નવેમ્બર 2, 2025 7:45 પી એમ(PM)

views 22

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રએ શ્રીહરિકોટાથી ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 નું પ્રક્ષેપણ કર્યું.

ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર - ISRO એ આજે સાંજે શ્રીહરિકોટાથી ભારતના સૌથી ભારે સંચાર ઉપગ્રહ CMS-03 નું પ્રક્ષેપણ કર્યું. ભારતીય પ્રક્ષેપણ વાહન દ્વારા લઈ જવામાં આવેલ હેવીલિફ્ટ રોકેટને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) માં સાંજે 5 વાગીને 26 મિનિટે સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી. આ મિશનનો હેતુ નૌકાદ...

નવેમ્બર 2, 2025 7:46 પી એમ(PM)

views 46

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો.

બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે, તેના સમાપનને હવે ફક્ત બે દિવસ બાકી છે. NDA અને મહાગઠબંધન બંનેના વરિષ્ઠ નેતાઓએ મતવિસ્તારોમાં અનેક ચૂંટણી રેલીઓને સંબોધિત કરી છે. ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પટણામાં રોડ શો કર્યો હતો. દરમિયાન, કોંગ્રેસના નેત...

નવેમ્બર 2, 2025 7:42 પી એમ(PM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત રાષ્ટ્ર બનવા માટે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત રાષ્ટ્ર બનવા માટે દેશની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે 2047 સુધીમાં આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે મહિલાઓ અને પુરુષો બંનેની સમાન ભાગીદારીની જરૂર પડશે. આજે હરિદ્વારમાં પતંજલિ યુનિવર્સિટીના બીજા પદવીદાન સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે 2047 સુધીમાં વિ...

નવેમ્બર 2, 2025 7:40 પી એમ(PM)

views 37

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં આવશે નહીં. કાનપુરમાં પત્રકારો સાથે વાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી પંચ આવી પરિસ્થિતિઓનો કડક હાથે સામનો કરશે.

નવેમ્બર 2, 2025 6:52 પી એમ(PM)

views 17

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર કરશે

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલા નુકસાન સામે સરકાર ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું, કુદરતી આપત્તિની આ આફતમાં રાજ્ય સરકાર સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે. રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારની ...

નવેમ્બર 2, 2025 6:49 પી એમ(PM)

views 11

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ 26 તારીખે કરમસદથી કેવડિયા સુધી યોજાનારી રાષ્ટ્રીય પદયાત્રાના આયોજનની સમીક્ષા કરી.

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે આગામી 26 નવેમ્બરથી છ ડિસેમ્બર રાષ્ટ્રીય પદયાત્રા યોજાશે. કરમસદથી કેવડિયા સુધી લગભગ 150 કિલોમીટરની યાત્રાના આયોજન અંગે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ આજે આણંદમાં બેઠક યોજી. તેમણે સરદાર પટેલના જીવન અને કવનને લોકો સુધી પહોંચાડવા આ પદય...

નવેમ્બર 2, 2025 6:47 પી એમ(PM)

views 30

રાજ્યમાં આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટવાની સંભાવના.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમ / પ્રણાલિ નબળી પડતાં આગામી 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે કહ્યું, આગામી બે દિવસ બાદ કેટલાક જિલ્લામાં છૂટક વરસાદ થવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારમાં પણ હજી 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ...

નવેમ્બર 2, 2025 6:50 પી એમ(PM)

views 13

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું, રોગચાળાને અટકાવવા આરોગ્ય કેન્દ્રો અને સરકારી હૉસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ

આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાને અટકાવવા આજે બેઠક યોજાઈ. ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં શ્રી પાનશેરિયાએ ડૅન્ગ્યૂ, ચિકનગુનિયા જેવા રોગના નિયંત્રણ માટે દરેક જાહેર આરોગ્ય કેન્દ્ર – PHC, સામૂદાયિક આરોગ્ય કેન્દ્ર – CHC અને તમામ સરકારી હૉસ્પિટલમાં પૂરતી દવા...

નવેમ્બર 2, 2025 2:38 પી એમ(PM)

views 12

દેવઉઠી અગિયારસ નિમિત્તે અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજથી વિવિધ કાર્યક્રમ યોજાશે.

દેવઉઠી અગિયારસ નિમિત્તે અરવલ્લીના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજથી વિવિધ કાર્યક્રમ યોજાશે. આજે સાંજે તુલસી વિવાહ સાથે ભગવાનની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. સાથે જ સૌથી મોટા શામળાજીના કાર્તિકી પૂનમના મેળાનો તેરસથી પ્રારંભ થશે તેમ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ પટેલે જણાવ્યુ...

નવેમ્બર 2, 2025 2:36 પી એમ(PM)

views 11

ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠ નિમિત્તે, વાયુસેના દ્વારા ગાંધીનગરમાં ‘સેખોન ઇન્ડિયન એરફોર્સ મૅરેથોન 2025’ યોજાઈ.

ભારતીય વાયુસેનાની 93મી વર્ષગાંઠ નિમિત્તે, વાયુસેના દ્વારા ગાંધીનગરમાં 'સેખોન ઇન્ડિયન એરફોર્સ મૅરેથોન 2025' યોજાઈ. ફ્લાઇન્ગ ઑફિસર નિર્મલજિત સિંહ સેખોનને શ્રદ્ધાંજલિ આપવા દક્ષિણ પશ્ચિમ ઍર-કમાન્ડ મુખ્યમથક ખાતે આ મૅરેથોનનું આયોજન કરાયું. સાઉથ વૅસ્ટર્ન ઍર કમાન્ડના ઍર ઑફિસર કમાન્ડિંગ ઇન ચીફ ઍર માર્શલ નગેશ...