માર્ચ 11, 2025 6:46 પી એમ(PM)

views 10

કેન્દ્ર સરકારે ઉજાલા યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં લગભગ 37 કરોડ LED બલ્બનું વિતરણ કર્યું

કેન્દ્ર સરકારે ઉજાલા યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશભરમાં લગભગ 37 કરોડ LED બલ્બનું વિતરણ કર્યું છે. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં, કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહર લાલે જણાવ્યું હતું કે, આ યોજનાથી દર વર્ષે લગભગ 48 અબજ કિલોવોટ પ્રતિ કલાકની ઊર્જા બચત થઈ છે. તેમણે કહ્યું કે, LED એક ટકાઉ, ઉર્જા કાર્યક્ષમ લાઇટિંગ સોલ્યુશન પૂરું પાડે છે જે પર્યાવરણીય લક્ષ્યોને સમર્થન આપે છે.

નવેમ્બર 28, 2024 7:59 પી એમ(PM)

views 13

કેન્દ્ર સરકારની ઉજાલા યોજના હેઠળ ઉપયોગમાં લેવાતા એલઇડી બલ્બના કારણે સમગ્ર દેશમાં એક વર્ષમાં ચાર હજાર 800 કરોડ યુનિટ વીજળીની બચત થઇ છે તેમજ 4 કરોડ ટન કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડી શકાયું છે

કેન્દ્ર સરકારની ઉજાલા યોજના હેઠળ ઉપયોગમાં લેવાતા એલઇડી બલ્બના કારણે સમગ્ર દેશમાં એક વર્ષમાં ચાર હજાર 800 કરોડ યુનિટ વીજળીની બચત થઇ છે તેમજ 4 કરોડ ટન કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ઘટાડી શકાયું છે. કેન્દ્રિય વીજ રાજયમંત્રી શ્રીપાદ નાઇકે લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે, આ યોજનાના કારણે દર વર્ષે 19 હજાર કરોડ રૂપિયાથી વધુની બચત શક્ય બની છે. તેમણે કહ્યું કે, ઉજાલા યોજના હેઠળ ઉર્જા કાર્યક્ષમ સેવા સંસ્થાએ 37 કરોડ એલઇડી બલ્બ, 77 લાખથી વધુ એલઇડી ટ્યુબ અને 24 લાખ ઉર્જા કાર્યક્ષમ પંખાઓનું ...