રાજ્યમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી 11 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને થોડો વધુ સમય મળ્યો છે.
જે અંતર્ગત સરકાર ખેડૂતો પાસેથી ૮ હજાર કરોડ રૂપિયાથી વધુ મુલ્યની આશરે ૧૨ લાખ ૭૮ હજાર મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરાશે.
રાજ્યના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃધ્ધિ પોર્ટલ ૦૩ ઓક્ટોબર ૨૦૨૪ થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી લંબાવવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 30, 2024 7:01 પી એમ(PM)
રાજ્યમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી 11 નવેમ્બર સુધી લંબાવવામાં આવી
