સપ્ટેમ્બર 20, 2024 9:39 એ એમ (AM)

views 8

2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને આગળ ધપાવવામાં બેંકિંગ ક્ષેત્રએ નિર્ણાયક ભૂમિકા ભજવવી પડશે: કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણ

કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યને આગળ ધપાવવામાં બેંકિંગ ક્ષેત્રએ નિર્ણાયક ભૂમિકા ભજવવી પડશે. ગઈકાલે પૂણેમાં બેંક ઓફ મહારાષ્ટ્રનાં 90મા સ્થાપના દિવસ પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં સુશ્રી સીતારમણે MSME સેક્ટ...

સપ્ટેમ્બર 20, 2024 9:36 એ એમ (AM)

views 7

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે હરિયાણાના જગાધાર ખાતે રોડ-શો યોજશે

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે હરિયાણાના જગાધાર ખાતે રોડ-શો યોજશે. દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, જગત પ્રકાશ નડ્ડાએ ગઇકાલે રોહતકમાં હરિયાણા વિધાનસભાની ચૂં...

સપ્ટેમ્બર 20, 2024 9:27 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી અમેરિકાના ત્રણ દિવસનાં પ્રવાસે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી અમેરિકાના ત્રણ દિવસનાં પ્રવાસે જશે.ગઇકાલે નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી અનેક દ્વિપક્ષીય અને બહુપક્ષીય પાસાઓ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી આવતીકાલે ક્વાડ નેતાઓનાં ચોથા સંમેલનમાં ભાગ લેશે. સંમેલનથી અલગ તેઓ અને...

સપ્ટેમ્બર 20, 2024 9:26 એ એમ (AM)

views 10

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડનાં રાંચીમાં ICAR -નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રિકલ્ચરનાં શતાબ્દિ વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઝારખંડની રાજધાની રાંચીમાં નામકુમ ખાતે ICAR - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી એગ્રિકલ્ચરનાં શતાબ્દિ વર્ષની ઉજવણી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કરશે. આ સંસ્થાએ નવીનીકરણ દ્વારા 100 કરોડ રૂપિયાની વધારાની આવક પેદા કરી છે અને દેશમાં લાખના ઉત્પાદનને સ્થિરતા આપી છે. આ પ્રસં...

સપ્ટેમ્બર 20, 2024 10:26 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વર્ધાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના વર્ધાની મુલાકાત લેશે. શ્રી મોદી રાષ્ટ્રીય પીએમ વિશ્વકર્મા યોજનાનાં એક વર્ષ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદી PM વિશ્વકર્મા યોજનાનાં લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરશે અને લોનની રકમ જમા કરાવશે. પરંપરાગત વ્યવસાયો સાથે સંકળાયે...

સપ્ટેમ્બર 20, 2024 9:14 એ એમ (AM)

views 8

સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયાની અંતર્ગત રાજકોટ મા સાંસ્કૃતિક કાર્યક્રમ અને યોગ શિબિરનું આયોજન કરાયું હતું

આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગ રૂપે 17 સપ્ટેમ્બર થી 31 ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2024 પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટના ધોરાજી નગરપાલિકા વિસ્તારમાં આવેલ જનતા બાગ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને જસદણ શહેરમાં આવેલા જિલેશ્વર પાર્ક ખાતે યોગ શિબિરનું ...

સપ્ટેમ્બર 20, 2024 9:12 એ એમ (AM)

views 10

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગઈકાલે અંજારમાં રેલવે ક્રૉસિંગ નંબર 10 ખાતે અંડરપાસનો શિલાન્યાસ કર્યો હતો

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ ગઈકાલે અંજારમાં રેલવે ક્રૉસિંગ નંબર 10 ખાતે અંડરપાસનો શિલાન્યાસ કર્યો હતો. આ અંડરપાસ બનવાથી અંજારથી વરસામેડી ગામ તરફ જતાં 23 હજારથી વધુ વાહનોને લાભ થશે. આ અંડરપાસનું કામ એક વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

સપ્ટેમ્બર 20, 2024 9:10 એ એમ (AM)

views 8

વલસાડના કિલ્લા પારડીથી નાનાપોંઢા ઈન્ટરસિટી બસ સેવાનો આરંભ થયો છે

વલસાડના કિલ્લા પારડીથી નાનાપોંઢા ઈન્ટરસિટી બસ સેવાનો આરંભ થયો છે. ધારાસભ્ય જીતુ ચૌધરીએ હસ્તે લીલીઝંડી આપી આ બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.. આ બસ સેવાનો લાભ રોજ સવારે 5-30 વાગ્યેથી શરૂ થઈ રાત્રે 8-30 વાગ્યા સુધી દર દોઢ કલાકે મુસાફરો મળશે. આ બસ સેવાનો વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને જરૂરીયાતમંદોને ફાયદો થશ...

સપ્ટેમ્બર 20, 2024 9:08 એ એમ (AM)

views 16

રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આવતીકાલથી ખુલ્લું મૂકાશે

રાજ્યના ખેડૂતો સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ આવતીકાલથી ખુલ્લું મૂકાશે.આ પોર્ટલ વિવિધ જિલ્લા માટે તબક્કાવાર સાત દિવસ માટે અરજી મેળવવા ખુલ્લું રખાશે.ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી,...

સપ્ટેમ્બર 20, 2024 9:02 એ એમ (AM)

views 11

યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે

યાત્રાધામ અંબાજી મંદિરમાં આજે પ્રક્ષાલન વિધિ હોવાથી આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે, મંદિરની પ્રણાલિકા મુજબ આજે ભાદરવા વદ ત્રીજ નિમિત્તે બપોરે દોઢ વાગ્યે માતાજીના નિજ મંદિરમાં પ્રક્ષાલન વિધિનો પ્રારંભ થશે. તેના કારણે સવારની આરતી સાડા 7 વાગ્...