જાન્યુઆરી 4, 2025 8:01 પી એમ(PM)

views 10

કેન્દ્ર સરકારના ડિજીટલ વ્યક્તિગત સંરક્ષણ નિયમો 2025ના મુસદ્દામાં નાગરિકોની માહિતી અને તેમના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઇ

કેન્દ્ર સરકારે જાહેર કરેલા ડિજીટલ વ્યક્તિગત સંરક્ષણ નિયમો 2025ના મુસદ્દામાં નાગરિકોની માહિતી અને તેમના અધિકારોનું રક્ષણ કરવાની જોગવાઇ છે. કેન્દ્રીય માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આકાશવાણી સમાચાર સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે આ મુસદ્દામાં ત્રણ મુખ્ય જોગવાઇઓ છે. જેમાં નાગરિકની વ્યક્...

જાન્યુઆરી 4, 2025 7:59 પી એમ(PM)

views 13

ગુજરાતમાં અંતરિયાળ અને સ્થાનિક પ્રતિભાઓને મંચ પુરૂ પાડતા ત્રીજા ખેલ મહાકુંભનો આજથી આરંભ થયો

ગુજરાતમાં અંતરિયાળ અને સ્થાનિક પ્રતિભાઓને મંચ પુરૂ પાડતા ત્રીજા ખેલ મહાકુંભનો આજથી આરંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભનો આરંભ કરાવતા કહ્યુ હતું કે ખેલ મહાકુંભે અનેક રમતવીરોને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો અવસર પ્રદાન કર્યો છે....

જાન્યુઆરી 4, 2025 7:58 પી એમ(PM)

views 7

અંતરિયાળ અને સ્થાનિક પ્રતિભાઓને મંચ પુરૂ પાડતા ખેલ મહાકુંભ 3.0નો આજથી આરંભ થયો

અંતરિયાળ અને સ્થાનિક પ્રતિભાઓને મંચ પુરૂ પાડતા ખેલ મહાકુંભ 3.0નો આજથી આરંભ થયો છે. રાજકોટ ખાતેથી ખેલ મહાકુંભનો આરંભ કરાવતા મુખ્યમંત્રીએ કહ્યુ હતું કે ખેલ મહાકુંભે અનેક રમતવીરોને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાનો અવસર પ્રદાન કર્યો છે. તેમણે કહ્યું હતું કે, રમત ગ...

જાન્યુઆરી 4, 2025 7:56 પી એમ(PM)

views 11

ગાંધીનગર કોર્પોરેશનની અલગ અલગ જગ્યા માટેની આવતીકાલે યોજાનારી પરીક્ષાઓ બાબતે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર મનપાની ભરતી માટે અલગ અલગ ત્રણ પરીક્ષા લેવાશે

ગાંધીનગર કોર્પોરેશનની અલગ અલગ જગ્યા માટેની આવતીકાલે યોજાનારી પરીક્ષાઓ બાબતે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે ગાંધીનગર મનપાની ભરતી માટે અલગ અલગ ત્રણ પરીક્ષા લેવાશે. 15 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે. અમદાવાદ અને ગાંધીનગરના 60 જેટલા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાશે. HD કેમેરા સાથે રાખીને પર...

જાન્યુઆરી 4, 2025 7:54 પી એમ(PM)

views 10

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ આજે કેશોદ ખાતે 6 કરોડ 51 લાખ રૂપિયાના 110 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ આજે કેશોદ ખાતે 6 કરોડ 51 લાખ રૂપિયાના 110 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. કેન્દ્રીય મંત્રીએ કેશોદ વિધાનસભા મતવિસ્તારના 68 લાખથી વધુના 19 વિકાસ કામોનું લોકાર્પણ તથા 5 કરોડ 82 લાખના ખર્ચે નિર્માણ થનાર 91 વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગ...

જાન્યુઆરી 4, 2025 7:53 પી એમ(PM)

views 31

ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે ‘રાષ્ટ્રીય મિશન’ બની ગયું હોવાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે આણંદ ખાતે જણાવ્યું હતું

ગુજરાતનું પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે 'રાષ્ટ્રીય મિશન' બની ગયું હોવાનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે આણંદ ખાતે જણાવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના ૨૧મા પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. આ પદવીદાન સમારોહમાં રાજયપાલ આચાર્ય દેવવ્રત...

જાન્યુઆરી 4, 2025 7:52 પી એમ(PM)

views 13

જૂનાગઢમાં આવતીકાલે 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે

જૂનાગઢમાં આવતીકાલે 39મી રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી કુલ 1 હજાર 207 સ્પર્ધકો આ સ્પર્ધામાં જોડાયા છે. આવતીકાલે સવારે 7 વાગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા આ સ્પર્ધાનો પ્રારંભ કરાવશે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ સ્પર્ધામાં પ્રથમ 10 ...

જાન્યુઆરી 4, 2025 7:51 પી એમ(PM)

views 12

કચ્છમાં ધરા ધ્રુજવાનો સિલસિલો યથાવત છે

કચ્છમાં ધરા ધ્રુજવાનો સિલસિલો યથાવત છે. નવા વર્ષ 2025ના આરંભે જ ત્રણ હળવા કંપન કચ્છમાં અનુભવાયા છે. આજે સાંજે ચાર વાગીને 37 મિનિટે ૩.૮ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ દુધઈથી ૨૮ કિમી દૂર નોંધયું હતું. ગઈકાલે પણ ૨.૮ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જોકે આ કંપનને કારણે કોઇ નુકસાનીના અ...

જાન્યુઆરી 4, 2025 7:51 પી એમ(PM)

views 17

ભાજપ દ્વારા રાજ્યભરમાં મહાનગરપાલિકા, જિલ્લા પ્રમુખોની વરણીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

ભાજપ દ્વારા રાજ્યભરમાં મહાનગરપાલિકા, જિલ્લા પ્રમુખોની વરણીને લઈ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેના દાવેદારોએ જીલ્લા અને શહેરોના કાર્યાલયો ખાતે દાવેદારી નોંધાવી હતી. ભાજપના નિયમ મુજબ જિલ્લા શહેરોના પ્રમુખો માટે વયની કોઇ મર્યાદા નિશ્ચિત કરવામાં આવી નથી. જોકે સક્રિય સભ્ય અને કામગીરી સહીતની બા...

જાન્યુઆરી 4, 2025 7:48 પી એમ(PM)

views 9

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ બાબરા તાલુકામાં પાણી પુરવઠા જૂથ યોજનાની કામગીરીની સમીક્ષા કરી

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ બાબરા તાલુકામાં પાણી પુરવઠા જૂથ યોજનાની કામગીરીની સમીક્ષા કરી. જળસંપત્તિ મંત્રીએ સંબધિત અધિકારીઓને કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે બોલતા મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્યમાં છેવાડાના વિસ્તારો સુધી પીવાનું શુદ્ધ પાણી મળે અને નાગરિ...