ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય મંત્રી હરદિપસિંહ પુરીએ જણાવ્યું છે કે, છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકારે ગુજરાતને આર્થિક સહાયમાં 340 ટકાનો વધારો કર્યો

કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે,કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલું અંદાજપત્ર એ ભારતને 2047 સુધીમાં વિશ્વના ટોચના ત્રણ અર્થતંત્રમાંનું એક બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ બિહાર અને આંધ્રપ્રદેશને જ અંદાજપત્રમાં વિશેષ સહાય આપી હોવાના વિરોધપક્ષના આરોપને વખોડી કાઢ્યો હતો. તેમણે જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મળતી આર્થિક સહાયમાં 340 ટકાનો વધારો થયો છે. સેમિ-કન્ડક્ટર,પવન ઊર્જા પ્લાન્ટ સહિતના કેટલાક વિકાસકાર્યો રાજ્યને ફાળવવામાં આવ્યા છે.
શ્રી પુરીએ કહ્યું કે, અંદાજપત્ર યુવાનોને કૌશલ્ય પ્રદાન કરીને તેમને પગભર બનાવવા, માળખાકીય વિકાસને મજબૂત બનાવવા તેમ જ ઊર્જાના ટકાઉ સંશાધનો વિકસાવવા પર વિશેષ ભાર મૂકે છે.