ઓગસ્ટ 21, 2024 11:19 એ એમ (AM)

views 16

ભારત અને જાપાન વચ્ચે ગઈકાલે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરીય બેઠક નવી દિલ્હીમાં મળી હતી.

ભારત અને જાપાન વચ્ચે ગઈકાલે ટુ પ્લસ ટુ મંત્રીસ્તરીય બેઠક નવી દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે જાપાનમાં તેમના સમક્ષક સંરક્ષણ મંત્રી કિહરા મિનોરુ અને વિદેશમંત્રી યોકો કામિકાવા સાથે વાટાઘાટો કરી હતી. બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય સહકારની સમીક્ષા કર...

ઓગસ્ટ 21, 2024 11:16 એ એમ (AM)

views 34

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી

કેન્દ્રીય જાહેર સેવા આયોગ-યુપીએસસીએ લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરી છે. અગાઉ, સરકારે યુપીએસસીને લેટરલ એન્ટ્રી અંગેની જાહેરાત રદ કરવા નિર્દેશ આપ્યો હતો. યુપીએસસીએ તાજેતરમાં કેન્દ્રીય મંત્રાલયોમાં 45 સંયુક્ત સચિવો, નિયામકો અને નાયબ સચિવોની નિયુક્તિ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જેની સામે વિરોધ ...

ઓગસ્ટ 21, 2024 11:14 એ એમ (AM)

views 188

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – EPFOએ આ વર્ષે જૂનમાં 19 લાખ, 29 હજાર સભ્યો જોડ્યા છે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન – EPFOએ આ વર્ષે જૂનમાં 19 લાખ, 29 હજાર સભ્યો જોડ્યા છે, જે ગત વર્ષે આ જ મહિનાની સરખામણીએ સાત ટકાથી વધુના વધારાને દર્શાવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું છે કે સભ્યોની વધતી સંખ્યાને, રોજગારની તકો સહિત અન્ય કારણો સાથે જોડીને જોઈ શકાય છે. આંકડાઓ અનુસાર આ વર્ષે જૂન દરમિ...

ઓગસ્ટ 21, 2024 11:04 એ એમ (AM)

views 14

રાજ્યના હવામાન વિભાગે આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી

રાજ્યના હવામાન વિભાગે આજે તાપી, ડાંગ, નવસારી, વલસાડ, કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે બપોર બાદ અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. સત્તાવાર આંકડા અનુસાર, ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં કુલ 97 તાલુકામાં વ...

ઓગસ્ટ 21, 2024 10:54 એ એમ (AM)

views 14

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હીમાં 19માં CII – ભારત – આફ્રિકા વેપાર સંમેલનનાં ઉદ્ઘાટન સત્રને સંબોધન કરશે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે નવી દિલ્હીમાં 19માં CII - ભારત - આફ્રિકા વેપાર સંમેલનનાં ઉદ્ઘાટન સત્રને સંબોધન કરશે. ત્રણ દિવસના આ સંમેલનમાં વેપાર, રોકાણ, માળખાગત સુવિધાઓ, આરોગ્ય અને સારવાર તેમજ ટેક્નૉલોજી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. આ સંમેલનમાં 65 દેશોના 11થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે...

ઓગસ્ટ 21, 2024 10:47 એ એમ (AM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પૉલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી પૉલેન્ડ અને યુક્રેનના ત્રણ દિવસીય પ્રવાસે રવાના થશે. પૉલેન્ડની રાજધાની વારસૉમાં શ્રી મોદીનું સ્વાગત કરાશે. તેઓ પૉલેન્ડના પ્રધાનમંત્રી ડોનાલ્ડ ટસ્ક અને રાષ્ટ્રપતિ આંદ્રેજ ડૂડા સાથે મુલાકાત કરશે. પ્રધાનમંત્રી મોદી અહી ભારતીય સમુદાયના લોકો, વેપારીઓ પ્રતિનિધિઓ સાથે ચર્ચા ...

ઓગસ્ટ 21, 2024 10:39 એ એમ (AM)

views 13

વલસાડ જિલ્લામાં યોજાયેલી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી.

વલસાડ જિલ્લામાં યોજાયેલી યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ટ્રેડિશનલ ઇવેન્ટ, આર્ટિસ્ટિક સૉલો, આર્ટિસ્ટિક પેઈર, રિધમિક પેર જેવી વિવિધ ઇવેન્ટની સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકથી સન્માનિત કરી પ્રમાણપત્ર અપાયા હતા. જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા ખે...

ઓગસ્ટ 21, 2024 10:37 એ એમ (AM)

views 16

ગીર સોમનાથ જિલ્લા વહિવટીતંત્રએ કોડિનાર તાલુકાના દેવળી ગામ ખાતે 16 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરાવી.

ગીર સોમનાથ જિલ્લા વહિવટીતંત્રએ કોડિનાર તાલુકાના દેવળી ગામ ખાતે 16 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરાવી. ગીર સોમનાથના અમારા પ્રતિનિધી રાજેશ ભજગોતર જણાવે છે કે, આ ગૌચરની જમીન પર 10 દબાણકર્તાએ દબાણ કર્યું હતું. વહિવટીતંત્રએ કામગીરી દરમિયાન 3 લાખ 18 હજાર 731 ચોરસમીટર જમીન ખુલ્લી કરાવી દબાણ દૂર કર્યું...

ઓગસ્ટ 21, 2024 10:33 એ એમ (AM)

views 17

કૃષિમંત્રી રાઘવજી પટેલે “સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ”ના 82 લાભાર્થીને 17 કરોડ રૂપિયાથી વધુની સહાયનું વિતરણ કર્યું.

કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે "સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ"ના 82 લાભાર્થીઓને 17 કરોડ રૂપિયાથી વધુની સહાય વિતરણ કરાઈ. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીના અધ્યક્ષ સ્થાને સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ હેઠળ નોંધાયેલા કૃષિ ઉદ્યોગ સાહસિકોને સહાય વિતરણ કરવાનો સમારોહ યોજાયો હતો. શ્રી પટેલે લાભાર્થીઓને શુભેચ્છાઓ પા...

ઓગસ્ટ 21, 2024 10:31 એ એમ (AM)

views 33

રાજ્યનું એસ.ટી નિગમ 10 હજારથી વધુ કર્મચારીની ભરતી કરશે.

રાજ્યમાં જાહેર પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે એસ.ટી નિગમ દ્વારા 10 હજારથી વધુ ડ્રાઇવર, કન્ડક્ટર, તકનીકી કર્મચારી તથા વહીવટી કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. આ માટેની તમામ મંજૂરી પણ લેવાઇ છે. એસ.ટી નિગમે છેલ્લા દોઢ વર્ષમાં 166 કરોડ રૂપિયાના ખર્ચે નવી 2 હજાર 800 બસ મૂકી છે. નિગમ દ્વારા 18 નવા બસ...