોર્થ એટલાન્ટિકટ્રીટી ઓર્ગેનાઈઝેશન નાટોને જવાબી સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે. શ્રી લવરોવે રાજ્ય સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટી સાથેની મુલાકાતમાં કહ્યું કે રશિયા કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. ત...

ડિસેમ્બર 29, 2024 6:44 પી એમ(PM)

views 20

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 176 લોકોના મોત થયા છે

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 176 લોકોના મોત થયા છે. જેજુ એર ફ્લાઇટમાં 181 લોકો મુસાફરી કરી રહ્યા હતા. દક્ષિણ કોરિયાના ફાયર વિભાગે જણાવ્યું હતું કે બે ક્રૂ મેમ્બર જીવિત છે અને ત્રણ લાપત્તા છે. બોઈંગ 737-800 વિમાન સવારે મુઆન આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પહોંચ્યું ત્યારે આ દુર્ઘટના થઈ હ...

ડિસેમ્બર 28, 2024 1:57 પી એમ(PM)

views 18

પૂર્વ મેક્સિકો: ટ્રેલર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, આઠ લોકોના મોત

પૂર્વ મેક્સિકોમાં ટ્રેલર ટ્રક સાથે એક પેસેન્જર બસનો અકસ્માત થતાં લગભગ આઠ લોકોના મોત થયા છે. જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. પ્રાદેશિક ફરિયાદીની કચેરીએ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. આ સાથે પશ્ચિમી મેક્સિકન રાજ્ય મિચોઆકનમાં એક માર્ગ અકસ્માતમાં લગભગ છ લોકોના મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ...

ડિસેમ્બર 27, 2024 6:45 પી એમ(PM)

views 14

લોકપ્રિય મારૂતિ એઇટ હન્ડ્રેડ સ્મોલ કાર દ્વારા ભારતીય કાર બજારમાં ક્રાંતિ લાવનારા સુઝુકી મોટર કોર્પોરેશનના વડા ઓસામુ સુઝુકીનું ટોકિયોમાં નિધન થયું

લોકપ્રિય મારૂતિ એઇટ હન્ડ્રેડ સ્મોલ કાર દ્વારા ભારતીય કાર બજારમાં ક્રાંતિ લાવનારા સુઝુકી મોટર કોર્પોરેશનના વડા ઓસામુ સુઝુકીનું ટોકિયોમાં નિધન થયું છે. 40 વર્ષથી પણ વધુ સમય સુધી કંપનીનું નેતૃત્વ સંભાળનાર ઓસામુ સુઝુકીની ઉંમર 94 વર્ષ હતી.  કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, શ્રી સુઝુકીનું અવસાન 25 ડિસે...

ડિસેમ્બર 27, 2024 6:44 પી એમ(PM)

views 22

ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્લ્યુલેટે સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો

ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્લ્યુલેટે સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. વિક્રમ સંખ્યામાંનોન-ઇમિગ્રન્ટ વિઝા સૂચવે છે કે ભારતીય નાગરિકોમાં પર્યટન, વેપાર, શિક્ષણ અને મેડીકલસારવાર જેવા હેતુઓ માટે અમેરિકા જવાની મોટી માંગ છે. એક સત્તાવાર નિવેદ...

ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM)

views 20

પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ આજે 20મો સુનામી સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો

પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ આજે 20મો સુનામી સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથન અને મુખ્યમંત્રી એન. રંગાસામીએ બીચ રોડ પર ગાંધી પ્રતિમા પાસે આયોજિત સ્મારક સભાની અધ્યક્ષતા કરી હતી. સ્મારક સેવામાં, સહભાગીઓએ સમુદ્રમાં દૂધ અને ફૂલો અર્પણ કર્યા અને 26 ડિસેમ્બર 2004ના વિ...

ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકારની નીતિઓમાં યુવાનોના સશક્તિકરણ પર મહત્તમ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. (બાઇટ-પીએમ) પ્રધાનમંત્રીએ કહ્યું કે...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.