પહેલગામમાં આતંકવાદી હુમલાનાં ઇજા પામેલા રાજ્યના પ્રવાસીઓને તેમનાં વતન લાવવા માટે રાજ્ય સરકારના સ્ટેટ ઇમરજ્ન્સી ઓપરેશન સેન્ટરે વ્યવસ્થા કરી છે. સેન્ટરને આવા 200 પ્રવાસીઓની યાદી મળી હતી, જેમાંથી જમ્મુ ખાતેથી 24 તથા શ્રીનગર ખાતેથી નવ પ્રવાસીઓએ વતન પરત આવવા ઇચ્છા દર્શાવી હતી.
નવ પ્રવાસીઓને શ્રીનગરથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ વિમાન માર્ગે લાવવામાં આવી રહ્યા છે, જેઓ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના 20 યાત્રિકોને જમ્મુ ખાતેથી વડોદરા ટ્રેન મારફત પરત ફરવા વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદના ત્રણ અને વડોદરાના એક એમ કુલ ચાર પ્રવાસીઓને સ્વરાજ એક્ષપ્રેસ ટ્રેન મારફ્ત આવતી કાલે સવારે વડોદરા પહોંચશે.
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રની યાદી પ્રમાણે દહેગામના 52, કલોલના 107 તથા ગાંધીનગરના 14 મળી કુલ 173 નાગરિકો હાલ હાલ જમ્મુ-કાશ્મીર ખાતે પ્રવાસે ગયા છે. તંત્રએ આ મુસાફરોની સ્થિતી જાણીને પરત ફરવા માટેની વ્યવસ્થા અંગે વાતચીત કરી છે. આ તમામ લોકો પ્રવાસ પૂર્ણ કરી ટૂંક સમયમાં જ ગાંધીનગર પરત ફરશે.
Site Admin | એપ્રિલ 25, 2025 9:53 એ એમ (AM) | Gujarati Tourist | Jammu & Kashmir | Pahelgam
જમ્મુ કાશ્મીરથી રાજ્યના પ્રવાસીઓને વતન લાવવા સરકારે વ્યવસ્થા કરી
