પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી પાંચ વર્ષમાં બ્રાઝિલ સાથે દ્વિપક્ષીય વેપાર હાલના 12.2 અબજ ડોલરથી વધારીને 20 અબજ ડોલર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. બંને દેશોએ વધુ ભારતીય ઉત્પાદનોનો સમાવેશ કરવા અને ભારતીય નિકાસકારો માટે મોટું બજાર પૂરું પાડવા માટે મર્કોસુર વેપાર કરારનો વ્યાપ વધારવા માટે પણ સંમતિ દર્શાવી છે.
શ્રી મોદીએ ભારતની જેમ જ બ્રાઝિલમાં ડિજિટલ ચુકવણી માટે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) શરૂ કરવામાં સહયોગની જાહેરાત કરી. શ્રી મોદીને બ્રાઝિલના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ’નો ગ્રાન્ડ કોલર એનાયત કરવામાં આવ્યો. બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુલા દા સિલ્વાએ જણાવ્યું હતું કે વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારત-બ્રાઝિલ સહયોગ વધારવા અને પરસ્પર સંબંધોને મજબૂત બનાવવામાં શ્રી મોદીના યોગદાનને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવ્યું છે.
ભારત અને બ્રાઝિલ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોના સમાપન પછી, વિદેશ મંત્રાલયના પૂર્વ સચિવ પેરિયાસામી કુમારને વાટાઘાટોના મુખ્ય મુદ્દાઓ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારતના ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ માટે વિઝા ઉદારીકરણ પર પણ વાટાઘાટો કરવામાં આવી. તેમણે કહ્યું કે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખે ભારતીય ફાર્મા ઉત્પાદક કંપનીઓને બ્રાઝિલમાં બેઝ સ્થાપવા માટે આમંત્રણ આપવાના વિચારનું સ્વાગત કર્યું. દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન ત્રણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
Site Admin | જુલાઇ 9, 2025 8:47 એ એમ (AM) | #G20Summit #RiodeJaneiro #India #PMModiInBrazil | narendramodi
પીએમ મોદીએ 2030 સુધીમાં બ્રાઝિલ સાથે $20 બિલિયનનો વેપાર લક્ષ્યાંક નક્કી કર્યો
