માર્ચ 6, 2025 8:12 પી એમ(PM)

views 12

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે AI કોશ, AI કમ્પ્યુટ પોર્ટલ અને અન્ય AI-આધારિત પહેલો લોન્ચ કરી

કેન્દ્રીય મંત્રી અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે AI કોશ, AI કમ્પ્યુટ પોર્ટલ અને અન્ય AI-આધારિત પહેલો લોન્ચ કરી. શ્રી વૈષ્ણવે ઇન્ડિયાએઆઇ મિશન હેઠળ નવી દિલ્હીમાં આ પહેલો લોન્ચ કરી. AI કોક્ષા એ ઇન્ડિયાએઆઇ ડેટાસેટ્સ પ્લેટફોર્મ છે જે ડેટાસેટ્સ, ટૂલ્સ અને AI મોડેલ્સની સીમલેસ ઍક્સેસ માટે એક...

માર્ચ 6, 2025 8:10 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા, નગરહવેલી, દમણ અને દીવની મુલાકાત લેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી અને દમણ અને દીવની મુલાકાત લેશે. તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ગુજરાતના સુરત, નવસારી અને દમણના સેલવાસમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મુલાકાતના પ્રથમ દિવસે, શ્રી મોદી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા ...

માર્ચ 6, 2025 8:00 પી એમ(PM)

views 7

યુરોપિયન સંઘના નેતાઓએ સમગ્ર યુરોપમાં સુરક્ષા મજબૂત કરવા માટે યુક્રેન સાથે કટોકટીની વાટાઘાટો શરૂ કરી છે.

યુરોપિયન સંઘના નેતાઓએ સમગ્ર યુરોપમાં સુરક્ષા મજબૂત કરવા માટે યુક્રેન સાથે કટોકટીની વાટાઘાટો શરૂ કરી છે. જર્મનીના સંભવિત આગામી ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ અને શિખર સંમેલનના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટાએ બ્રસેલ્સમાં યુરોપની સુરક્ષાને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી. યુરોપિયન પોલિસી સેન્ટરે કહ્યું છે કે અમેરિકા નીત...

માર્ચ 6, 2025 7:58 પી એમ(PM)

views 11

ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં આજે હૈદરાબાદ એફસીનો મુકાબલો પંજાબ એફસી સામે હૈદરાબાદમાં શરૂ થયો છે.

ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલમાં આજે હૈદરાબાદ એફસીનો મુકાબલો પંજાબ એફસી સામે હૈદરાબાદમાં શરૂ થયો છે. દરમ્યાન બાંગ્લાદેશના ક્રિકેટર મુશફિકુર રહીમે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 36 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેને ગઈકાલે પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી.

માર્ચ 6, 2025 7:56 પી એમ(PM)

views 11

ભારત-બાંગ્લાદેશ સંયુક્ત નદી આયોગની 86મી બેઠક આજે સવારે કોલકાતામાં શરૂ થઈ.

ભારત-બાંગ્લાદેશ સંયુક્ત નદી આયોગની 86મી બેઠક આજે સવારે કોલકાતામાં શરૂ થઈ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વહેતી નદીઓની સમસ્યા આ બેઠકમાં ચર્ચાનો મુખ્ય મુદ્દો રહેશે. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે બંને દેશોની સચિવ કક્ષાની બેઠક પછી, આ મુદ્દાને ઉકેલવા માટે બંને પક્ષોના પ્રતિનિધિઓ સહિત છ સભ્યોની ટેકનિકલ સ...

માર્ચ 6, 2025 7:55 પી એમ(PM)

views 7

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું છે કે ભારત સરકારની તમામ યોજનાઓ હવે દિલ્હીમાં પણ અમલી કરવામાં આવશે અને દિલ્હીના નાગરિકો આ યોજનાઓનો લાભ મેળવી શકશે.

