જાન્યુઆરી 4, 2025 8:22 એ એમ (AM)

views 20

ગુજરાતે સતત છઠ્ઠા વર્ષે લોજિસ્ટિક્સ અને કાર્ગો મૂવમેન્ટ ક્ષેત્રે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું

ગુજરાતે લોજિસ્ટિક્સ અને કાર્ગો મુવમેન્ટ ક્ષેત્રે સુગમતા માટે લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ એટલે કે લીડ્સ રેન્કિંગમાં સતત છઠ્ઠા વર્ષે દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગુજરાતે ટોચની કાર્યક્ષમ શ્રેણી “એચીવર્સ”માં આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નવી દિલ્હીમાં ગઇકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ...

જાન્યુઆરી 3, 2025 8:31 પી એમ(PM)

views 18

પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પ્રથમ ઇનિંગમાં ભારત ૧૮૫ રનમાં ઓલ આઉટ – ઓસ્ટ્રેલિયાના ૧ વિકેટે ૯ રન

સિડનીમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી શ્રેણીની પાંચમી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટનાં પ્રથમ દિવસે આજે ભારતીય ટીમ માત્ર 185 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન જસપ્રીત બુમરાહે 22 રન અને જાડેજાએ 26 રન કર્યા હતા. સ્કોટ બોલેન્ડે ઓસ્ટ્રેલિયા વતી ચાર વિકેટ ઝડપી હતી.રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં એક વિકેટ ગુમા...

જાન્યુઆરી 3, 2025 8:28 પી એમ(PM)

views 14

કાશ્મીરમાં આગામી ત્રણ દિવસ સુધી હિમસ્ખલન અને ભુસ્ખલનની હવામાન વિભાગની ચેતવણી

કાશ્મીર ખીણ અને તેની આસપાસનાં વિસ્તારોમાં અતિશય શીતલહેર પ્રવર્તી રહી છે. કેટલાંક વિસ્તારોમાં લઘુતમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું હતું.દક્ષિણ કાશ્મીરમાં સૌથી ઓછું માઇનસ 8.5 ડિગ્રી તાપમાન શોપિયાં જિલ્લામાં નોંધાયું હતું. શ્રીનગર શહેરમાં માઇનસ 2.2 ડિગ્રી તાપમાન સાથે ધુમ્મસભર્યું વાતાવરણ છે. જો કે જમ્...

જાન્યુઆરી 3, 2025 8:26 પી એમ(PM)

views 13

વંદે ભારત સ્લિપર ટ્રેન દ્વારા ઝડપથી લાંબા અંતરની મુસાફરી કરી શકાશેઃ પ્રતિ કલાક મહત્તમ 180 કિલોમીટરની ઝડપ હાંસલ કરી

વંદે ભારત સ્લિપર ટ્રેન દ્વારા ટૂંક સમયમાં લાંબા અંતરનાં રેલ પ્રવાસમાં વિશ્વકક્ષાનો અનુભવ મળશે. છેલ્લાં ત્રણ દિવસથી હાથ ધરવામાં આવી રહેલા પરીક્ષણોમાં વંદે ભારત સ્લિપર ટ્રેને પ્રતિ કલાક મહત્તમ 180 કિલોમીટરની ઝડપ હાંસલ કરી છે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કોટા ડિવિઝનમાં આ ટ્રેનના સફળ પરિક્ષણનો વિડિયો રજ...

જાન્યુઆરી 3, 2025 8:25 પી એમ(PM)

views 28

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOની કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થા દેશભરમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન EPFOની કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી વ્યવસ્થા હવે દેશભરમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત થઈ ગઈ છે.ડિસેમ્બર મહિનામાં દેશની તમામ 122 પેન્શન ચૂકવણી પ્રાદેશિક કચેરીઓમાં નોંધાયેલા 68 લાખથી વધુ પેન્શન ધારકોને એક હજાર 570 કરોડ રૂપિયાથી વધુનાં પેન્શનની ચૂકવણી કરવામાં આવી હતી.શ્રમ અને રોજગાર...

જાન્યુઆરી 3, 2025 7:50 પી એમ(PM)

views 16

અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ ખાતે ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનો પાંચમો પદવીદાન સમારોહ આજે યોજાયો

અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની ઇન્સ્ટીટ્યુટ ખાતે ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનો પાંચમો પદવીદાન સમારોહ આજે યોજાયો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે વિવિધ તબીબી અભ્યાસક્રમના ૮૪ વિદ્યાર્થીઓને ડૉક્ટર્સની ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરાયા. આ પ્રસંગે રાજ્યપાલ...

જાન્યુઆરી 3, 2025 7:46 પી એમ(PM)

views 16

દેશમાં દરરોજ 75 હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી. નિગમ પ્રથમ સ્થાને

એસ. ટી. નિગમે છેલ્લા બે વર્ષમાં 4 કરોડથી વધુ ઓનલાઈન ટિકિટ દ્વારા  1 હજાર 36 કરોડ રૂપિયાથી વધુની આવક કરી છે. સમગ્ર ભારતમાં દૈનિક 75  હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસ.ટી. નિગમ પ્રથમ સ્થાને છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ... (વોઈસ કાસ્ટ – અજય ઈન્દ્રેકર) વર્ષ 2010થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સ...

જાન્યુઆરી 3, 2025 7:44 પી એમ(PM)

views 33

ખોરાક અને ઔષધ નિયમન તંત્રે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં 182 દૂધનાં ટેન્કરોની આકસ્મિક તપાસ હાથ ધરી

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનનાં કુલ 182 થી વધુ દૂધનાં ટેન્કરોની આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આશરે 22 લાખ લીટર દૂધની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. ખોરાક અને ઔષધ નિયમન તંત્રનાં કમિશન ડૉ. એચ.જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યની જુદી જુદી સરહદી પર...

જાન્યુઆરી 3, 2025 7:42 પી એમ(PM)

views 29

ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાએ વેપાર અને ઔદ્યોગિક મેળાનો શુભારંભ કરાવ્યો

ભાવનગર ખાતે આજે કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાના હસ્તે વાઈબ્રન્ટ ભાવનગર વિઝન-૨૦૩૦ અંતર્ગત વેપાર અને ઔદ્યોગિક મેળાનો શુભારંભ થયો. જવાહર મેદાન ખાતે આજથી ૬ જાન્યુઆરી સુધી યોજાનારા આ મેળાને ખુલ્લો મુકતા બાંભણીયાએ જણાવ્યું કે 5G જેવી ઉભરતી ટેક્નોલોજીઓ આવનારા દિવસોમાં આપણા ઉદ્યોગો અનેવ્યવસાયોને વ...

જાન્યુઆરી 3, 2025 7:40 પી એમ(PM)

views 12

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું છે કે, સફળ નેતૃત્વ જ દેશને વિકાસની દોડમાં આગળ લઈ જઈ શકશે

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે, રાષ્ટ્ર નિર્માણમાં આજના યુવાનો પોતાની સહભાગિતા દર્શાવી શકે તે માટે યુવાનોને સક્ષમ નેતૃત્વ શિખવાડવું ખૂબ જરૂરી છે કારણ કે સફળ નેતૃત્વ જ દેશને વિકાસની દોડમાં આગળ લઈ જઈ શકશે. સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે યોજાયેલા જાહેર નેતૃત્વ અંગેના પ્રશિક્ષણના ત્રીજા તબ...