રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દીવ ખાતે આઈ.એન.એસ. ખૂખરી મેમોરિયલના શહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી. જ્યાં તેમણે આઈ.એન.એસ. ખૂખરી યુદ્ધ જહાજમાં શહિદ થયેલા જવાનોને તેમણે શ્રદ્ધાંસુમન અર્પણ કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું. ત્યાર બાદ તેઓ દિવના કિલ્લા પર પહોંચ્યા હતા..
અગાઉ એરપોર્ટ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી માર્ગ પર જતા તેમને અલગ અલગ લોકનૃત્ય દ્વારા તથા વિદ્યાર્થીઓએ હાથમાં તિરંગો ફરકાવીને આવકાર્યા હતા.
Site Admin | નવેમ્બર 13, 2024 7:23 પી એમ(PM)
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દીવ ખાતે આઈ.એન.એસ. ખૂખરી મેમોરિયલના શહિદ જવાનોને શ્રદ્ધાંજલી આપી હતી