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું છે કે ભારત સરકારની તમામ યોજનાઓ હવે દિલ્હીમાં પણ અમલી કરવામાં આવશે અને દિલ્હીના નાગરિકો આ યોજનાઓનો લાભ મેળવી શકશે. એક ખાનગી ચેનલ પરના કાર્યક્રમમાં શ્રીમતી ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે પાછલી સરકારે શહેરના લોકોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત રાખ્યા હ...

માર્ચ 6, 2025 7:53 પી એમ(PM)

views 7

દિલ્હી મેટ્રોએ આજે વસંત કુંજમાં ગોલ્ડન મેટ્રો લાઇન માટે ટનલનું બાંધકામ પૂર્ણ કર્યું.

દિલ્હી મેટ્રોએ આજે વસંત કુંજમાં ગોલ્ડન મેટ્રો લાઇન માટે ટનલનું બાંધકામ પૂર્ણ કર્યું. આ 26 કિલોમીટર લાંબી મેટ્રો લાઇન એરોસિટી-તુગલકાબાદ કોરિડોર હેઠળ ચાલશે. આ પ્રસંગે, કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે ભારતનું મેટ્રો નેટવર્ક વિશ્વનું ત્રીજું સૌથી મોટું નેટવર્ક છે અને ...

માર્ચ 6, 2025 7:52 પી એમ(PM)

views 10

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સ્વસ્થ અને તંદુરસ્ત ભારતના નિર્માણમાં પ્રોત્સાહન આપતી આરોગ્યસંભાળના મહત્વ પર ભાર મૂક્યો છે.

શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ સ્વસ્થ અને તંદુરસ્ત ભારતના નિર્માણમાં પ્રોત્સાહન આપતી આરોગ્યસંભાળના મહત્વ પર ભાર મૂક્યો છે. ડૉ. માંડવિયાએ હરિયાણાના ફરીદાબાદમાં આરોગ્ય પડકારો અને સ્વસ્થ જીવનશૈલી પર આયોજિત સેમિનારને સંબોધન કરતી વખતે આ વાત કહી હતી. શ્રી માંડવિયાએ આરોગ્યસંભાળના મુખ્ય ઘટકો તરી...

માર્ચ 6, 2025 7:49 પી એમ(PM)

views 8

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવા નાગરિકોએ અસ્પૃશ્યતા, ભેદભાવ અને અસમાનતાઓથી મુક્ત થવું પડશે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવા માટે નાગરિકોને અસ્પૃશ્યતા, જાતિ આધારિત ભેદભાવ અને અસમાનતાઓથી મુક્ત થવું પડશે. નવી દિલ્હીમાં લોકમાતા અહલ્યાબાઈ હોલકર મહિલા સન્માનને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમાનતા પર આધારિત...

માર્ચ 6, 2025 7:46 પી એમ(PM)

views 9

વિશ્વ ખાધ્ય કાર્યક્રમ -ડબ્લ્યુ. એફ. પી. એ બાંગ્લાદેશને જણાવ્યું છે કે ભંડોળ સંકટને કારણે, સંયુક્ત રાષ્ટ્ર આગામી એપ્રિલથી બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે માસિક ખાદ્ય સહાય 12.50 ડોલરથી ઘટાડીને 6 ડોલર કરી રહ્યું છે.

વિશ્વ ખાધ્ય કાર્યક્રમ -ડબ્લ્યુ. એફ. પી. એ બાંગ્લાદેશને જણાવ્યું છે કે ભંડોળ સંકટને કારણે, સંયુક્ત રાષ્ટ્ર આગામી એપ્રિલથી બાંગ્લાદેશમાં રોહિંગ્યા શરણાર્થીઓ માટે માસિક ખાદ્ય સહાય 12.50 ડોલરથી ઘટાડીને 6 ડોલર કરી રહ્યું છે. બાંગ્લાદેશમાં શરણાર્થી શિબિરોની દેખરેખ રાખતા ટોચના અધિકારી મોહમ્મદ મિઝાનુર રહેમા...