રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન ફેબ્રુઆરીની બીજી તારીખથી 30 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ઉદ્યાનની મુલાકાત લઈ શકશે. ઉદ્યાનમાં બુકિંગ અને પ્રવેશ નિઃશુલ્ક છે અને રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ પરથી મુલાકાત બુક કરી શકાશે.રાષ્ટ્રપતિ ભવન છઠ્ઠી માર્ચથી શરૂ થતા અમૃત ઉદ્યાનના ભાગ રૂપે ચાર દિવસીય વિવિધતા કા અમૃત મહોત્સવનું પણ આયોજન કરશે.આ મહોત્સવ દક્ષિણ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને અનોખી પરંપરાઓનું પ્રદર્શન કરશે.
Site Admin | જાન્યુઆરી 21, 2025 2:21 પી એમ(PM) | અમૃત ઉદ્યાન
રાષ્ટ્રપતિ ભવન સ્થિત અમૃત ઉદ્યાન ફેબ્રુઆરીની બીજી તારીખથી 30 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે
