જાન્યુઆરી 23, 2026 3:12 પી એમ(PM)

views 14

અરવલ્લીમાં શામળાજીના શ્યામલ વનમાં પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ યોજાયો.

અરવલ્લીમાં શામળાજીના શ્યામલ વનમાં પર્વત પૂજા અને પ્રકૃતિ સંરક્ષણ મહોત્સવ યોજાયો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોંઢવાડિયા, રાજ્યમંત્રી પ્રવિણ માળી અને પી. સી. બરંડા ઉપસ્થિત રહ્યા હતા. પ્રકૃતિ સાથે માનવજાતનો અતૂટ સંબંધ મજબૂત બને તેમજ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ લોકો સુધી પહોંચે તે હેતુથી વસંતપ...

જાન્યુઆરી 23, 2026 3:11 પી એમ(PM)

views 13

અમદાવાદ મનપાના સાત ઝૉનમાં આવેલા નવ CHC ખાતે મોઢાના કૅન્સરમાં પ્રાથમિક સ્તરે જ નિદાન થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

અમદાવાદ મહાનગરપાલિકાના સાત ઝૉનમાં આવેલા નવ સામુદાયિક આરોગ્ય કેન્દ્ર – CHC ખાતે ઑરલ એટલે કે, મોઢાના કૅન્સરમાં પ્રાથમિક સ્તરે જ નિદાન થઈ શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયેલા અન્ય નિર્ણય અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીએ કહ્યું, પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ઝ...

જાન્યુઆરી 23, 2026 1:44 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી યોજનાની શરૂઆત કરાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કેરળના તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કર્યા અને નવી ટ્રેન સેવાઓનો શુભારંભ કરાવ્યો. શ્રી મોદીએ પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું અને એક લાખ લાભાર્થીઓને પીએમ સ્વનિધિ લોનનું વિતરણ કર્યું. શ્રી મોદીએ ચાર નવી ટ્રેન સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો, જેમાં ...

જાન્યુઆરી 23, 2026 1:43 પી એમ(PM)

views 13

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ માટે વેતન સુધારણાને મંજૂરી આપી.

કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓ અને રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક નાબાર્ડ માટે વેતન સુધારણાને મંજૂરી આપી છે. ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના નિવૃત્ત કર્મચારીઓ માટે પેન્શન સુધારણાને પણ મંજૂરી આપવામાં આવી છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ પગલાંથી લગભગ 46 હજાર 322 કર્મચા...

જાન્યુઆરી 23, 2026 3:18 પી એમ(PM)

views 13

રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેતાજી સુભાષચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝના સ્વતંત્રતાના આહ્વાનથી લ...

જાન્યુઆરી 23, 2026 3:20 પી એમ(PM)

views 11

ભારત અને યુરોપિયન સંઘ પરિવહન પ્રણાલીઓમાં સહયોગ વધારવા સંમત થયા.

ભારત અને યુરોપિયન સંઘ પરિવહન પ્રણાલીઓમાં સહયોગ વધારવા સંમત થયા છે. ગઈકાલે દાવોસમાં વિશ્વ આર્થિક મંચ દરમિયાન EU ટ્રાન્સપોર્ટ કમિશનર એપોસ્ટોલોસ ત્ઝિઝિકોસ્ટાસ અને નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ વચ્ચે મુલાકાત થઈ હતી. શ્રી નાયડુએ જણાવ્યું હતું કે આ બેઠકમાં ટકાઉ ઉડ્ડયન ઇંધણ, પર્યાવરણને અનુકૂળ પરિવ...

જાન્યુઆરી 23, 2026 1:39 પી એમ(PM)

views 81

ક્રિકેટમાં, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે રાયપુરમાં બીજી T-20 મેચ રમાશે.

ક્રિકેટમાં ભારત પાંચ મેચોની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની બીજી મેચમાં આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડ સામે રમશે. આ મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે. કેપ્ટન સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારત હાલમાં શ્રેણીમાં 1-0 થી આગળ છે, ભારતે પ્રથમ મેચ 48 રનથી જીતી હતી. અભિષેક શર્મા...

જાન્યુઆરી 23, 2026 3:19 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભગવાન સ્વામિનારાયણનું જીવન આધ્યાત્મિક સાધના અને નિઃસ્વાર્થ સેવાનું સાક્ષાત ઉદાહરણ હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભગવાન સ્વામિનારાયણનું જીવન આધ્યાત્મિક સાધના અને નિઃસ્વાર્થ સેવાનું સાક્ષાત ઉદાહરણ હતું. તેમણે કહ્યું, તેમના અનુયાયી સમાજ, રાષ્ટ્ર અને માનવતાની સેવામાં ઘણા અભિયાન ચલાવી રહ્યા છે. વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન શ્રી મોદીએ કહ્યું,...

જાન્યુઆરી 23, 2026 11:23 એ એમ (AM)

views 14

હવામાન વિભાગની રાજ્યમાં ઠંડી વધવાની આગાહી વચ્ચે કેટલાક સ્થળોએ માવઠું થયાના અહેવાલ

રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ઠંડી વધવાની શક્યતા છે. હવામાન વિભાગે 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને સૌરાષ્ટ્રના કૈટલાક વિસ્તારમાં હળવા વરસાદની શક્યતા છે.દરમ્યાન કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.ગઇકાલે નારાયણ સરોવર અને ગ...

જાન્યુઆરી 23, 2026 11:22 એ એમ (AM)

views 27

આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાના તહેવાર ધાર્મિક અને પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે

સમગ્ર રાજ્યમાં આજે વસંત પંચમી અને સરસ્વતી પૂજાના તહેવારો ધાર્મિક અને પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે, લોકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, જ્ઞાન અને વિદ્યાની દેવી સરસ્વતીની પૂજા કરે છે. આજે રાજ્યમાં વિવિધ સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ તહેવાર વસંતના આગમનનું પણ પ્...