વિશ્વ જાહેર પરિવહન દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસનો ઉદ્દેશ્ય સુલભ, કાર્યક્ષમ અને ટકાઉ પરિવહન પ્રણાલીના મહત્વને પ્રકાશિત કરવાનો છે. જાહેર પરિવહનથી બળતણની ઓછી ખપત અને પૈસાની બચત પણ થાય છે, ત્યારે જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ થાય તે હિતાવહ છે.
ગુજરાતના જાહેર પરિવહનની જીવાદોરી ગણાતી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ એટલે કે GSRTCની બસ સેવાનો લાભ ૧૮ લાખ ૨૧ હજાર ગ્રામીણ અને ૪૬ હજાર શહેરી મુસાફરો તથા ૮ લાખ ૩૦ હજાર વિદ્યાર્થીઓ મળીને કુલ ૨૭ લાખ ૧૮ હજાર નાગરિકો લઈ રહ્યા છે. એસ.ટી. વિભાગ દ્વારા 8 હજાર ૩૨૦ બસ અને ૪૨ હજાર ૦૮૩ ટ્રીપના માધ્યમથી ૩૪ લાખ બાવન હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડવામાં આવે છે. ગુજરાતના ૧૮ હજાર ૩૬૭ ગામડાઓ એટલે કે ૯૯.૩૪ ટકા ગામડાઓને એસ.ટી. નિગમે આવરી લીધા છે. GSRTCના રાજ્યમાં કુલ ૧૬ ડિવિઝન, ૧૨૫ બસ ડેપો, ૧૫૧ બસ સ્ટેશન્સ અને ૧ હજાર ૫૫૪ જેટલા પીકઅપ સ્ટેન્ડ આવેલા છે. નાગરીકોના પરિવહન ક્ષેત્રે સુવિધામાં વધારો કરવા છેલ્લા બે વર્ષમાં એસ.ટી નિગમ દ્વારા ૨૭૮૭ જેટલી નવીન બસો કાર્યરત કરવામાં આવી છે. જેમાં ઇલેક્ટ્રિક બસોનો સમાવેશ કરાયો છે.
આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગર જેવાં મેગાસિટી માટે મેટ્રો ટ્રેન એક જાહેર પરિવહનન આધુનિક સાધન તરીકે ઉભરી આવી છે. શહેરોના વિકાસ સાથે વધતી જતી વસ્તી અને ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેન એક નવીનતમ અને કાર્યક્ષમ પરિવહન વ્યવસ્થા તરીકે જનતા માટે આશીર્વાદરૂપ બની છે.
Site Admin | નવેમ્બર 10, 2024 8:16 એ એમ (AM) | જાહેર પરિવહન
વિશ્વ જાહેર પરિવહન દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે.
