માર્ચ 31, 2025 7:36 પી એમ(PM)

views 26

સસંદમાં રજૂ થનારા વકફ સુધારા બીલ અંગે ભ્રમ ન ફેલાવવા વિરોધીઓને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ અપીલ કરી

કેન્દ્રીય સંસદીય બાબતો અને લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સોમવારે જણાવ્યું હતું કે, કેટલાક રાજકીય પક્ષો, સંગઠનો અને જૂથો વકફ સુધારા બિલ અંગે મૂંઝવણ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે દેશમાં આવા ભ્રમ ફેલાવવાનું બંધ કરવાની અપીલ કરી છે. સરકાર આ બિલ સંસદમાં લાવવા જઈ રહી છે અને વિપક્ષને તેના પર તાર્કિક ચર્ચા કરવા વિનંતી છે. તમામ રાજકીય પક્ષોને બિલ પરની ચર્ચામાં ભાગ લેવા તેમણએ વિનંતી કરે છે.

ફેબ્રુવારી 14, 2025 3:55 પી એમ(PM)

views 24

કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણીયાએ ભાવનગર-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય મંત્રી નિમુ બાંભણીયાએ ભાવનગર-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાવ્યો. આ ટ્રેન દર ગુરૂવારે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી રાત્રે 8.20 કલાકે ઉપડશે અને શનિવારે વહેલી સવારે 03.40 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, દર શનિવારે વહેલી સવારે 5 કલાકે હરિદ્વારથી ઉપડશે અને રવિવારે બપોરે 12 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. ટ્રેનની ફ્રિકવન્સીમાં વધારો કરતાં મુસાફરોમાં ખુશી જોવા મળી.

ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM)

views 23

કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, “આ વખતનું પહેલું કેન્દ્રીય અંદાજપત્ર એવું છે, જેમાં સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો છે.” સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું, “આ અંદાજપત્રથી ખેડૂતો અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ- MSMEને લાભ થશે. ગત 10 વર્ષમાં દેશમાં આત્મનિર્ભરતા વધી હોવાનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું.

જાન્યુઆરી 31, 2025 2:44 પી એમ(PM)

views 29

કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમને આવતીકાલે બજેટ રજૂ કરતાં પહેલા આજે લોકસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નો આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું

કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમને આવતીકાલે બજેટ રજૂ કરતાં પહેલા આજે લોકસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ નો આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું હતું. આર્થિક સર્વેક્ષણ દેશની નાણાકીય સ્થિતિનો મહત્વનો દસ્તાવેજ છે જેમાં દેશની વર્તમાન અને ભવિષ્યની આર્થિક સ્થિતિની વિગતો આપવામાં આવી છે. અગાઉ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન બાદ લોકસભાની કાર્યવાહી શરૂ થઇ હતી જેમાં લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંઘ સહિતના ચાર પૂર્વ સાંસદોના નિધન અંગે શોક ઠરાવ રજૂ કરીને શ્રધ્ધાંજલી અર્પી હતી. આ ઉપર...

જાન્યુઆરી 28, 2025 9:42 એ એમ (AM)

views 32

રમત ગમતમાં દેશ એકથી પાંચમાં ક્રમે રહે તે માટે પ્રયાસો આદરવા રમતવીરોને કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું આહવાન

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, સ્પોર્ટ્સ સેક્ટરમાં ભારત એકથી પાંચમા ક્રમમાં આવે તે ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રિસર્ચ કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે શ્રી માંડવિયાએ કહ્યું કે, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દેશની સુરક્ષા અને સ્પોર્ટસ રિસર્ચ માટે મહત્વપૂર્ણ કામગીરી કરી રહી છે, શ્રી માંડવિયા નડિયાદમાં મગનભાઇ એડનવાલા મહાગુજરાત વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.

જાન્યુઆરી 20, 2025 8:29 એ એમ (AM)

views 25

કેન્દ્રીય મંત્રી નડ્ડાએ ગઈકાલે સિપેટ ખાતે અંશશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડાએ ગઈકાલે અમદાવાદમાં કેન્દ્રીય પેટ્રૉકેમિકલ્સ એન્જિનિયરિંગ અને ટેક્નોલૉજી સંસ્થાન- સિપેટ ખાતે અંશશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ સિપેટને ખેતી અને આરોગ્ય ક્ષેત્રમાં એડવાન્સ સંશોધન કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, સ્ટૅન્ડ-અપ ઇન્ડિયા કે નવાચારને આગળ વધારવાની યોજનાથી સિપેટને નવી ઊર્જા મળી છે.

જાન્યુઆરી 11, 2025 10:48 એ એમ (AM)

views 30

પાંચ વર્ષમાં ખાદ્ય-પીણાં, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચશે : પીયૂષ ગોયલ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે આગામી પાંચ વર્ષમાં ભારતની ખાદ્ય અને પીણા, કૃષિ અને દરિયાઈ ઉત્પાદનોની સંયુક્ત નિકાસ 100 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. ગઈકાલે નવી દિલ્હીમાં ઇન્ડસફૂડ પ્રદર્શનમાં બોલતા, તેમણે કહ્યું કે આ લક્ષ્ય 14 થી 15 ટકાના વિકાસ દર સાથે પ્રાપ્ત કરી શકાય છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે સરકાર ખાદ્ય અને પીણા ક્ષેત્રને ઘણી સહાય આપી રહી છે અને હવે આ ક્ષેત્રમાં 100 ટકા FDI ને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે, કૃષિ ક્ષેત્રને ટકાઉ બનાવવું એ સરકારન...

જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM)

views 35

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા ક્ષેત્રના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે અને આવતીકાલે પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે જશે. ડૉ. માંડવિયા આજે અને આવતીકાલે કેશોદ, જેતપુર, ગોંડલ અને ઉપલેટાનો પ્રવાસ કરશે. તેમજ આવતીકાલે તેઓ કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સવારે જૂનાગઢના કેશોદ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે એપીએમસી વંથલી ખાતે ટિફિન બેઠકમાં હાજર રહેશે, જેતપુર ખાતે ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી માંડવિયા બપોરે ગોં...

ડિસેમ્બર 24, 2024 9:51 એ એમ (AM)

views 21

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં ‘સુશાસન પદયાત્રા’ યોજશે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અટલ બિહારી વાજપેયીની 100મી જયંતીની ઉજવણી માટે વડનગરમાં 'સુશાસન પદયાત્રા' યોજશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતનમાં ઉજવણીમાં સામેલ થવા માટે પંદર હજારથી વધુ MY Bharat યુવા સ્વયંસેવકો વડનગરમાં આવ્યા છે. ભારતીય બંધારણની 75મી વર્ષગાંઠની એક વર્ષ સુધી ચાલનારી ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયા આજે ગુજરાતના વડનગરમાં ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિની ઉજવણી માટે સુશાસન પદયાત્રા ...

ડિસેમ્બર 16, 2024 11:24 એ એમ (AM)

views 47

સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ગઇકાલે સુરતથી સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ માટેના રાજ્યના પ્રથમ આઉટ સોર્સ્ડ પ્લાન્ટનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે સી આર પાટીલે ઈલેક્ટ્રોનિક ઉત્પાદન માટે સૌથી અગત્યનું રો-મટીરીયલ ગણાતા સેમી કન્ડક્ટર ઉત્પાદનનું ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સુરતના અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે સુરતની સૂચિ સેમિકોન દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ખાતે ૮૪૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપવામાં આવેલા આ પ્લાન્ટમાં ઈલેક્ટ્રોનિક ચીપ્સનું ઉત્પા...