જૂન 18, 2024 4:43 પી એમ(PM) જૂન 18, 2024 4:43 પી એમ(PM)

views 3

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં આજે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ઓડિટોરિયમ હોલમાં આજે વધુ 44 રિચાર્જ બોરવેલનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રદીપભાઈ ધામેચા પરિવાર સહયોગથી આ બોરવેલને રિચાર્જ કરવામાં આવ્યા છે. અગાઉ ગાંધીનગર, રાજકોટ અને જામનગરમાં બોરવેલ રીચાર્જ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્...

જૂન 18, 2024 4:40 પી એમ(PM) જૂન 18, 2024 4:40 પી એમ(PM)

views 2

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી ટિટેનસ અને ડિપ્થેરીયા અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતેથી ટિટેનસ અને ડિપ્થેરીયા અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનૂર અને ડિપ્થેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રા...

જૂન 18, 2024 4:37 પી એમ(PM) જૂન 18, 2024 4:37 પી એમ(PM)

views 2

આવતીકાલે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવશે

આવતીકાલે વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ એક આનુવંશિક રક્ત વિકૃતિ ધરાવતો રોગ છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. રાજ્યમાં સિકલ સેલ એનિમિયાનો રોગ મુખ્યત્વે અંબાજીથી લઇને ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિજાતિ સમુદાયના લોકોમાં જોવા મળે છે, જેમાં અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, ...

જૂન 18, 2024 4:34 પી એમ(PM) જૂન 18, 2024 4:34 પી એમ(PM)

views 6

ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાંબેન પટેલની નિમણૂંક કરાઇ

ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાંબેન પટેલની નિમણૂંક કરાઇ છે. ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી બેઠકમાં મીરાબેનના નામની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.. તેમનો કાર્યકાળ અઢી વર્ષ માટેનો રહેશે. જ્યારે નાયબ મેયર તરીકે નટવરજી ઠાકોરના નામની વરણી કરાઇ હતી.

જૂન 18, 2024 4:32 પી એમ(PM) જૂન 18, 2024 4:32 પી એમ(PM)

views 1

આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો

આજે સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યા હોવાના અહેવાલ છે. જેમાં દીવ ખાતે બે દિવસ ના વિરામ બાદ આજે ફરી વરસાદનું આગમન થયું હતું. સવારના તડકા બાદ અચાનક જ વરસાદી વાતાવરણ સર્જાતા ઝાપટાં પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી હતી.સુરત જિલ્લાનાં કીમ, પાલોદ, કોસંબા સહિતના વિસ્તારોમાં બપોર બાદ ધીમીધારે વરસા...

જૂન 18, 2024 4:23 પી એમ(PM) જૂન 18, 2024 4:23 પી એમ(PM)

views 1

જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં આગનો બનાવ બનતાં મચી દોડધામ

જામનગરની મોદી સ્કૂલમાં બેઝમેન્ટમાં આવેલા મીટરમાં આગનો બનાવ બનતાં દોડધામ મચી ગઇ હતી.આ શાળામાં 700 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લીધી હતી અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડી લેવાયા હતાં.

જૂન 18, 2024 4:04 પી એમ(PM) જૂન 18, 2024 4:04 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી મોદી આજે કિસાન સન્માન નિધિના 17મા હપ્તાના 20 હજાર કરોડ રૂપિયા લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં કિસાન સન્માન નિધિના 17મા હપ્તામાં લગભગ નવ કરોડ 26 લાખ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા 20 હજાર કરોડ રૂપિયા જમા કરાવશે.અત્યાર સુધી 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોએ પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ત્રણ લાખ ચાર હજાર કરોડ રુપિયાથી વધુનો લાભ પ્રાપ્ત કર્યો છે. આ...

જૂન 18, 2024 3:47 પી એમ(PM) જૂન 18, 2024 3:47 પી એમ(PM)

views 6

કેન્દ્ર સરકારે નાગરિકોને ઇલેક્ટ્રીસિટી નૉ યૉર કસ્ટમર – K.Y.C. અપડેટ છેતરપિંડીથી બચાવવા માટે લીધા પગલાં

કેન્દ્ર સરકારે નાગરિકોને ઇલેક્ટ્રીસિટી નૉ યૉર કસ્ટમર - K.Y.C. અપડેટ છેતરપિંડીથી બચાવવા માટે પગલાં લીધા છે. કેન્દ્ર સરકારે જે મોબાઈલ નંબર પરથી છેતરપિંડી કરવામાં આવતી હતી. તે તમામ નંબર બંધ કરાવી દીધા છે. દૂરસંચાર વિભાગે છેતરપિંડીની પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે ચક્ષુ પૉર્ટલનો ઉપયોગ કર્યો અને શરૂઆતમાં લગ...

જૂન 18, 2024 3:41 પી એમ(PM) જૂન 18, 2024 3:41 પી એમ(PM)

views 5

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ આ વર્ષે શ્રીનગરમાં યોજાશે

આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ શ્રીનગરમાં યોજાશે. શેર—એ—કાશ્મીર કન્વેન્શન સેન્ટરમાં યોગ દિવસનો આ કાર્યક્રમ યોજાશે. આયૂષ મંત્રાલયના સચિવ રાજેશ કોટેચાએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે પત્રકાર પરિષદ દરમિયાન વધુમાં જણાવ્યું કે, આ વર્ષની યોગ દિવસની વિષયવસ્તુ “સ્વયં અને સમાજ માટે યોગ” છે. નમ...

જૂન 18, 2024 3:38 પી એમ(PM) જૂન 18, 2024 3:38 પી એમ(PM)

views 3

ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃધ્ધિનો અંદાજ માર્ચનાં સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યો

ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃધ્ધિનો અંદાજ માર્ચનાં સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યો છે. ગ્રાહક ખર્ચ અને રોકાણમાં વધારાને પગલે વૃધ્ધિદરનો અંદાજ સુધારવામાં આવ્યો છે. આજે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અંગે પ્રસિદ્ધ થયેલા ફિચ રેટિંગ્સના ત્રિમાસિક અહેવાલમાં વૈશ્વિક વૃધ્ધિનો અંદાજ 2.4 ટકાથી વ...