માર્ચ 16, 2025 7:16 પી એમ(PM)

views 15

રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય

રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ દરમિયાન કોઈ ફેરફાર નહીં થાય તેમ હવામાન ખાતાની યાદીમાં જણાવાયું છે. દરમિયાન રાજ્યનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું છે. ગત 24 કલાકમાં સૌથી વધુ 38 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને અમરેલીમાં નોંધાયું છે...

માર્ચ 16, 2025 7:14 પી એમ(PM)

views 32

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, શહેરને સ્વચ્છ બનાવવા, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા, શહેરને સ્વચ્છ બનાવવા, ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, જે માટે ટુંક સમયમાં “અમદાવાદ કેમ” એપ્લિકેશન લોન્ચ કરાશે.જેમાં જાગૃત નાગરિકો આ એપની મદદથી, જો કોઇ વ્યક્તિ રોડ પર કચરો ફેંકે કે પાન- મસાલાની પીચકારી મારશે તો તેનો ફોટો પાડીને અપલોડ કરશે, જે તે વ્યક્તિના વાહન નંબરની મદદથ...

માર્ચ 16, 2025 7:13 પી એમ(PM)

views 22

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલનો આજે 71મો જન્મ દિવસ છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલનો આજે 71મો જન્મ દિવસ છે, જેને પગલે તેમના નિવાસસ્થાને કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં તેમના ચાહકો વહેલી સવારથી જ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અને તેમના જન્મદિવસ પર સમગ્ર સુરત શહેરમાં વિવિધ લોકસેવાના કાર્યક્રમો પણ યોજાઇ રહ્યા છે . ત્યારે ભારતીય જનતા પ...

માર્ચ 16, 2025 7:10 પી એમ(PM)

views 18

સાબરકાંઠા જિલ્લાના ફિંચોડ ખાતે સાંસદ શોભના બારૈયાની ઉપસ્થિતિમાં નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો.

સાબરકાંઠા જિલ્લાના ફિંચોડ ખાતે સાંસદ શોભના બારૈયાની ઉપસ્થિતિમાં નવીન ગ્રંથાલય ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય તથા રાજા રામમોહનરાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તાના આર્થિક સહયોગથી આયોજિત આ કાર્યક્રમમા સાંસદ શોભનાબેન બારૈયા તેમજ ઇડર ધા...

માર્ચ 16, 2025 7:09 પી એમ(PM)

views 10

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગતમંદિર ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગતમંદિર ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. ઉલ્લેખનીય છે કે હોળાષ્ટકની શરૂઆતથી જ અનેક શ્રદ્ધાળુ પગપાળા દ્વારકા આવી ફૂલડોલ ઉત્સવમાં જોડાયા હતા.

માર્ચ 16, 2025 7:07 પી એમ(PM)

views 12

લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા દેશભરમાં 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસના રૂપમાં મનાવાય છે.

લોકોને રસીકરણ પ્રત્યે જાગૃત કરવા દેશભરમાં 16 માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસના રૂપમાં મનાવાય છે.આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોને ગંભીર રોગો સામે લડવા માટે રસીકરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. પ્રથમ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી 16 માર્ચ, 1955 ના રોજ કરાઈ હતી. સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ...

માર્ચ 16, 2025 7:05 પી એમ(PM)

views 11

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈદ્ય તરીકે પોતાની ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આયુર્વેદના તબીબોએ વૈદ્ય તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવવું જોઈએ. અમદાવાદમાં ‘વંદે આયુકોન-2025’ કાર્યક્રમમાં શ્રી પટેલે આમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આયુર્વેદ એ જીવન જીવવાનું વિજ્ઞાન છે. આ પ્રસંગે આયુષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ જણાવ્યું કે છેલ્લાં દસ વર્ષમાં ...

માર્ચ 16, 2025 3:15 પી એમ(PM)

views 10

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો બાગાયત ખેતી તરફ વળ્યા

અરવલ્લી જિલ્લામાં ખેડૂતો હવે બાગાયત ખેતી તરફ વળી રહ્યા છે. બાયડ તાલુકાના સવેલાકંપા ખાતે બે ખેડૂતે ડ્રેગન ફ્રૂટ, જામફળ, આંબા, સીતાફળ, આમળા સહિતના પાકની ખેતી કરી છે. આ ઉપરાંત બંને ખેડૂત અન્ય ખેડૂતોને જરૂરી માહિતી પણ આપી રહ્યા છે. આ અંગે ખેડૂત કુંદન પટેલે માહિતી આપી.

માર્ચ 16, 2025 3:14 પી એમ(PM)

views 7

રાજ્યમાં હાલમાં નવથી 11 મહિનાના બાળકો માટે રસીકરણનો દર 95 ટકાથી વધુ

સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી થઈ રહી છે. હાલમાં રાજ્યમાં નવથી 11 મહિનાના બાળકો માટે રસીકરણનો દર 95 ટકાથી વધુ છે. રાજ્યમાં મિશન ઈન્દ્રધનુષના પાંચમાં તબક્કા હેઠળ વર્ષ 2023માં નવ લાખ 95 હજાર 395 બાળકો અને બે લાખ 25 હજાર 960 ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી હોવાનું ગાંધીનગર પરિવાર કલ્યા...

માર્ચ 16, 2025 3:12 પી એમ(PM)

views 11

અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવવા માગતા બનાસકાંઠાના યુવાનો 10 એપ્રિલ સુધીમાં ઑનલાઈન અરજી કરી શકશે.

અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં જોડાવવા માગતા બનાસકાંઠાના યુવાનો 10 એપ્રિલ સુધીમાં ઑનલાઈન અરજી કરી શકશે. ઉમેદવારોની લેખિત પરીક્ષા આગામી જૂન મહિનામાં યોજાશે. આ માટેની અરજી WWW.JOININDIANARMY.NIC.IN વેબસાઈટ પર કરી શકાશે. કોઈ પ્રશ્ન હોય અથવા માર્ગદર્શન મેળવવા માગતા યુવાનો પાલનપુરની જિલ્લા રોજગાર કચેરીનો ...