કેન્દ્ર સરકારે ઉજાલા યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં લગભગ 37 કરોડ LED બલ્બનું વિતરણ કર્યું છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે, આ યોજનાથી દર વર્ષે લગભગ 48 અબજ કિલોવોટ પ્રતિ કલાકની ઊર્જા બચત થઈ છે. તેમણે કહ્યું કે, LED એક ટકાઉ, ઉર્જા કાર્યક્ષમ લાઇટિંગ સોલ્યુશન પૂરું પાડે છે જે પર્યાવરણીય લક્ષ્યોને સમર્થન આપે છે.
Site Admin | માર્ચ 11, 2025 6:46 પી એમ(PM) | ઉજાલા યોજના
કેન્દ્ર સરકારે ઉજાલા યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં લગભગ 37 કરોડ LED બલ્બનું વિતરણ કર્યું
