સર્વોચ્ચ અદાલતમાં આજે વકફ (સુધારા) અધિનિયમ, 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઇ છે. અરજદારો તરફથી દલીલ કરતાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું હતું કે તેમને વકફ સુધારા અધિનિયમ સામે વાંધો છે.. જ્યારે સરકાર પક્ષે દલીલ કરતાં સોલીસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે આ અરજીઓમાં જે ત્રણ મુદ્દા ઉભા કરાયા છે. તેની ઉપર જ સુનાવણી કરવામા આવે.
સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલત ત્રણ મુખ્ય મુદ્દાઓ પર વચગાળાના નિર્દેશો પર વિચાર કરે તેવી અપેક્ષા છે – જેમાં અદાલત દ્વારા વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડિનોટિફાય કરવાની સત્તા, વકફ-બાય-યુઝર અને વકફ-બાય-ડીડનો સમાવેશ થાય છે.
હોદ્દેદારી સભ્યો સિવાય, ફક્ત મુસ્લિમોને જ આ સંસ્થાઓમાં સેવા આપવાની મંજૂરી આપવી જોઈએ અને ત્રીજો મુદ્દો છે કે તપાસ પછી, જિલ્લા કલેક્ટર મિલકતને સરકારી જમીન માને છે તો તેને વકફ ગણવામાં આવશે નહીં. મુખ્ય ન્યાયમૂર્તિ બી. આર. ગવઇની અધ્યક્ષતા વાળી બંધારણીય બેંચ સમક્ષ આ સુનાવણી ચાલી રહી છે..
Site Admin | મે 20, 2025 2:10 પી એમ(PM)
સર્વોચ્ચ અદાલતમાં વકફ (સુધારા) કાયદો, 2025ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી શરૂ થઇ.
