પહેલગામ આતંકવાદી હુમલાને પગલે સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે લશ્કરી વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી શ્રીનગર પહોંચ્યા છે.
લશ્કરી વડાને સ્થાનિક લશ્કરી કમાન્ડરો ખીણમાં અને નિયંત્રણ રેખા નજીક આતંકવાદ વિરોધી પગલાં વિશે માહિતી આપશે. આ મુલાકાત દરમિયાન 15મા કોર્પ્સ કમાન્ડર અને રાષ્ટ્રીય રાઇફલ કમાન્ડર પણ હાજર રહેશે. શ્રી દ્વિવેદી હુમલાનાં ઘટનાસ્થળ બૈસરામ ગામની મુલાકાત લે તેવી પણ સંભાવના છે.
દરમિયાન, લોકસભામાં વિરોધ પક્ષનાં નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પણ આજે શ્રીનગરની મુલાકાત લેશે.
Site Admin | એપ્રિલ 25, 2025 2:15 પી એમ(PM)
સૈન્યના વડા ઉપેન્દ્ર દ્વિવેદી સલામતીની સ્થિતિની સમીક્ષા કરવા શ્રીનગર પહોંચ્યા
