કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણમાં વર્ણવેલ કલ્યાણ રાજ્યની પરિકલ્પનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારની પ્રશંસા કરી છે.
અમદાવાદમાં લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક સમારોહને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ગરીબી નાબૂદી, પરવડે તેવા આવાસ, તબીબી સંભાળ અને શિક્ષણ અને નાગરિકો માટે શ્રેષ્ઠ જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે રાષ્ટ્રના સર્વાંગી વિકાસનું લક્ષ્ય ધરાવે છે. “સેવા એ જ સંસ્કાર” એ ગુજરાતની ધરોહર છે એમ કહીને મંત્રીશ્રીએ સમાજ સેવા, ખાસ કરીને રક્ત અને અંગદાનમાં રાજ્યના અનુકરણીય યોગદાનની પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે શ્રી શાહે લોકોને વ્યક્તિગત હિતોથી ઉપર ઊઠીને સમાજના કલ્યાણ માટે પોતાને સમર્પિત કરવા વિનંતી કરી હતી, જેને તેમણે રાષ્ટ્રની સાચી સેવા ગણાવી હતી. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન શ્રી શાહે આજે સવારે અમદાવાદમાં 70 બેડની ગ્લોબલ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં આજે તેઓ સાંજે BAPS અક્ષરધામની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે.
Site Admin | ડિસેમ્બર 7, 2024 3:25 પી એમ(PM)
“સેવા એ જ સંસ્કાર” એ ગુજરાતની ધરોહર છે :કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
