સરકારી સંસ્થાઓને પૂરી પાડવામાં આવતી સેવાઓમાં કરચોરી સામે રાજ્ય GST વિભાગે કાર્યવાહી કરીને ૪૫ કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડી છે.
ગુજરાત રાજ્ય GST વિભાગ દ્વારા ૯ જૂન ૨૦૨૫ના રોજ દાહોદ અને વેરાવળ ખાતે આવેલા ચાર કરદાતાઓ વિરુધ્ધ તપાસ હાથ ધરવામાં આવી, જેઓ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સહાયતા પ્રાપ્ત યોજનાઓ જેમકે મનરેગા સહિતની વિવિધ સરકારી યોજનાઓ હેઠળ કામો હાથ ધરતા હતા.
આ તપાસ દરમિયાન, ઘણી ગેરરીતિઓ મળી આવી હતી, જેમ કે કરપાત્ર સેવાઓને ખોટી રીતે કરમુક્ત તરીકે વર્ગીકૃત કરવી, બેંક ખાતામાં મળેલ રકમની તુલનામાં ટર્નઓવર ઓછું દર્શાવવું તેમજ ઇનપુટ ટેક્સ ક્રેડિટ નો અનઅધિકૃત અને અયોગ્ય લાભ લેવો. આ ચાર કરદાતાઓ દ્વારા ઇરાદાપૂર્વક કરચોરી અને સરકારી ભંડોળનો દુરુપયોગ કરવાના ઉદ્દેશ્યથી આચરવામાં આવેલ ગેરરીતીઓ તરફ નિર્દેશ કરે છે.
પ્રાથમિક ચકાસણી અનુસાર, ઉક્ત 4 કરદાતાઓની કુલ જવાબદારી વેરો, વ્યાજ અને દંડ સહિત ૪૫ કરોડ રૂપિયાથી વધુ છે. રાજ્ય GST વિભાગ દ્વારા સરકારી આવકના રક્ષણ અને વસુલાત માટે જરૂરી તમામ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Site Admin | જૂન 21, 2025 10:22 એ એમ (AM) | GST
મનરેગા સહિતની સરકારી સંસ્થાઓને અપાતી સેવાઓમાં તપાસ કરીને રાજ્ય GST વિભાગે ૪૫ કરોડ રૂપિયાથી વધુની કરચોરી પકડી
